AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar જીલ્લાના ડેમોમાં સરેરાશ 38 ટકા પાણીનો જથ્થો, સિંચાઇના પાણી માટે ખેડૂતો ચિંતિત

જામનગર જીલ્લાના મુખ્ય 25 ડેમમાંથી મોટાભાગના ડેમમાં 37 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે. જેના કારણે સિંચાઇ માટે ખેડુતો ચિંતિત બન્યા છે.

Jamnagar જીલ્લાના ડેમોમાં સરેરાશ 38 ટકા પાણીનો જથ્થો, સિંચાઇના પાણી માટે ખેડૂતો ચિંતિત
average of 38 per cent water in the dams of Jamnagar district farmers worried for irrigation water
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 14, 2021 | 8:19 PM
Share

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો છે. ઓગસ્ટના બે સપ્તાહ સુધી હજુ પણ ક્યાંય વરસાદ થયો નથી. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ડેમના તળીયા દેખાયા છે. જામનગર જીલ્લાના મુખ્ય 25 ડેમમાંથી મોટાભાગના ડેમમાં 37 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે. જેના કારણે સિંચાઇ માટે ખેડુતો ચિંતિત બન્યા છે.

સૌરાષ્ટ્રના જામનગરમાં ઓગષ્ટના અડધા માસ બાદ વરસાદ થયો નથી. જિલ્લાના ડેમોમાં સરેરાશ 38% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે જામનગરમાં પીવા માટે પાણી ડેમોમાં રિઝર્વ રાખીને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવું આયોજન થઈ રહ્યું છે.

ખેડૂતો દ્વારા સિંચાઇ પાણી માટે રજુઆત કરવામાં આવીછે ત્યારે 90 એમસીએફટી જેટલો પાણીનો જથ્થો સિંચાઇ માટે આપી શકાય તેમ છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ સક્ષમ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. રણજીતસાગર, ઊંડ-1, સસોઇ, જામનગરને પાણી આપતા મહત્વના ડેમોમાં દોઢ મહિના સુધી ચાલે તેટલું જ પાણી છે.

ત્યારે આગામી સમયમાં જામનગર સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારિત બની રહેશે. આમ જામનગર જિલ્લાના ડેમો સરેરાશ 38 ℅ જેટલા ભરેલા છે.

જામનગર શહેરની 7 લાખની વસ્તીને એકાંતરે પાણી વિતરણ કરવામાં આવે છે. જે માટે રણજિતસાગર, સસોઈ અને ઊંડ માથી 25 , 25 એમએલડી તેમજ આજી-3 માથી 38 એમએલડી અને નર્મદા આધારિત 15 એમએલડી પાણી વિતરણ કરવામાં આવે છે. ૩૦ સેપ્ટમ્બર સુધી ચાલે તેટલું પાણી છે. અને ત્યારબાદ જો વરસાદ ખેંચાય તો નર્મદા આધારિત પાઇપલાઇન દ્વારા શહેરમાં પાણી વિતરણ કરવામાં આવશે અને આગામી એક માસ સુધી શહેરને પાણીની તકલીફ નહીં પડે. કયા ડેમમાં કેટલું પાણી

સસોઈ. : 22.49%

પન્ના : 40.80%

ફુલઝર – 1 : 100%

સપડા. : 23.23%

ફુલઝર -2 : 12.94%

વિજરખી : 30.82%

રણજીત સાગર : 40.61%

ફોફળ -૨ : 38.77%

ઉંડ -૩ : 54.55%

આજી – 4 : 22.14%

રંગમતી : 12.95%

ઉંડ-૧ : 46.23%

કંકાવટી : 0.66%

ઉંડ-2 : 0.57%

વોડીસંગ : 100%

રૂપાવટી : 2%

સાસોઈ -૨ : ૦.૦૦%

વનાણા : 5.82%

વાગડીયા : 87.74%

ઉંડ – 4 : 3.05%

શહેરી વિસ્તારમાં નર્મદાના નીર પહોંચી શકશે. પરંતુ ખેડુતો હાલથી ચિંતિત બન્યા છે. જામનગર જિલ્લાના ખેડૂતોએ એક વરસાદ બાદ વાવણી તો કરી લીધી છે પરંતુ આ વર્ષે વરસાદ ન થતા ખેડૂતોના ઉભા પાક પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. એક તરફ પીવા માટેનું પાણી પણ હવે દોઢ મહિના ચાલે તેટલું જ છે તેમાં ડેમોમાં પાણીની અછત સર્જાય તેવા એંધાણ છે તેમાં સિંચાઈનું પાણી ન મળે તો ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે.

જામનગરના કાલાવડ અને જામજોધપુર બે તાલુકાના વરસાદનો એક રાઉન્ડ આવતા તે વિસ્તારના કેટલાક ડેમમાં પાણી છે. પરંતુ અન્ય વિસ્તારોમાં ડેમના તળીયા દેખાયા છે. ખાસ કરીને જોડીયા વિસ્તારના ખેડુતોની હાલત કફોડી બની છે. તેથી સિંચાઈ માટે પાણીની માંગ કરવામાં આવી છે.

વરસાદ ખેચાતા જીલ્લાના ડેમ ખાલી થતા જાય છે. હાલ 38 ટકા ડેમમાં પાણીનો જથ્થો હોવાથી ખાસ ખેડુતોની મુશ્કેલી વધી છે. ત્યારે ખેડૂતો સારો વરસાદ થાય તેવી આશ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો : Health Tips: શું કામના ભારણથી તમે પણ ઓછી ઊંઘ લો છો? તો આ નુકશાન થઈ શકે છે

આ પણ વાંચો :Love Story: સોનમ કપૂરની આ ફિલ્મથી શરુઆત થઈ હતી રિયા-કરણની અફેર, 2013માં લગ્ન કરવાના હતા બંને  

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">