AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“અમરેલીમાં રહેતા યુવાનોના લગ્ન નથી થતા !” ભાજપના નેતા ડૉ ભરત કાનાબારે કર્યું ટ્વિટ

અમરેલી ભાજપના નેતાએ ડૉ ભરત કાનાબારે સામાજિક સમસ્યાને લઈને કરેલા એક ટ્વીટે ભારે ચર્ચા જગાવી છે અને સહુ કોઈને વિચારતા કરી દીધા છે. ડૉ ભરત કાનાબારે પોસ્ટમાં જણાવ્યુ છે કે અમરેલીમાં રહેતા યુવાનોના લગ્ન નથી થતા. અમરેલીમાં રહેતા હોય તો દીકરી પક્ષવાળા કંઈ જોયા વિના સીધી ના જ પાડી દે છે.

અમરેલીમાં રહેતા યુવાનોના લગ્ન નથી થતા ! ભાજપના નેતા ડૉ ભરત કાનાબારે કર્યું ટ્વિટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2025 | 4:34 PM
Share

અમરેલી ભાજપના નેતા ભરત કાનાબાર અવારનવર તેમના નિવેદનો અને પોસ્ટને લઈને ચર્ચામાં આવતા રહે છે. આ વખતે તેમણે સોશિયલ મીડિયા X પર કરેલી પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે. ભરત કાનાબારે જણાવ્યુ કે અમરેલીમાં રહેતા યુવકોને કોઈ દીકરી નથી આપતુ અને તેમના લગ્ન નથી થતા. અમરેલીનું નામ પડતા જ સંબંધમાં વાત આગળ ચાલતી નથી. ડૉ કાનાબારે જણાવ્યુ કે આ માત્ર કોઈ એક સમાજની નહીં પરંતુ દરેક જ્ઞાતિઓની આ જ વ્યથા છે.

તેમણે લખ્યુ છે, “મારા એક સંબંધી મને મળવા આવ્યા કે મારી દુકાન વેચવાની છે કેમ કે હવે મારે રાજકોટ શિફ્ટ થવું છે. એમની દુકાન પણ સારી ચાલે છે અને અમરેલી તેમના બાપ-દાદાના વખતથી વતન છે પણ આમ છતાં એમણે મને જયારે અમરેલી છોડવાનું કારણ આપ્યું ત્યારે મને ખુબ જ આશ્ચર્ય થયું.

એમના કહેવા પ્રમાણે અમરેલીમાં રહેતા હોવાને કારણે એમના દીકરાનો સંબંધ થઇ રહ્યો નથી. કુટુંબ આર્થિક રીતે સુખી, ઘરનું મકાન, દીકરો પણ ભણેલો અને ધંધા સગડ છતાં અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સીધી ના જ પાડી દે છે.

ઘડીભર તો મને થયું કે અમરેલી અફઘાનિસ્તાનમાં આવ્યું છે કે શું ? પછી બીજા મિત્રોને પૂછ્યું તો જાણવા મળ્યું કે માત્ર અમારી જ્ઞાતિમાં જ નહિ પણ અમરેલીમાં રહેતા હોવાને કારણે ઘણી બધી જ્ઞાતિમાં અમરેલીમાં દીકરીઓ વાળા સંબંધ કરવા તૈયાર થતા નથી.

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના અમરેલીની આ સ્થિતિ માટે કોને જવાબદાર ગણવા ?”

મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા જિન્ના હાઉસ પર હાલ કોની માલિકી છે? જિન્ના પરિવારની કે સરકારની?

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">