ગુજરાતમાં Ahmedabad Airport મેડિકલ સ્ટોર ધરાવતું પ્રથમ એરપોર્ટ બન્યું, મુસાફરોને મળી રહેશે સરળતાથી દવાઓ

એરપોર્ટ ઓથોરિટી પાસેથી મળતી માહિતી પ્રમાણે મુસાફરોની માંગને ધ્યાને રાખીને એરપોર્ટ પર મેડિકલ સ્ટોર શરૂ કરાયાની માહિતી મળી રહી છે.

Darshal Raval
| Edited By: | Updated on: Jul 16, 2021 | 5:19 PM

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) દિવસેને દિવસે આધુનિક અને સુવિધા સભર બનતું જઈ રહ્યું છે. જ્યાં સમયે સમયે મુસાફરોને ધ્યાને રાખી મુસાફરોને લગતી સુવિધા ઉભી કરાય છે. જેમાં અમદાવાદ એરપોર્ટને અદાણી ગ્રુપ (Adani Group)ને સોંપ્યા બાદ મુસાફરોની સુવિધાને લઈને અનેક ફેરફાર કરાયા. ત્યારે એરપોર્ટ પર મુસાફરોને ધ્યાને રાખી વધુ એક સુવિધા શરૂ કરાઈ અને તે છે મેડિકલ સ્ટોર.

 

 

 

હવે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરી કરતા લોકોએ દવા લેવા ન તો રાહ જોવી પડશે કે ન તો બહાર જવું પડશે. કેમ કે એરપોર્ટની અંદર જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટી પાસેથી મળતી માહિતી પ્રમાણે મુસાફરોની માંગને ધ્યાને રાખીને એરપોર્ટ પર મેડિકલ સ્ટોર શરૂ કરાયાની માહિતી મળી રહી છે. જ્યાં મુસાફરો નામ આપી મોટાભાગની તમામ દવા મેળવી શકશે.

 

જેથી મુસાફરોને ઈમરજન્સી સમયે હેરાન થવાનો વારો ન આવે અને જરૂર પડે દવા મળી રહેતા દર્દીને રાહત મળે તેમજ જીવને અસર થતા પણ બચાવી શકાય. એટલુ જ નહીં પણ એરપોર્ટ પર મેડિકલ સ્ટોર શરૂ કરવાની સાથે મુસાફરોને ધ્યાને રાખી વધુ એક કામગીરી કરાઈ. જેમાં એરપોર્ટ અને મેડિકલ સ્ટોર દ્વારા એરપોર્ટ પર આવતા ટેક્ષી ડ્રાઈવર અને રીક્ષા ચાલકોને તેમજ મુસાફરોને માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવ્યા. જેથી માસ્ક પહેરી અને હાથ સેનેટાઈઝ કરી ચાલક પોતે અને મુસાફર પણ પોતે સુરક્ષિત બની અન્યને સુરક્ષિત કરી શકે.

 

 

સામાન્ય રીતે વિદેશ અને મુંબઈ તેમજ દિલ્હી ખાતે એરપોર્ટ પર મેડિકલ સ્ટોર છે પણ ગુજરાતમાં કોઈ એરપોર્ટ પર મેડિકલ સ્ટોર હોવાની માહિતી નથી મળી રહી. ત્યારે હાલમાં ગુજરાતમા અમદાવાદ એરપોર્ટ મેડિકલ સ્ટોર ધરાવતું પ્રથમ એરપોર્ટ બન્યું છે. જે એરપોર્ટ અને અમદાવાદ માટે સારી બાબત છે. જેથી જરૂર સમયે દર્દીને દવા અને મદદ બંને મળી રહે.

 

આ પણ વાંચો: ટ્રાવેલ કરતા લોકો માટે ખાસ સમાચાર, વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં આ રાજ્યમાં પ્રવેશ માટે ફરજિયાત કરવો પડશે કોરોના ટેસ્ટ

Follow Us:
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">