Ahmedabad: કુખ્યાત ગુનેગાર અઝહર કિટલીનું નવુ કારસ્તાન, જેલમાં બેસી ખંડણીનું નેટવર્ક ચલાવવાનો પર્દાફાશ

Ahmedabad: ફિલ્મી કેરેક્ટર મનિયા સુરવેની જેમ ડોન બનવા માગતા કુખ્યાત ગુનેગાર અઝહર કિટલીના નવા કારસ્તાનનો પર્દાફાશ થયો છે. તે જેલમાં જ બેસીને ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનો અને વેપારીને ફોન કરી જામીન કરાવવા માટે 5 લાખ રૂપિયા માગ્યા હોવાનો ખૂલાસો થયો છે.

Ahmedabad: કુખ્યાત ગુનેગાર અઝહર કિટલીનું નવુ કારસ્તાન, જેલમાં બેસી ખંડણીનું નેટવર્ક ચલાવવાનો પર્દાફાશ
અઝહર કિટલી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 16, 2022 | 5:55 PM

અમદાવાદના (Ahmedabad) જુહાપુરાનો કુખ્યાત ગુનેગાર અઝહર કિટલી (Azhar Kitli)ના નવા કારસ્તાનનો પર્દાફાશ થયો છે. 19થી વધુ ગુના આચરી ચુકેલો અઝહર કિટલી હાલ સાબરમતી જેલમાં કેદ છે, જો કે હાલ ભલે તે જેલમાં હોય પરંતુ જેલમાં જ બેસીને તેણે એક વેપારીને ફોન કરી જામીન કરાવવા માટે પાંચ લાખ રૂપિયાની ખંડણી (Extortion) માગી હોવાનુ સામે આવ્યુ છે. સમગ્ર ઘટનાની વિગત મુજબ ખંડણી માગવા અઝહરે જૂદા જૂદા દિવસે અનેક ફોન કરી વેપારીને ધમકી આપતો હતો અને પૈસા માગતો હતો. વેપારીએ જવાબ ન આપતા અઝહરનો પારો ચડી ગયો અને તેના માણસો મોકલી તોડફોડ કરાવી હતી, વેપારીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. અઝહર સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે. જેલમાં રહી ફોન દ્વારા ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનુ ધ્યાને આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અઝહર કિટલી પાસે જેલમાં ફોન કેવી રીતે આવ્યો તે તપાસનો વિષય

અઝહર કિટલી અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. છતા જેલમાં બેસી તે જેલના અધિકારીઓના આશિર્વાદ અને મિલિભગતથી ફોન કરીને લોકોને ધમકાવી રહ્યો છે. હાલ તો વેજલુપ પોલીસે આ ગુનામાં ઝાકીર હુસૈન, અઝહર કબુતર, અઝહર કિટલી અને બબલુ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે. તાજેતરમાં અઝહર કિટલી પાસેથી ફોન મળી આવ્યો હતો, અને તે બાબતે રાણીપમાં પણ ગુનો નોંધાયો હતો. અગાઉ ગુજસીટોકનો ગુન અને હવે ખંડણી માટે ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા અઝહર કિટલી પર વધુ સકંજો કસાયો છે. 19થી વધુ ગુના આચરનાર અઝહર કિટલીને થોડા જ દિવસોમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કાયદાનું ભાન કરાવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અઝહર આમ તો ફિલ્મી કેરેકટર મનીયા સુરવે બનવાના ખ્વાબ જોતો હતો. પણ હવે પોલીસ તેને બિલ્લીની માફક ગુનાની દુનિયામાંથી ફેંકી દેશે તેવો એક્શન પ્લાન ઘડ્યો છે. આગામી સમયમાં માત્ર અઝહર કીટલી જ નહિ પણ આ વિસ્તારના તમામ ગુનેગારો થરથર કાંપે અને ગુનો આચરતા બંધ થાય તે રીતની કડક કાર્યવાહી કરવા પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે આગામી દિવસમાં અઝહર કીટલી પકડાયા બાદ જેલમાં મોબાઈલ કેવી રીતે લઈ ગયો અને કેટલા લોકોને ધમકી આપી ખંડણી માગી ચુક્યો છે તેનો પણ ખુલાસો થશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">