Gujarat માં પ્રવાસી શિક્ષકોના અભાવે શૈક્ષણિક કાર્ય પર અસર થશે, જૂની પ્રણાલી મુજબ ભરતી કરવા દેવા સંચાલકોની માગ

હાલ શાળાઓમાં 7 હજાર શિક્ષકોની ઘટ છે. આ સિવાય આચાર્ય ભરતી માટેની HMAT ના કારણે પણ બે હજાર અન્ય શિક્ષકોની જગ્યા ઉભી થશે. એટલે અંદાજીત એ ઘટ 9 થી 10 હજારની થશે.

Gujarat માં  પ્રવાસી શિક્ષકોના અભાવે શૈક્ષણિક કાર્ય પર અસર થશે, જૂની પ્રણાલી મુજબ ભરતી કરવા દેવા સંચાલકોની માગ
Gujarat  Pravasi shikshak
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jun 06, 2023 | 7:56 AM

Ahmedabad : ગુજરાતમાં(Gujarat)  નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. 35 દિવસના વેકેશન બાદ નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થતા બાળકો શાળાએ પહોંચ્યા હતા. જો કે નવા શૈક્ષણિક સત્રમાં જ પ્રવાસી શિક્ષકોના ( Pravasi shikshak )  હોવાના કારણે બાળકોના શિક્ષણ પર અસર થવાની શક્યતાઓ છે. નવા નિયમ મુજબ ટાટ પાસને જ પ્રવાસી શિક્ષક તરીકે લઈ શકાતા હોવા છતાં શાળા સંચાલકોએ ટાટ પાસ ઉમેદવારોના મળે ત્યાં સુધી જૂની વ્યવસ્થા મુજબ બીએડ પાસને પ્રવાસી શિક્ષક તરીકે ભરવા દેવા માંગ કરી છે.

35 દિવસના લાંબા ઉનાળુ વેકેશન બાદ આજથી રાજ્યભરની શાળાઓ માં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે. જો કે સ્થિતિ એવી છે કે શિક્ષકોની ઘટના કારણે શૈક્ષણિક કાર્ય પર અસર થઈ શકે છે. કાયમી શિક્ષકોની કમીને દૂર કરવા સરકાર શાળાઓમાં પ્રવાસી શિક્ષકો આપે છે. સામાન્ય સંજોગોમાં આ શિક્ષકો શાળાની શરૂઆત સાથે જ આપવામાં આવતા હોય છે.

પ્રવાસી શિક્ષકો માટે પણ ટેટ-ટાટ ફરજિયાત કરાયું

પરંતુ આ વર્ષે પ્રવાસી શિક્ષકો માટે પણ ટેટ-ટાટ ફરજિયાત કરાયું છે. જેના કારણે પ્રવાસી શિક્ષકો શાળાઓને જલ્દી મળવાની સ્થિતિ નથી. કારણ કે 4 જૂનના રોજ ટાટ પરીક્ષા યોજાઈ. જેની મેઇન્સ આગામી 18 જૂને લેવાશે. ત્યારબાદ પરિણામ અને પ્રવાસી શિક્ષક તરીકે ભરતી સહિતની પ્રક્રિયામાં લાંબો સમય વીતી શકે છે. જ્યાં સુધી પ્રવાસી શિક્ષકો ના ફાળવાય ત્યાં સુધી ઓછા શિક્ષકોએ શાળા ચલાવવી પડે એવી સ્થિતિ છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

પ્રવાસી શિક્ષકો અંગેના નિયમોના કારણે તાત્કાલિક શિક્ષક મળવાની શક્યતાઓ ઓછી છે ત્યારે શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે શિક્ષણ વિભાગને એમ છે કે થોડા દિવસ મોડા શિક્ષકો આપીશું તો શું ચાલી જશે. જો કે આ સમયગાળો 2 મહિનાનો હોઈ શકે છે. અને એના જ કારણે જૂની વ્યવસ્થા મુજબ હાલ શાળાઓને બીએડ પાસ પ્રવાસી શિક્ષકો રાખવાની મંજૂરી આપવી જોઈએ.

જો રાહ જોવામાં આવશે તો 2 મહિનાનો સમય નીકળી જશે. હાલ શાળાઓમાં 7 હજાર શિક્ષકોની ઘટ છે. આ સિવાય આચાર્ય ભરતી માટેની HMAT ના કારણે પણ બે હજાર અન્ય શિક્ષકોની જગ્યા ઉભી થશે. એટલે અંદાજીત એ ઘટ 9 થી 10 હજારની થશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">