AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: રખડતા ઢોરે એક જ દિવસમાં બે વૃદ્ધોને અડફેટે લીધા બાદ પાલિકા જાગી, એજન્સીને કામે લગાડવા કવાયત હાથ ધરી

લગભગ એકથી દોઢ કલાકના સમયગાળામાં આણંદ (Anand) શહેરના બે અલગ-અલગ સ્થળોએ રખડતી ગાયોના હુમલામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જેથી સમગ્ર શહેરમાં રખડતા પશુઓ અંગે ઢીલી નીતી દાખવનાર પાલિકા તંત્રના સત્તાધિશો સામે ભારે રોષ ભભૂક્યો હતો.

Anand: રખડતા ઢોરે એક જ દિવસમાં બે વૃદ્ધોને અડફેટે લીધા બાદ પાલિકા જાગી, એજન્સીને કામે લગાડવા કવાયત હાથ ધરી
Stray Cattle (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 7:53 PM
Share

આણંદ (Anand) શહેરમાં છેલ્લા ઘણા સમયતી રખડતા ઢોરના (Stray Cattle) કારણે અનેક લોકોને ઇજાઓ પહોંચવાની ઘટનાઓ સામે આવી છે. રવિવારે આણંદના બે અલગ-અલગ વિસ્તારમાં રખડતી ગાયોએ લોકોને અડફેટે લીધા હતા. આણંદ શહેરમાં રવિવારે પેટલાદના (Petlad) વૃદ્ધા અરખાબેન ઠાકોરને જ્યારે બાલુપુરા રોડ પર રહેતા વૃદ્ધ ચંદુભાઈ ઠાકોરને એક રખડતી ગાયે અડફેટે લીધા હતા. તો બીજા એક વૃદ્ધ મહિલાને પણ રખડતી ગાયે અડફેટે લીધા હતા. ત્યારે હવે આણંદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને રખડતા પશુઓને પાંજરે પુરવા માટે આગામી સપ્તાહથી એજન્સીને કામે લગાડવા કવાયત હાથ ધરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આણંદ શહેરમાં કલ્પના સિનેમા તરફ જવાના રોડ સ્થિત જૂની આઈસ ફેક્ટરી પાસે રવિવારે પેટલાદના વૃદ્ધા અરખાબેન ઠાકોરને જ્યારે બાલુપુરા રોડ પર રહેતા વૃદ્ધ ચંદુભાઈ ઠાકોરને એક રખડતી ગાયે શિંગડે ભરાવ્યા હતા. જેમાં ચંદુભાઈની હાલત ખૂબ ગંભીર છે અને તેમને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રખડતા ઢોરનો આણંદ શહેરમાં ઘણા સમયથી આતંક હોવા છતા પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી.

આણંદ પાલિકાના સત્તાધીશો હરકતમાં આવ્યા

લગભગ એકથી દોઢ કલાકના સમયગાળામાં આણંદ શહેરના બે અલગ-અલગ સ્થળોએ રખડતી ગાયોના હુમલામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જેથી સમગ્ર શહેરમાં રખડતા પશુઓ અંગે ઢીલી નીતી દાખવનાર પાલિકા તંત્રના સત્તાધિશો સામે ભારે રોષ ભભૂક્યો હતો. આ ગંભીર ઘટનાઓ સામે આવ્યા બાદ હવે પાલિકાએ રખડતા ઢોર પર કાબુ મેળવવા કામગીરી હાથ ધરી છે. આજે આણંદ પાલિકાના સત્તાધીશો આ મામલે હરકતમાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુલાર રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા બાદ જેતે એજન્સી દ્વારા આ અંગે કામગીરી કરવામાં ન આવતા અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી. પરંતુ રવિવારની ઘટના બાદ એજન્સીનો સંપર્ક કરી કડક વલણ દાખવવામાં આવતા આજે એજન્સી દ્વારા સીક્યુરીટી ડીપોઝીટ ભરવામાં આવી છે. સરકાર દ્વારા રખડતા પશુઓ અંગેના એક્ટને લઈ કામગીરી ગૂંચમાં પડી હતી. પરંતુ આગામી સપ્તાહથી આણંદ શહેરમાં રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને જે પેટે પશુ માલિક પાસેથી દંડ પેટે રૂ. 2400ની વસૂલાત કરવામાં આવશે.

રખડતાં ઢોરને ટેગ મારવાની કામગીરી ખોરંભ ચઢી

શહેરમાં રખડતાં ઢોર કેટલાં છે તેની કોઇ જ માહિતી પાલિકા પાસે નથી. અગાઉ પાલિકા દ્વારા રખડતાં ઢોરની ગણતરી કરવા અને તેના માલિક કોણ છે તેની જાણકારી મળી રહે તે માટે કાને ટેગ મારવાની વાત કરી હતી. જોકે, આ વાતને બે વર્ષ થઈ ગયા પરંતુ આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

Follow Us
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
g clip-path="url(#clip0_868_265)">