AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: શાહીબાગમાં પોલીસ પર જીવલેણ હુમલો, પેરોલ જમ્પ કરેલા આરોપીને પકડવા ગયેલા પોલીસ પર 10 થી વધુ લોકોએ કર્યો પથ્થરમારો

Ahmedabad: શહેરમાં એક બાદ એક પોલીસ પર હુમલાની ઘટના સામે આવી રહી છે. રખિયાલ બાદ હવે શાહીબાગમાં પણ આરોપીઓ પર હુમલો કરવાની ઘટના બની છે. પોલીસની જ હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી પેરોલ જંપ કર્યો હતો અને તેને પકડવા જતા આરોપીના પરિવારજનોએ પોલીસ પર હુમલો કર્યો હતો.

Ahmedabad: શાહીબાગમાં પોલીસ પર જીવલેણ હુમલો, પેરોલ જમ્પ કરેલા આરોપીને પકડવા ગયેલા પોલીસ પર  10 થી વધુ લોકોએ કર્યો પથ્થરમારો
Harin Matravadia
| Edited By: | Updated on: May 20, 2023 | 8:34 PM
Share

અમદાવાદમાં ફરી એક વખત પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. રખિયાલ બાદ શાહીબાગ પોલીસ પર પણ આરોપીઓ દ્વારા હુમલો કરવાની ઘટના બની છે. પોલીસની હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી પેરોલ જંપ કર્યો હતો અને પોલીસ તેને પકડવા જતાં આરોપીના પરિવારજનોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જોકે પોલીસે રયોટિંગ અને હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

થોડા દિવસ પહેલા રખિયાલ વિસ્તારમાં નોંધાયેલી એક ફરિયાદમાં પોલીસની ટીમ કુખ્યાત આરોપીના ઘરે તેને પકડવા ગઈ હતી ત્યાં અન્ય ગેંગના લોકો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત આવી જ ઘટના શાહીબાગ વિસ્તારમાં બની છે.

આરોપીને પકડવા ગયેલી પોલીસ પર 10 થી વધુ લોકોએ કર્યો પથ્થરમારો

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી મોતીભાઈ લલ્લુભાઈની ચાલીમાં ગત મોડી રાત્રે પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં પોલીસ કોન્સટેબલ ભૂપેન્દ્ર ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મહત્વનું છે કે શાહીબાગ પોલીસ પેરોલ જંપ થયેલા આરોપ જિજ્ઞેશ ઉર્ફે પકલો પટણીને પકડવા ગઈ હતી. તે સમયે ચાલીના 10 થી વધુ લોકો ભેગા મળીને પોલીસ પર પથ્થરમારો કરી આરોપી જિગ્નેશને છોડાવવા માટે પોલીસ પર હુમલો કર્યો હતો.

પથ્થરમારામાં એક પોલીસકર્મી ઘાયલ અન્ય બે ને સામાન્ય ઈજા

હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો તો અન્ય બે ત્રણ પોલીસકર્મીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે શાહીબાગ પોલીસે હુમલો કરનારા 11 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ફરજમાં રૃકાવટ અને આરોપીને ભગાડી જવા અંગેની કલમો હેઠળ ગુનો નોંધીને પાંચ મહિલા સહિત કુલ 8 આરોપીની ધરપકડ કરી છે.

પેરોલ જમ્પ કરેલા આરોપીને પકડવા ગઈ હતી પોલીસ

મુખ્ય આરોપી જિગ્નેશ ઉર્ફે પકલો અગાઉ મહિલા પોલીસ મથકના પોલીસકર્મીની હત્યાના ગુનામાં જેલમાં હતો અને 17 ફેબ્રુઆરીએ 10 દિવસના વચગાળાના જામીન ઉપર મુક્ત થયો હતો. જેને 27 ફેબ્રુઆરીએ જેલમાં હાજર થવાનું હોવા છતાં હાજર ના થતા પોલીસ તેને ગઈકાલે પકડવા માટે ગઈ હતી જ્યાં પોલીસ ઉપર હુમલો કર્યો હતો. અગાઉ પણ પોલીસ દ્વારા 2 વખત બાતમીના આધારે પકડવા પહોચી હતી પણ આરોપી ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: લાયબ્રેરીના માલિક દ્વારા અપમાનિત કરાતા વૃદ્ધને લાગી આવ્યુ, 9માં માળેથી પડતુ મુકી કર્યો આપઘાત

હાલતો પોલીસની હત્યાના પ્રયાસના ગુનામાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કોઈ લોકો આ હુમલામાં સામેલ હતા કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આરોપીઓના ઘરે પણ તપાસ કરી કોઈ ઘાતક હથિયાર રાખવામાં આવ્યા છે કે કેમ તેની પણ તપાસ કરશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">