Ahmedabadમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક 168 ટકાનો વધારો!

AMCના આરોગ્ય વિભાગના ડેટા મુજબ શહેરમાં 20 જાન્યુઆરીથી 4 સપ્ટેમ્બર, 2020 દરમિયાન ડેન્ગ્યુના 25 કેસ નોંધાયા હતા. જોકે 2021માં સમાન સમયગાળામાં આ આંકડો વધીને 684 થયો હતો. જ્યારે વર્ષ 2020માં આ સમયગાળા દરમિયાન ચિકનગુનિયાના 196 કેસ હતા, જ્યારે વર્ષ 2021માં 412 પર આંકડો પહોંચ્યો છે.

Ahmedabadમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો,  ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક 168 ટકાનો વધારો!
Increase dengue cases in Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 5:44 PM

Ahmedabad: અમદાવાદ શહેરમાં કોરોના બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યુ છે, શહેરમાં સતત વધી રહેલા મચ્છરજન્ય રોગચાળાએ આરોગ્ય તંત્રની ચિંતા વધારી છે. ગયા વર્ષ 2020માં આ સમયગાળાની સરખામણીમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં (Mosquito epidemic) નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેમાં ડેન્ગ્યુના (Dengue) કેસોમાં 168 ટકાનો ભયજનક વધારો થતા તંત્રની ચિંતા વધી છે, જ્યારે ચિકનગુનિયાના કેસમાં પણ 110 ટકાનો વધારો જોવા મળ્યો છે, આ કેસ 20 જાન્યુઆરીથી 4 સપ્ટેમ્બર વચ્ચે નોંધાયા છે.

આરોગ્ય તંત્રની વધી ચિંતા

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

AMCના આરોગ્ય વિભાગના ડેટા મુજબ શહેરમાં 20 જાન્યુઆરીથી 4 સપ્ટેમ્બર, 2020 દરમિયાન ડેન્ગ્યુના 25 કેસ નોંધાયા હતા. જોકે 2021માં સમાન સમયગાળામાં આ આંકડો વધીને 684 થયો હતો. જ્યારે વર્ષ 2020માં આ સમયગાળા દરમિયાન ચિકનગુનિયાના 196 હતા, જ્યારે વર્ષ 2021માં 412 પર આંકડો પહોંચ્યો છે.

ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો

AMCના સતાવાર આંકડા અનુસાર વર્ષ 2020 દરમિયાન ડેન્ગ્યુના (Dengue case)432 અને ચિકનગુનિયાના 923 કેસ નોંધ્યા હતા. જેમાં 2021 ના પ્રથમ નવ મહિનામાં 2020 દરમિયાન નોંધાયેલા આંકડાઓની સરખામણીમાં ડેન્ગ્યુના કેસોમાં 58.3% નો વધારો થયો છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો

સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે, પરંતુ અમદાવાદ શહેરમાં વધેલા ડેન્ગ્યુ,મેલેરિયા અને ચિકનગુનિયાને પગલે આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. આરોગ્ય વિભાગના (Health Department) ડેટા અનુસાર વર્ષે 2020માં 35 ફાલ્સીપેરમના કેસ નોંધાયા હતા જ્યારે આ વર્ષે 43 કેસ નોંધાયા છે. બીજી બાજુ મેલેરિયાના કેસ વર્ષ 2020 માં 436 થી વધીને 2021 માં 489 થયા હતા. ઉલ્લેખનીય છે કે,સપ્ટેમ્બરમાં જ આરોગ્ય વિભાગ દ્વારા 6,984 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે 2021 માં 4 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુનાં 441 કેસો સામે આવ્યા છે.

ટાઇફોઇડના કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો

અમદાવાદ શહેરમાં 21 જાન્યુઆરીથી 4 સપ્ટેમ્બર વચ્ચે કોલેરાના 64 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ગયા વર્ષે કોલેરાનો એક પણ કેસ સામે આવ્યો નહોતો. ઉપરાંત ટાઇફોઇડના( Typhoid) કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Gandhinagar : સહકારી સંસ્થાઓની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં, ભાજપના સહકાર સેલની સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક

આ પણ વાંચો:  સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગોંડલ, જસદણ પંથકમાં મેઘમહેર

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">