અમરેલી બેઠક પર ભાજપમાં અસંતોષ ઠારવા બેઠકનો દોર, મારામારીને લઈને હકુભા જાડેજાએ કહ્યું, નારાજગીની નથી કોઈ વાત

અમરેલી લોકસભા બેઠક પર ભાજપમાં ઉમેદવારને લઈને ઉઠેલા અસંતોષની આગને ઠારવા ભાજપે બેઠકનો દૌર શરૂ કર્યો છે. મારામારીની ઘટના બાદ ડેમેજ કંટ્રોલ માટે જિલ્લા પ્રભારી હકુભાને અમરેલી દોડાવાયા છે. હકુભા જાડેજાએ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે કલાકો સુધી બંધ બારણે બેઠક કરી હતી. ત્યારે બેઠકમાં સમાધાન પર સહમતી સધાઈ હોવાની ચર્ચા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2024 | 11:35 PM

અમરેલીમાં ગત રાત્રે ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવતા જિલ્લા પ્રભારીએ બેઠકનો દૌર શરૂ કર્યો છે. ડેમેજ કંટ્રોલ માટે અમરેલી જિલ્લા પ્રભારી હકુભા જાડેજાએ ભાજપના નેતાઓ સાથે કલાકો સુધી બંધ બારણે ચર્ચા કરી હતી. અમરેલીના પ્રભારી હકુભા જાડેજાએ પહેલા સાંસદ નારણ કાછડિયાના નિવાસસ્થાને બેઠક યોજી હતી જે બાદ સહકારી બેંકમાં દિલીપ સંઘાણી સાથે બેઠક યોજી હતી.

હકુબા જાડેજાએ બંધ બારણે કરી બેઠકો

બેઠકમાં સાંસદ નારણ કાછડિયા, ધારાસભ્ય કૌશિક વેકરીયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ ભાજપ તરફથી સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ કરાયો છે. મારામારીના પ્રકરણમાં સંડોવાયેલા સામે પાર્ટી કડક પગલાં લેવાના મૂડમાં છે. જો સંડોવણીના પુરાવા મળશે તો જવાબદાર કાર્યકરને સસ્પેન્ડ પણ કરાઇ શકે છે. વર્તમાન સાંસદ નારણ કાછડિયા અને કૌશિક વેકરિયાના સમર્થકો વચ્ચે મારામારી થયા બાદ પ્રદેશ ભાજપ તરફથી બંને નેતાઓને ઠપકો મળ્યો હોવાના પણ સમાચાર છે.

ભૂપેન્દ્ર ચુડાસમા બાદ બીજા પ્રભારી હકુભાને અમરેલી દોડાવવા પડ્યા

આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે અમરેલી સૌથી વધુ હોટ બેઠક બની ગઈ છે. અહીં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનો ભારે વિરોધ થઇ રહ્યો છે અને ઠેરઠેર ઉમેદવાર બદલવાની માગ સાથે પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરમાં સ્પષ્ટ રીતે ભરત સુતરિયાનો છેદ ઉડાડવાની માગ કરાઇ છે. ઘટનાને પગલે પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી દોડાવવામાં આવ્યા હતા. અને ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી હતી. જોકે ઉમેદવાર નહીં બદલાય તેવા દાવાના એક કલાકમાં મોડીરાત્રે ભાજપના જ બે જૂથ બાખડ્યા. જે કાર્યકરે ઉમેદવાર બદલવાની માગ કરી તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હજી તો માંડ આ વિવાદ શમ્યો હતો ત્યાં જ પૂર્વ જિલ્લા પ્રમુખ ભરત કાનાબારની એક પોસ્ટે રાજકીય વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ ભરતભાઇ કાનાબારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી બળાપો વ્યક્ત કર્યો. જેમા તેમણે પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરતા લખ્યુ છે કે

“રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો ‘પોથીમાંના રિંગણા’બનીને રહી ગઈ છે”

“સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ બૉમ્બ છે જે મેરીટ- ગુણવત્તાના ફુરચા ઉડાડી દે છે”

“ફલાણી સીટ તો એ કોળી સમાજની ગણાય, ફલાણી પટેલ સમાજની રિઝર્વ”

“આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી ??”

આ પોસ્ટ બાદ વિવાદ વધુ વકર્યો હોવાની ચર્ચા છે. હાલ તો અમરેલી બેઠક ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઇ રહી છે. એક તરફ રૂપાલાનો વિવાદ શમ્યો નથી તો બીજી તરફ સૌરાષ્ટ્રની અમરેલી બેઠક ભાજપ માટે લોઢના ચણા ચાવવા જેવી બની છે.

Input Credit- Jaydev Kathi- Amreli

આ પણ વાંચો: અમદાવાદમાં રમાઈ રહેલી IPLમાં મતદાન અભિયાને જમાવ્યુ આકર્ષણ, સ્ટેડિયમમાં મતદાન જાગૃતિ માટે મુકાયા આકર્ષક સ્ટેન્ડી બેનર્સ- જુઓ Photos

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
g clip-path="url(#clip0_868_265)">