દિવાળી પર્વે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની અમદાવાદની આ વિશાળ રંગોળી
અમદાવાદના ખાડિયામાં આવેલા મોટા સુથારવાડાની પોળના જગદીપ મહેતા હેરિટેજ હોમમાં 6 ફૂટ પહોળી અને 11 ફૂટ લાંબી રંગોળી તૈયાર કરવામાં આવી છે.
દીપોત્સવીના(Diwali)પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઉત્સવના આ અવસરે લોકો તેમના ઘરને દીવડાઓથી અને રંગોળીથી(Rangoli) સજાવતા હોય છે. ત્યારે અમદાવાદના(Ahmedabad)બસ્સો વર્ષ જૂના હેરિટેજ હાઉસ(Heritage house) માં તૈયાર થયેલી વિશાળ રંગોળી સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે. અમદાવાદના ખાડિયામાં આવેલા મોટા સુથારવાડાની પોળના જગદીપ મહેતા હેરિટેજ હોમમાં 6 ફૂટ પહોળી અને 11 ફૂટ લાંબી રંગોળી તૈયાર કરવામાં આવી છે.
અતિથિ દેવો ભવઃ ની થીમ પર તૈયાર થયેલી આ રંગોળી કોરોના કાળ બાદ લોકોને ફરી એકબીજાના ઘરે આવવા આમંત્રણ આપી રહી છે. આ રંગોળીમાં લગભગ 35 કિલો રંગનો ઉપયોગ થયો છે. જેને તૈયાર કરવામાં 15થી 17 કલાકનો સમય લાગ્યો છે.
આ પણ વાંચો : દિવાળી પૂર્વે વતન જવા અમદાવાદ એસ. ટી. સ્ટેન્ડે ભારે ભીડ, એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય
આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપ્યું આ મોટું નિવેદન