Bhavnagar: કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો, પણ હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા માત્ર 4 ટકા

હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં 300થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. ત્રીજી લહેર દરમિયાન પોઝિટિવ આવેલા કુલ દર્દીઓમાંથી હાલમાં માત્ર 6 દર્દીઓ જ ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Bhavnagar: કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો, પણ હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા માત્ર 4 ટકા
Vaccination In Bhavnagar (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 7:33 AM

રસીકરણના કારણે  ફાયદો, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પણ ઓક્સિજન-વેન્ટીલેટરની જરૂરિયાત નહીં

કોરોના (Corona)ની ત્રીજી લહેર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો  280% ની ઝડપે વધી રહયા છે. કેસો વધતા રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. પરંતુ આ બધા સંકટના સમાચાર વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે ત્રીજી લહેર (third wave)માં કોરોના દર્દીઓ (Corona patients)નો હોસ્પિટલમાં એડમિટ થવાનો રેસિયો માત્ર 4% છે. જેનુ કારણ રસીકરણને માનવામાં આવે છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ નહિવત દાખલ થઈ રહ્યા છે અને નહિવત લોકોને ઓકસીજન કે વેન્ટિલેટર પર લઈ જવા પડે છે. ભાવનગરમાં જે લોકોએ રસીના એક કે બંને ડોઝ લઇ લીધા છે તેમને કોરોના ભલે થયો હોય પરંતુ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિ જોવા નથી મળી રહી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં 300થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. ત્રીજી લહેર દરમિયાન પોઝિટિવ આવેલા કુલ દર્દીઓમાંથી હાલમાં માત્ર 6 દર્દીઓ જ ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાકીના દર્દીઓએ રસી મુકાવી હોવાના કારણે હોમ આઇસોલેશનમાં જ સારવાર લઈ રહયા છે. જે દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમને પણ ઓકસીજન કે વેન્ટીલેટરની જરૂરિયાત ઊભી નથી થઇ.

ભાવનગરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મળીને કુલ માત્ર 28 દર્દીઓ જ સારવાર હેઠળ છે. કોરોના સામે રસી હકીકતમાં ત્રીજી લહેર સામે લડવામાં લોકોને મદદરૂપ બની રહી છે.

બીજી તરફ ભાવનગરની સર.ટી.હોસ્પિટલનું ખૂબ સાબદુ બની ત્રીજી લહેર સામે તૈયારી સાથે કામ કરી રહ્યું છે. હાલ ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં તંત્રએ 1030 ઓકસીજન બેડ,187 વેન્ટીલેટર બેડ, સ્પે. 20 બેડનો ઓમીક્રોન વોર્ડ સહિતની તૈયારી કરી છે. હોસ્પિટલ દ્વારા મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરાઇ હોવા છતાં હોસ્પિટલ સુધી કોરોના પોઝિટિવ દર્દીઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં પહોંચે છે.

મહત્વનું છે કે 18 જાન્યુઆરીના રોજ ભાવનગરમાં કોરોનાના નવા 102 કેસ નોંધાયા છે અને છેલ્લા થોડા દિવસથી 100ની આસપાસ કેસ નોંધાઇ રહ્યા છે. જો કે ભાવનગરમાં નાગરિકોએ મોટી સંખ્યામાં રસીકરણ કરાવી દીધુ છે. જેના પગલે લોકોને ત્રીજી લહેરમાં પણ હાલાકીનો સામનો નથી કરવો પડી રહ્યો.

આ પણ વાંચોઃ

ગુજરાતના મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારીઓની હવે ખેર નહિ, એસઆઇટીની રચના કરાશે

આ પણ વાંચોઃ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">