દિવાળી પૂર્વે વતન જવા અમદાવાદ એસ. ટી. સ્ટેન્ડે ભારે ભીડ, એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય

અમદાવાદ ગીતા મંદિર એસ.ટી. મથકે મુસાફરોની ભીડ ઉમટી છે. જયારે તમામ રૂટ પર રોજની 1500થી વધુ બસો દોડી રહી છે. જેનો ફાયદો પણ એસટી વિભાગને થયો છે. સોમવારે એસટી વિભાગને 1.25 કરોડની આવક થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 7:54 PM

ગુજરાતમાં (Gujarat) દિવાળીના(Diwali)તહેવારોની ઉજવણી કરવા મોટાભાગના લોકો વતન જતા હોય છે. જેમના માટે અમદાવાદ(Ahmedabad)એસટી(ST)વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્ર, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં વસતા લોકો માટે અમદાવાદ એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત ગીતા મંદિર ખાતે મુસાફરોની ભીડ ઉમટી હતી.

આ તમામ રૂટ પર રોજની 1500થી વધુ બસો દોડી રહી છે. જેનો ફાયદો પણ એસટી વિભાગને થયો છે.. ગઈ કાલે એસટી વિભાગને 1.25 કરોડની આવક થઈ છે. અમદાવાદના એસ. ટી . સ્ટેન્ડ સહિતના અનેક પિક આપ પોઇન્ટ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં રાજયના અનેક વિસ્તારોમાં જવા માટે એસ. ટી. સ્ટેન્ડ પર મુસાફરોની લાઇન લાગી રહી છે. તેમજ તેમ પણ પંચમહાલ, ગોધરા અને સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.

દિવાળી પર્વ પર લોકો વતન જઈને ઉજવણી કરતા હોવાથી ભારે ભીડ જોવા મળી છે. તેમજ મોંઘવારીના કારણે ખાનગી ટ્રાવેલ્સમાં બમણી અને તેનાથી વધુ ટીકીટ દરના ભાવ વધતા લોકો એસ ટી ની પસંદ કરતાં દર વર્ષ કરતા આ વર્ષે એસ ટી સ્ટેન્ડ પર વધુ ભીડ જોવા મળી રહી છે. તેમાં પણ સૌથી વધુ ભીડ દાહોદ, પંચમહાલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બસમાં જોવા મળી રહી છે.

આ ઉપરાંત એસ ટી નિગમ દ્વારા મુસાફરોને વતન જવામાં હાલાકી ન પડે માટે 1200 એક્સ્ટ્રા બસની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં એક્સ્ટ્રા બસમાં લોકોએ સવા ગણું ભાડું જ ચૂકવવું પડે છે. એસ. ટી. તંત્રએ કોરોનાને કારણે બમણું ભાડા લેવાની જગ્યા પર સવા ગનું જ ભાડું નક્કી કર્યું હતું.તેમજ આ સુવિધા મુસાફરોને તહેવારને લઈને એસ ટી નિગમે ઉભી કરી છે.

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">