AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલીમાં ભરઉનાળે સર્જાઈ પાણીની તંગી, પાઈપલાઈનના અધૂરા કામથી રાજુલા, જાફરાબાદમાં તોળાયુ જળસંકટ- Video

એક તરફ ધોમધખતો તાપ પડી રહ્યો છે.  આકાશમાંથી સૂરજદેવ જાણે અગનગોળા વરસાવી રહ્યા છે, એવા સમયે જ અમરેલીમાં પાણીની તંગી સર્જાઈ છે. રાજુલા અને જાફરાબાદમાં પાઈપલાઈનના અધૂરા કામને કારણે જળસંકટ સર્જાયુ છે. હાલ પાઈપલાઈનની કામગીરી ઠપ્પ હોવાથી પાણી મળશે કે કેમ તે મોટો સવાલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2025 | 4:56 PM
Share

અમરેલી જિલ્લામાં આવેલા ધાતરવડી ડેમ-1માંથી રાજુલા અને જાફરાબાદ પંથકને પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ જૂની પાઇપલાઇન જર્જરિત હોવાથી નવી પાઇપલાઇન નાંખવાની મંજૂરી પણ મળી, પરંતુ નવી પાઇપલાઇન નાંખવાની કામગીરી ઠપ હોવાથી રાજુલા અને જાફરાબાદ એમ બંને નગરપાલિકાને પાણી મળશે કે કેમ તે પ્રશ્ન ઉભો થયો છે.

હાલ કાળઝાળ ગરમી વચ્ચે બંને શહેરો પર જળસંકટ તોળાઇ રહ્યું છે. ત્યારે રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાની ટીમ, ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ તેમજ સ્થાનિકોએ રેલી યોજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો. તેમજ જળસંકટને ટાળવા પાઇપલાઇનનું કામ સત્વરે પૂર્ણ કરવાની માગ કરી.

થોડા દિવસો પહેલા ધાતરવડી ડેમમાંથી પાણીની પાઇપલાઇન નાંખવા મુદ્દે કેટલાક ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના કારણે પાઇપલાઇનની કામગીરી ટલ્લે ચઢી છે. જો અન્ય નગરપાલિકાના સંપ થકી બંને શહેરને પાણી મળે તો આવતા 25 વર્ષ સુધી પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે. જો કે રાજુલા અને જાફરાબાદના લોકોએ ખેડૂતોનું નામ લીધા વગર અને વિવાદથી દૂર રહી બંને નગરપાલિકાને પાણી પુરૂ પાડવામાં આવે તેવી માગ કરી છે.

Input credit- Jaydev Kathi- Amreli

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">