Banaskantha: સીપુ ડેમ કોરો ધાકોર થયો , 20 ગામોની હાલત કફોડી
સીપુ ડેમ નજીક જ 20 ગામડા હોવા છતાં ત્યાં ખેડૂતોના ખેતરમાં બોર પણ ફેલ થઇ રહ્યા છે અને સિંચાઈનું પાણી પણ નથી ત્યારે સીપુ ડેમમાં વર્ષ 2017 માં પાણી આવ્યું હતું. ત્યારબાદ સીપુ ડેમ ભરાયો જ નથી અને જેને કારણે કાંઠે રહેતા ગામડાના લોકોને પાણીની મોટી સમસ્યા ઊભી થઈ છે

બનાસકાંઠામા(Banaskantha)સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા તો છે જ છે અને તે વચ્ચે સીપુ ડેમ(Sipu Dam) કોરો ધાકોર બન્યો છે. જેને લઇ આ વિસ્તારમાં પીવાના પાણીની(Drinking Water)પણ મોટી અછત ઉભી થઇ છે.જો કે દાંતીવાડા અને મોકતેશ્વર માં પાણી હોવાથી ઉનાળો લંબાય તો પીવાના પાણી ની તકલીફ નહિ પડે તેવું સિંચાઈ વિભાગનું માનવું છે જો કે સીપુ આધારિત 20 જેટલા ગામોની હાલત કફોડી છે.દાંતીવાડા ડેમમાં અત્યારે પાણીનું લેવલ 566 ફૂટ છે એટલે કે 2700 એમ સી એફ ટી પાણીનો જથ્થો છે.
આગામી ઉનાળામાં પીવાના પાણી સમસ્યા નહીં સર્જાય તેવું સિંચાઈ વિભાગનું માનવું છે
જ્યારે દાંતીવાડા ડેમ માથી ડીસાના 230 જેટલા ગામોને પીવાનું પાણી પૂરું પડે છે તો બીજી તરફ મુક્તેશ્વરમાં 22 ટકા જેટલો પાણી નો જથ્થો અને 55 એમ સીએફટી પાણીનો જથ્થો છે. જેમાંથી વડગામ તાલુકાના 30 ગામો અને સીધપુર ને પીવાનું પાણી પૂરું પડાય છે જ્યારે સીપુ ડેમ કોરો ધાકોર એટલે કે માત્ર બે ટકા જેટલો જથ્થો પાણીનો છે જે વાપરવા લાયક નથી ત્યારે સીપુ આધારિત જે ગામડાઓને પાણી અપાતું હતું તેમાંથી મોટા ભાગના ગામોને દાંતીવાડા સાથે જોડીને અત્યારે પાણી અપાય છે ત્યારે આગામી ઉનાળામાં પીવાના પાણી સમસ્યા નહીં સર્જાય તેવું સિંચાઈ વિભાગનું માનવું છે.
ગામડાના લોકો ને સિંચાઇ અને પીવાના પાણી માટે વલખા મારવા મજબુર બન્યા છે
દાંતીવાડા અને મોક્તેશ્વરમા પીવાના પાણીનો જથ્થો છે જોકે સીપુ ડેમના કિનારે આવેલા 20 જેટલા ગામડા માટે ખૂબ મુશ્કેલી ઉભી થઇ છે કારણ કે સીપુ ડેમથી નજીકમાં જ હોવા છતાં પણ આ ગામડાઓમાં સિંચાઈ તો ખરીજ પરંતુ પીવાના પાણીની પણ સમસ્યા છે… સિંચાઈ માટે તો પાણી નથી જ ત્યારે મોટેભાગે ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરતાં ગામડાના લોકો ને સિંચાઇ અને પીવાના પાણી માટે વલખા મારવા મજબુર બન્યા છે.
20 ગામડા હોવા છતાં ત્યાં ખેડૂતોના ખેતરમાં બોર પણ ફેલ થઇ રહ્યા છે
સીપુ ડેમ નજીક જ 20 ગામડા હોવા છતાં ત્યાં ખેડૂતોના ખેતરમાં બોર પણ ફેલ થઇ રહ્યા છે અને સિંચાઈનું પાણી પણ નથી ત્યારે સીપુ ડેમમાં વર્ષ 2017 માં પાણી આવ્યું હતું. ત્યારબાદ સીપુ ડેમ ભરાયો જ નથી અને જેને કારણે કાંઠે રહેતા ગામડાના લોકોને પાણીની મોટી સમસ્યા ઊભી થઈ છે આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે નર્મદા નદી અથવા તો દાંતીવાડા કેનાલમાંથી સીપુ ડેમમાં પાણી નાખવામાં આવે તો ખેડૂતોની ખેતી ફરી જીવંત થાય અને ખેડૂતો જીવી શકે જો કે ખેડૂતો અત્યારે તો સરકાર પાસે માંગ કરી રહ્યા છે પરંતુ હવે તંત્ર ક્યારે અને કેવી રીતે આ પીડિત ખેડૂતોની વ્હારે આવે છે તે જોવું રહ્યું.
ગુજરાતના અને બનાસકાંઠા જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો