AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલીમાં ભરઉનાળે સર્જાઈ પાણીની તંગી, પાઈપલાઈનના અધૂરા કામથી રાજુલા, જાફરાબાદમાં તોળાયુ જળસંકટ- Video

એક તરફ ધોમધખતો તાપ પડી રહ્યો છે.  આકાશમાંથી સૂરજદેવ જાણે અગનગોળા વરસાવી રહ્યા છે, એવા સમયે જ અમરેલીમાં પાણીની તંગી સર્જાઈ છે. રાજુલા અને જાફરાબાદમાં પાઈપલાઈનના અધૂરા કામને કારણે જળસંકટ સર્જાયુ છે. હાલ પાઈપલાઈનની કામગીરી ઠપ્પ હોવાથી પાણી મળશે કે કેમ તે મોટો સવાલ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2025 | 4:56 PM

અમરેલી જિલ્લામાં આવેલા ધાતરવડી ડેમ-1માંથી રાજુલા અને જાફરાબાદ પંથકને પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ જૂની પાઇપલાઇન જર્જરિત હોવાથી નવી પાઇપલાઇન નાંખવાની મંજૂરી પણ મળી, પરંતુ નવી પાઇપલાઇન નાંખવાની કામગીરી ઠપ હોવાથી રાજુલા અને જાફરાબાદ એમ બંને નગરપાલિકાને પાણી મળશે કે કેમ તે પ્રશ્ન ઉભો થયો છે.

હાલ કાળઝાળ ગરમી વચ્ચે બંને શહેરો પર જળસંકટ તોળાઇ રહ્યું છે. ત્યારે રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાની ટીમ, ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ તેમજ સ્થાનિકોએ રેલી યોજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો. તેમજ જળસંકટને ટાળવા પાઇપલાઇનનું કામ સત્વરે પૂર્ણ કરવાની માગ કરી.

થોડા દિવસો પહેલા ધાતરવડી ડેમમાંથી પાણીની પાઇપલાઇન નાંખવા મુદ્દે કેટલાક ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના કારણે પાઇપલાઇનની કામગીરી ટલ્લે ચઢી છે. જો અન્ય નગરપાલિકાના સંપ થકી બંને શહેરને પાણી મળે તો આવતા 25 વર્ષ સુધી પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે. જો કે રાજુલા અને જાફરાબાદના લોકોએ ખેડૂતોનું નામ લીધા વગર અને વિવાદથી દૂર રહી બંને નગરપાલિકાને પાણી પુરૂ પાડવામાં આવે તેવી માગ કરી છે.

TMKOC ના બબીતાજીએ કહી દીધી પોતાના મનની વાત
5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો
Plant in pot : એક જ કૂંડામાં 2 અલગ-અલગ પ્રકારના છોડ ઉગાડવાની સરળ ટીપ્સ

Input credit- Jaydev Kathi- Amreli

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">