Ahmedabad: કાંકરિયામાં એશિયાટીક સિંહનું વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી મૃત્યુ

એશિયાટીક સિંહ અંબરના મૃત શરીરને પોસ્ટ મોર્ટમ કરવા માટે આણંદ વેટરીનરી કોલેજ ખાતે મોકલવામાં આવેલ હતું. આણંદ વેટરીનરી કોલેજના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવ્યા મુજબ એશિયાટીક સિંહ અંબરનું મૃત્યુ વૃદ્ધાવસ્થાના કારણે થયેલું છે.

Ahmedabad: કાંકરિયામાં એશિયાટીક સિંહનું વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી મૃત્યુ
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Feb 27, 2023 | 10:49 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક કમલા નેહરૂ પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા અમદાવાદ ખાતે એશિયાટિક સિંહનું 18 વર્ષની વયે અવસાન થયું હતું. સામાન્ય રીતે પ્રાણી સંગ્રહાલયમાં રહેતા સિંહનું આયુષ્ય 15થી 16 વર્ષનું હોય છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનો આ એશિયાઈ સિંહ તા.26/12/2008ના રોજ સકકરબાગ ઝૂ, જુનાગઢથી લાવવામાં આવ્યો હતો અને તેનું નામ અંબર હતું. તે નર સિંહ હતો. અંબર મૃત્યુ પામ્યો ત્યારે હાલમાં તેની ઉંમર 18 વર્ષ જેટલી હતી અને તે તેની વૃદ્ધાવસ્થાને કારણે છેલ્લા 15 દિવસથી બિમાર હતો.

વૃદ્ધાવસ્થાનાને કારણે શારીરિક નબળાઈ જણાતાં તેની સઘન સારવાર અને સારસંભાળ ચાલુ હતી. એશિયાટીક સિંહનું બંધનાવસ્થામાં સરેરાશ આયુષ્ય 15થી 16 વર્ષનું હોય છે.

રિક્રીએશન, કલ્ચરલ એન્ડ હેરીટેઝ કમિટીના ચેરમેન રાજુભાઈ દવે એ માહિતી આપતા જણાવ્યું કે તા 27 ફ્રેબુઆરીની રાત્રે 1.30 કલાકે એશિયાટીક સિંહનું વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી મૃત્યુ થયું હતું. ત્યારબાદ એશિયાટીક સિંહ અંબરના મૃત શરીરને પોસ્ટ મોર્ટમ કરવા માટે આણંદ વેટરીનરી કોલેજ ખાતે મોકલવામાં આવેલ હતું. આણંદ વેટરીનરી કોલેજના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવ્યા મુજબ એશિયાટીક સિંહ અંબરનું મૃત્યુ વૃદ્ધાવસ્થાના કારણે થયેલું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જેથી એશિયાટીક સિંહ અંબરનું સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, નવી દિલ્હીના નીતિ નિયમ મુજબ વનખાતાના અધિકારી તથા પંચોની હાજરીમાં જ આ મૃત એશિયાટીક સિંહના તમામ અવયવો જેવા કે નખ, ચામડી અને સંપૂર્ણ શરીરનો અગ્નિસંસ્કાર કરી તેની રાખને ઉંડા ખાડામાં દાટીને સંપૂર્ણ નાશ કરવામાં આવેલ છે.

હાલમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં કુલ -2006 વન્ય પ્રાણી પક્ષીઓ રાખવામાં આવેલા છે તેમાં એશિયાટીક સિંહ નર-1 અને માદા-2, વાઘ-નર-1 અને માદા -2, સફેદ વાઘ-1, દિપડાઓ-4, એક એડી હિપ્પોપોટેમસ, હાથણી-1 ઝરખ માદા-1 અને તથા 16 શિયાળ છે.

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">