કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં પદાધિકારીઓની બેઠકમાં અર્જુન મોઢવાડિયાની ગેરહાજરી
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં પક્ષના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સિધ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી, મધુસુદન મિસ્ત્રી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. પરંતુ અર્જુન મોઢવાડિયા અને તુષાર ચૌધરીની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. કોંગ્રેસની આગામી રણનીતિ માટે યોજાયેલી અગત્યની બેઠકમાં અર્જુન મોઢવાડિયાની ગેરહાજરીને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. મોઢવાડિયાએ થોડા સમય પહેલા ટ્વીટ કરી […]
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં પક્ષના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સિધ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી, મધુસુદન મિસ્ત્રી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. પરંતુ અર્જુન મોઢવાડિયા અને તુષાર ચૌધરીની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. કોંગ્રેસની આગામી રણનીતિ માટે યોજાયેલી અગત્યની બેઠકમાં અર્જુન મોઢવાડિયાની ગેરહાજરીને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. મોઢવાડિયાએ થોડા સમય પહેલા ટ્વીટ કરી ઉઠાવ્યા હતા અનેક સવાલો ઉભા કર્યા હતા. ત્યાર બાદ પક્ષની બેઠકમાં પણ અર્જુન મોઢવાડીયાની ગેરહાજરી જોવા મળી હતી.
આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓને ટેબલેટના વિતરણ મામલે સરકાર પર આક્ષેપો મુદ્દે CM વિજય રૂપાણીએ આપ્યો પડકાર
બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સભ્ય નોંધણી ઝુંબેશને વેગવંતી બનાવવા કવાયત શરૂ કરી છે. 1લી માર્ચથી કોંગ્રેસ રાજ્યમાં ડીજીટલ સભ્ય નોંધણી શરૂ કરશે. ત્યારે તમામ હોદ્દેદારો અને નેતાઓને પણ લોકોના ધરે જઈને સભ્ય નોંધણી કરવા જણાવ્યું છે. સભ્ય નોંધણી ઝૂબેશ બાદ કોંગ્રેસ સંગઠન માળખું તૈયાર કરશે. સભ્ય નોંધણી અને કામગીરીના આધારે નવું સંગઠન બનાવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો