Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે વ્યક્ત કરી ચિંતા, આક્રમતાથી લડી શકે તેવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે તેવી રજૂઆત

રાહુલ ગાંધીના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસનું મહાઅધિવેશન યોજાશે. પક્ષના પુનરુત્થાન અને 2024ની ચૂંટણી માટેની રણનીતિ પર ચર્ચા થશે. ગુજરાત કોંગ્રેસની કમજોરીઓ, સવર્ણોનો નારાજગી, મંદી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરીને ભાજપને પડકારવાનો પ્રયાસ કરાશે.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Mar 07, 2025 | 3:28 PM

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અમેઠીથી સાંસદ રાહુલ ગાંધી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજથી ગુજરાતમાં બે દિવસ માટે કોંગ્રેસનું મહાઅધિવેશન મળવા જઈ રહ્યુ છે. જે અંતર્ગત રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધીના આજના કાર્યક્રમો પર નજર કરીએ તો સૌપ્રથમ ઍરપોર્ટથી તેઓ સીધા ગુજરાત કોંગ્રેસ ભવન પહોંચ્યા. જ્યા પૂર્વ પ્રમુખો, જિલ્લા પ્રમુખો તેમજ તાલુકા પ્રમુખો સહિત અન્ય ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમજ પ્રભારી સાથે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં સામેલ થયા. આ દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. આ સાથે આક્રમક્તા સાથે લડી શકે તેવા નેતાઓને સમર્થન આપવા પણ સૂચના આપી હતી. ગુજરાતમાં મૃત:પ્રાય અવસ્થામાં આવેલી કોંગ્રેસને એક્ટિવ મોડમાં લાવી ફરી નવો પ્રાણ ફુંકવાનો પ્રયાસ કોંગ્રેસના દિગ્ગજો દ્વારા હાથ ધરાયો છે.

રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે વ્યક્ત કરી ચિંતા

આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી. મહાઅધિવેશનમાં AICC ગુજરાત કોંગ્રેસનો રોડમેપ તૈયાર કરી સોંપશે. બેઠકમાં દરેક નેતાઓની જવાબદારી સુનિશ્ચિત કરવા પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં સવર્ણ વર્ગ કોંગ્રેસથી નારાજ હોવા અંગે રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો હતો. અનેક સમસ્યાઓ હોવા છતા લોકો ભાજપને સહકાર આપે છે તે અંગે પણ સવાલ કર્યા. મંદી હોવા છતા લોકોનો રોષ કેમ બહાર નથી આવતો તે અંગે પણ રાહુલ ગાંધીએ સવાલ કર્યા. આ સાથે બેરોજગારી, મોઘવારી અને ખેડૂતોના પ્રશ્ને અંગે ચર્ચા કરવામાં આવી. કોંગ્રેસના મહાઅધિવેશન પહેલા રાહુલ ગાંધીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.

બેઠકમાં દરેક નેતાઓની જવાબદારી સુનિશ્ચિત કરવા પર ચર્ચા

રાહુલ ગાંધીના તમામ કાર્યક્રમો અમદાવાદ ખાતેના કોંગ્રેસ કાર્યાલય પર રહેવાના છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવવા માટેનો ચેલેન્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી હતી, એ ચેલેન્જને પૂર્ણ કરવા માટે રાહુલ ગાંધી ગુજરાતનો પ્રવાસ કરતા જોવા મળી રહ્યા છે. આ બે દિવસની મુલાકાત દરમિયાન રાહુલ ગ્રાસરૂટ થી લઈને તમામ સિનિયર નેતાઓેને મળશે અને ગુજરાતમાં કોંગ્રેસને કેવી રીતના મજબૂત કરી શકાય એ સંદર્ભની અંદર તેઓ રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન તમામ લોકો સાથે વાતચીત કરીને એ દિશામાં કામ કરતા રાહુલ ગાંધી જોવા મળશે.

યામી ગૌતમ બોલિવૂડમાં કેમ આવી? ખુદ જણાવ્યું કારણ
વિરાટ-ધોની ભાઈ-ભાઈ... જુઓ દોસ્તીના આ ખાસ ફોટા
Jioનો સૌથી સસ્તો પ્લાન, મળશે 336 દિવસની વેલિડિટીમાં ઘણું બધુ
રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, IPLમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો
Buttermilk: ઉનાળામાં દરરોજ છાશ પીવાના ફાયદા શું છે?
Plant in pot : એલોવેરાના પાન સુકાઈ જાય છે ? છોડના સારા ગ્રોથ માટે અપનાવો આ ટીપ્સ

આક્રમકતા સાથે લડી શકે તેવા નેતાઓને સમર્થન આપવા સૂચના

મહત્વની વાત એ છે કે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા સહિત ધરમૂળથી ફેરફાર કરવા સહિતના તમામ મુદ્દાઓ પર આ બે દિવસમાં ચર્ચા થતી જોવા મળશે. કર્ણાટકમાં છેલ્લે જ્યારે કોંગ્રેસની CWCની બેઠક મળી હતી અને એ બેઠકમાં આ સમગ્ર વર્ષને સંગઠન વર્ષ તરીકે ઉજવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.આ દરમિયાન સ્ટેટ લેવલનું સંગઠન હોય કે કેન્દ્રનું સંગઠન તમામાં આગામી સમયમાં બદલાવ લાવવામાં આવશે. જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી આ બે દિવસના પ્રવાસમાં ચાહે બ્લોક લેવલનો કાર્યકર હોય કે પછી પ્રદેશનો સિનિયર નેતા હોય એ તમામ લોકોને મળીને કોંગ્રેસમાં ધરમૂળથી બદલાવ કેવી રીતના આવી શકે આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કોંગ્રેસમાં શું થઈ શકે એ સહિતની તમામ ચર્ચાઓ આ દિવસ બે દિવસમાં કરવામાં આવશે. કાર્યકરોનો ફીડબેક મેળવશે અને ત્યારબાદ આગામી સમયમાં એ પ્રકારના બદલાવ ગુજરાત કોંગ્રેસમાં આવતા જોવા મળશે . આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા અત્યારે હાલથી સંગઠનમાં બદલાવની શરૂઆત થતી આ બે દિવસની બેઠકો બાદ આગામી સમયમાં થતી જોવા મળી શકશે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">