અમદાવાદમાં શ્વાનનો આતંક, છેલ્લા એક વર્ષમાં 60 હજાર અમદાવાદીઓને કૂતરા કરડ્યા

ગુજરાતભરમાં શ્વાન કરડવાની ઘટનાઓમાં થઈ રહેલ વધારો ચિંતાજનક છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના આંકડાઓ મુજબ ગત વર્ષ એટલે કે 2022માં અમદાવાદમાં 58,125 કેસ કુતરા કરડવાની ઘટના નોંધાઇ હતી. નિષ્ણાતોના મતે કુતરા કરવડાની ઘટનાઓમાં હડકાયા કૂતરાઓ રસીકરણ કારણે હોતા નથી. પરંતુ સાયકોલોજીકલ સ્થિતિના કારણે કૂતરાઓ કરડવાની ઘટનાઓ વધારે બનતી હોય છે

અમદાવાદમાં શ્વાનનો આતંક, છેલ્લા એક વર્ષમાં 60 હજાર અમદાવાદીઓને કૂતરા કરડ્યા
Ahmedabad Dog Nuisance
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Feb 26, 2023 | 5:49 PM

ગુજરાતભરમાં શ્વાન કરડવાની ઘટનાઓમાં થઈ રહેલ વધારો ચિંતાજનક છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના આંકડાઓ મુજબ ગત વર્ષ એટલે કે 2022માં અમદાવાદમાં 58,125 કેસ કુતરા કરડવાની ઘટના નોંધાઇ હતી. નિષ્ણાતોના મતે કુતરા કરવડાની ઘટનાઓમાં હડકાયા કૂતરાઓ રસીકરણ કારણે હોતા નથી. પરંતુ સાયકોલોજીકલ સ્થિતિના કારણે કૂતરાઓ કરડવાની ઘટનાઓ વધારે બનતી હોય છે. માત્ર જાન્યુઆરી મહિનામાં જ અમદાવાદ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં કૂતરા કરડવાની 5707 ઘટનાઓ નોંધાઇ છે.

આ સિવાય ખાનગી હોસ્પિટલોના આંકડાઓ અલગ છે. કૂતરા કરડવાની ઘટનામાં લોકોની માન્યતા કૂતરું હડકાયું થયું હોવાની વધારે હોય છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે જે ઘટનાઓ બને છે એ પૈકી માત્ર જૂજ ઘટનાઓમાં જ કૂતરું હકડાયું હોય છે.

અમદાવાદમાં હડકાયા કૂતરાની શક્યતાઓ ઓછી છે

જ્યારે બાકીની ઘટનાઓમાં કૂતરાની સાયકોલોજીકલ સ્થિતિ વધારે જવાબદાર હોય છે. જેમ કે ગાડી સાથે એક્સિડન્ટ થયેલ કૂતરું ત્યારબાદ પસાર થતી બધી ગાડીઓ સામે ભસ્યા કરે છે. વેટરનીટી ડોકટર સચિન પરમાર જણાવે છે કે લોકોએ કુતરાઓ સાથે માનવીય વ્યવહાર કરવો જોઈએ. ઘણા કેસોમાં લોકો પોતાના ઘર પાસે રહેલ કૂતરા પર ગરમ પાણી ફેંકતા હોય છે. આ સિવાય ડીસેમ્બર થી ફેબ્રુઆરી મહિનાના સમયગાળામાં માદા કુતરાઓ તેમના બચ્ચાઓને જન્મ આપતી હોવાથી એના રક્ષણને લઈ વધારે આક્રમક બનતા કરડવાની ઘટનાઓ સામે આવતી હોય છે.

રોજ ખાલી પેટ કોથમીરના પાન ચાવવાથી જાણો શું થાય છે?
Calcium For Health: કેવી રીતે ખબર પડે છે કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે?
શ્રાદ્ધ પક્ષમાં બનાવો શાનદાર પનીર રબડી
Broccoli : બ્રોકોલી છે પોષક તત્વોનો ખજાનો, જાણો અઠવાડિયામાં કેટલી વાર ખાવું?
કેવી રીતે ખબર પડે કે તમારૂ લીવર ખરાબ થઇ રહ્યું છે ?
આજનું રાશિફળ તારીખ : 21-09-2024

અમદાવાદમાં હડકાયા કૂતરાની શક્યતાઓ ઓછી છે. કારણ કે ખસિકરણ અને હડકવાની રસી આપવામાં આવે છે. કૂતરું હડકાયું થયું હોય તો તે સ્ટેબલ ના હોય અને એક જગ્યા પરથી બીજી જગ્યા પર ભાગ્યા કરતું હોય છે.

Ahmedabad Dog Bites Cases

Ahmedabad Dog Bites Cases

મનપાની ખસીકરણ  ઝુંબેશ

અમદાવાદમાં રખડતા કુતરાના ત્રાસ સામે અમદાવાદ મહાનગરપાલિકા, સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ સાથે મળી ખસીકરણ અભિયાન ચલાવે છે. અમદાવાદ મનપા વિસ્તારમાં રહીશો થકી રખડતા કૂતરાની સરેરાશ રોજની 15 થી 20 ફરિયાદો મળતી હોય છે. અમદાવાદમાં રોજના 120 થી 130 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે કે જેના કારણે કુતરાઓ સંખ્યામાં વધારો ના થાય.

ખસીકરણ માટે કુતરાઓને ડોગ હોસ્ટેલમાં લાવી 4 દિવસ રાખવામાં આવે છે. જ્યાં જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ આપી ખસીકરણ થાય છે. અને કુતરાના કાન પર ઓળખ માટે કાપ મુકાય છે.

ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">