Anand : બોરસદમાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસે ટીયરગેસના 50 સેલ છોડ્યા, હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
આણંદ પોલીસે (Anand Police)સમગ્ર કેસમાં 14 જેટલા શખ્સોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદના(Anand) બોરસદમાં મોડીરાત્રે પથ્થરમારાની ઘટના બની હતી.શહેરના બ્રાહ્મણવાડા વિસ્તારમાં (Brahmanvada) એક ધાર્મિક સ્થળની જગ્યાના વિવાદમાં બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. જમીન વિવાદને લઈને પોલીસ જ્યારે સમાધાન કરાવવા પહોંચી હતી ત્યારે આ ઘટના બની હતી. પોલીસની(Anand police) સમજાવટ દરમિયાન એક જૂથના લોકોએ બીજા જૂથના લોકો સાથે માથાકૂટ કરી હતી અને આ દરમિયાન બંને જૂથ સામસામે આવી ગયા હતા.
જુઓ વીડિયો
Clash erupted between two groups in Brahmanvad ,late night #Anand #Gujarat #TV9News pic.twitter.com/pOdUOkXnrD
— Tv9 Gujarati (@tv9gujarati) June 12, 2022
પોલીસને ટિયરગેસ છોડવાની ફરજ પડી
જેમા પથ્થરમારાની ઘટના બની હતી. અસામાજીક તત્વોએ દેરાસર બહાર લગાવેલા સીસીટીવી કેમેરાને(CCTV) પણ તોડ્યા હતા.તો એક પોલીસકર્મીને પણ પેટમાં છરી મારી દેવાઈ હતી.જોકે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા. હાલ તો પોલીસે સમગ્ર કેસમાં 14 જેટલા શખ્સોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.