AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાટીદાર આંદોલન અંગેના તમામ કેસ પરત ખેંચાયા, દિનેશ બાંભણીયાએ કર્યો દાવો, હાર્દિક પટેલે પણ સરકારનો માન્યો આભાર

પાટીદાર આંદોલન અંગે થયેલા કેસોને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજદ્રોહનો કેસ પાછો ખેંચવા સરકારે કવાયત શરુ કરી હોવાનું સામે આવ્યુ છે. તમામ કેસ પરત ખેંચાયાનો દિનેશ બાંભણીયાનો દાવો છે. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દિનેશ બાંભણીયાએ ટ્વીટ કરીને માન્યો મુખ્યપ્રધાનનો આભાર માન્યો છે.

Breaking News : પાટીદાર આંદોલન અંગેના તમામ કેસ પરત ખેંચાયા, દિનેશ બાંભણીયાએ કર્યો દાવો, હાર્દિક પટેલે પણ સરકારનો માન્યો આભાર
Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 07, 2025 | 11:08 AM
Share

પાટીદાર આંદોલન અંગે થયેલા કેસોને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજદ્રોહનો કેસ પાછો ખેંચવા સરકારે કવાયત શરુ કરી હોવાનું સામે આવ્યુ છે. તમામ કેસ પરત ખેંચાયાનો દિનેશ બાંભણીયાનો દાવો છે. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દિનેશ બાંભણીયાએ ટ્વીટ કરીને માન્યો મુખ્યપ્રધાનનો આભાર માન્યો છે.

હાર્દિક પટેલે ટ્વીટ કરી આભાર માન્યો

પાટીદાર આંદોલનના કેસોમાં રાજ્ય સરકાર દ્વારા રાજદ્રોહ સહિતના ગંભીર કેસો પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. દિનેશ બાંભણીયા અને હાર્દિક પટેલે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને મુખ્યમંત્રી અને ભાજપ સરકારનો આભાર માન્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, “યુવાનો પર લાગેલા રાજદ્રોહના તમામ કેસ પરત ખેંચવા બદલ ખૂબ આભાર.” આ નિર્ણય પાટીદાર સમાજ અને તેની પછાત હક માટે મહત્વપૂર્ણ છે.

14 જેટલા કેસ પરત લેવાયાની માહિતી

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દ્વારા, દ્વારા પાટીદાર આંદોલનના મુદ્દે કેસો રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા હોવાના સમાચાર છે. જેમાં હાર્દિક, દિનેશ, ચીરાગ, અલ્પેશ સહિત આરોપી બનાવવામાં આવ્યા હતા. દિનેશ બાંભણિયાએ જણાવ્યુ કે આજે પાટીદાર આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે. જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું. આ કેસો પૈકી અલ્પેશ કથીરિયા, હાર્દિક પટેલ, ચીરાગ પટેલ, ચીરાગ દેસાઈ, વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે. ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે બાબતે હું એમનો આભાર માનું છું.

પાટીદાર આંદોલનની વાત કરવામાં આવે તો તે આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે આંદોલન થયું હતુ. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન પટેલને રાજીનામું આપવું પડ્યું હતુ. સત્તા પલટ થઇ અને સીએમનો ચહેરો બદલાયો અને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા. જો કે આ સમયની અંદર પાટીદાર સામેના જે અન્ય કેસો એક પછી એક પાછા લેવામાં આવી રહ્યા હતા. જે પાટીદાર યુવાનો મરી ગયા હતા તેને લઈને પણ નારાજગી હતી. હવે ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા ત્યારથી અત્યાર સુધીમાં અલગ અલગ વખતે છથી સાત બેઠકો ખુદ ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર આગેવાનોએ થઈ ચૂકી હતી. પાટીદાર સમાજના આગેવાનો હોય કે પછી જે રાજકારણના આગેવાનો હોય તેમની પણ બેઠક થઈ હતી અને કેસો પાછા લઈ લેવા જોઈએ.તેવી લાગણી આ બેઠકોમાં વ્યક્ત કરવામાં આવી હતી.

તો સમગ્ર મામલે પાટીદાર અગ્રણી મનોજ પનારાનું નિવેદન પણ સામે આવ્યું છે. આ મુદ્દે તેમણે કહ્યું કે “દેર આયે… દુરસ્ત આયે.” જો કે હજુ પણ ક્યાંક નાના-મોટા કેસ છે તેને દૂર કરવા આગળના દિવસોમાં તજવીજ હાથ ધરવાનો તેમણે દાવો કર્યો છે. આ તરફ ચિરાગ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી આ અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">