AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvalli: શામળાજીમાં કાળીયા ઠાકોરને સોનાના આભૂષણોનો શણગાર, મંદિરમાં ‘નંદ ઘેર આનંદ ભયો..’નો જય જયકાર

ગુજરાતમાં (Gujarat) વિવિધ કૃષ્ણ મંદિરમાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ડાકોર, શામળાજી, દ્વારકા અને વિવિધ સ્થળે આવેલા ઇસ્કોન મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવને લઇને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. 

Arvalli: શામળાજીમાં કાળીયા ઠાકોરને સોનાના આભૂષણોનો શણગાર, મંદિરમાં 'નંદ ઘેર આનંદ ભયો..'નો જય જયકાર
અરવલ્લીના શામળાજીમાં પમ ભક્તોમાં અનેરો ઉત્સાહ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 12:52 PM
Share

દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની (Janmashtami) ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારકા અને શામળાજીની અને ડાકોરમાં જન્માષ્ટમીના પર્વ પર મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. અરવલ્લીના (Aravalli) શામળાજીમાં (Shamlaji) વહેલી સવારથી જ મંદિર ભક્તોથી ઉબરાયુ છે. શામળાજી મંદિરને જન્માષ્ટમી નિમિત્તે સજાવવામાં આવ્યુ છે. ભક્તો ભગવાન કૃષ્ણના જન્મને વધાવવા આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જન્માષ્ટમીના પ્રસંગે શામળાજીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

શામળિયાને વિશેષ શણગાર

શ્રીકૃષ્ણના જન્મોત્સવના પાવનપર્વે ભક્તો કૃષ્ણમય બન્યા છે. અરવલ્લીના શામળાજી મંદિરમાં કાળીયા ઠાકોરને સોનાના આભૂષણો, મુગુટ, અને સોનાની વાંસળી સહીતનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરમાં શામાળીયાની શણગાર આરતી પણ યોજાઈ હતી. મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. શામળાજી મંદિર પરિસરમાં કૃષ્ણ જન્મોત્સવને લઈ મંદિરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી કૃષ્ણભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. જનમાષ્ટમીના તહેવારના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાના જન્મોત્સવને હર્ષોલ્લાસ સાથે મનાવવા મંદિરને રંગબેરંગી રોશની અને આસોપાલવના તોરણથી શણગારવામાં આવ્યું છે.

ભક્તોમાં આતુરતા

ભગવાન શ્રીકૃષ્ણના (Lord Krishna)  જન્મોત્સવને વધાવવાનો અનેરો અવસર એટલે જન્માષ્ટમી. ગુજરાતમાં શામળાજી સહિત તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા બન્યા છે. કોરોનાકાળમાં બે વર્ષ દરમિયાન મંદિરોમાં ભક્તો ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ મનાવી શકતા ન હતા. જો કે આ વર્ષે કોઇપણ પ્રતિબંધો વગર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભક્તો ઉત્સવને આનંદપૂર્ણ માણવા માટે ખૂબ જ આતુર બન્યા છે.

ગુજરાતમાં વિવિધ કૃષ્ણ મંદિરમાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ડાકોર, શામળાજી, દ્વારકા અને વિવિધ સ્થળે આવેલા ઇસ્કોન મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવને લઇને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.  ભક્તો પણ મોટી સંખ્યામાં આ જન્મોત્સવની ઉજવણીમાં જોડાઇ રહ્યા છે. શ્રદ્ધાળુઓ દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર શ્રીજીના વિવિધ દર્શનનો લહાવો લઇ રહ્યા છે. હાલ ભક્તો ભગવાનના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">