અરવિંદ કેજરીવાલનું ટ્વિટ : ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ વહેલી યોજાઇ શકે છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal On Gujarat Election Dates) મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા છે.

અરવિંદ કેજરીવાલનું ટ્વિટ : ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ વહેલી યોજાઇ શકે છે
CM Kejriwal (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 9:25 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly elections 2022) પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન (Arvind Kejriwal On Gujarat Election Dates) આપ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાત વિધાનસભાનું ભંગ કરીને આગામી સપ્તાહે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત કરશે? શું તમે આટલા ડરી ગયા છો? કેજરીવાલનું આ નિવેદન તેમના ગુજરાત પ્રવાસ પર (Arvind Kejriwal Gujarat Tour) જાય તે પહેલા જ સામે આવ્યું છે. કેજરીવાલ આજે 30મી એપ્રિલે રાત્રે 9 વાગે સુરત એરપોર્ટ પહોંચશે. અને રાત્રે સુરત સર્કિટ હાઉસ ખાતે રોકાશે.

બીજી તરફ કેજરીવાલ 1 મેના રોજ સવારે 9 વાગ્યે સર્કિટ હાઉસથી ભરૂચ જવા રવાના થશે. સવારે 11 વાગ્યે કેજરીવાલ છોટુભાઈ વસાવાના ગામ માલજીપુરા પહોંચશે, જ્યાંથી બંને નેતાઓ સાથે મળીને સંમેલન સ્થળ ચંદેરિયા જશે. આ પછી કેજરીવાલ બપોરે 12:30 વાગ્યે ચંદેરિયામાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધિત કરશે. બપોરે 1:30 થી 3 દરમિયાન છોટુભાઈ વસાવાના ઘરે ભોજન લેશે અને પક્ષના નેતાઓ સાથે બેઠક કરશે. આ પછી કેજરીવાલ બપોરે 3 વાગ્યે વડોદરા એરપોર્ટ જવા રવાના થશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વિધાનસભાની ચૂંટણી પહેલા AAPનું કદ વધી રહ્યું છે

આ સાથે જ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. દરમિયાન કોંગ્રેસ નેતા કૈલાશ ગઢવી રવિવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ગઢવી AAP કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મળ્યાના એક દિવસ પછી, તેમણે ઔપચારિક રીતે કોંગ્રેસના 300 પદાધિકારીઓ સાથે પક્ષ બદલી નાંખ્યો. ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વંશ વધી રહ્યો છે. રાજ્યના ઘણા મોટા નેતાઓ AAPમાં જોડાઈ રહ્યા છે.

“25 વર્ષથી રાજ્યમાં સત્તામાં રહીને ભાજપમાં ઘમંડ ભરાઈ ગયો છે”

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના તેમના સમકક્ષ ભગવંત માને અમદાવાદ, ગુજરાતમાં રોડ શો કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે 25 વર્ષથી રાજ્યમાં સત્તામાં રહીને ભાજપમાં ઘમંડ ભરાઈ ગયો છે. કેજરીવાલે ગુજરાતની જનતાને કહ્યું કે તમે આમ આદમી પાર્ટીને તક આપો. કેજરીવાલે કહ્યું કે હું કોઈ પાર્ટીને નુકસાન કરવા નથી આવ્યો, ભાજપ કોંગ્રેસને હરાવવા નથી આવ્યો. હું ગુજરાત અને ગુજરાતીઓને જીતાડવા આવ્યો છું. 25 વર્ષમાં અહંકારી બની ગયા છે, જનતાનું સાંભળતા નથી. AAP ને એક તક આપો, બધા પક્ષો ભૂલી જશે, ના ગમતું હોય તો બદલો.

આ પણ વાંચો: Coal Crisis: પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધીને ‘બનાવટી જ્યોતિષ’ કહ્યા, કોંગ્રેસ સરકારના કોલસા કૌભાંડ પર પણ નિશાન સાધ્યું

આ પણ વાંચો: PM મોદી મે મહિનામાં 3 દેશની મુલાકાત લેશે, 65 કલાક દરમિયાન 25 કાર્યક્રમોમાં સામેલ થશે, 50 ઉદ્યોગપતિઓને મળશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">