Ahmedabad: શાહીબાગમાં પોલીસ પર જીવલેણ હુમલો, પેરોલ જમ્પ કરેલા આરોપીને પકડવા ગયેલા પોલીસ પર 10 થી વધુ લોકોએ કર્યો પથ્થરમારો

Ahmedabad: શહેરમાં એક બાદ એક પોલીસ પર હુમલાની ઘટના સામે આવી રહી છે. રખિયાલ બાદ હવે શાહીબાગમાં પણ આરોપીઓ પર હુમલો કરવાની ઘટના બની છે. પોલીસની જ હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી પેરોલ જંપ કર્યો હતો અને તેને પકડવા જતા આરોપીના પરિવારજનોએ પોલીસ પર હુમલો કર્યો હતો.

Ahmedabad: શાહીબાગમાં પોલીસ પર જીવલેણ હુમલો, પેરોલ જમ્પ કરેલા આરોપીને પકડવા ગયેલા પોલીસ પર  10 થી વધુ લોકોએ કર્યો પથ્થરમારો
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: May 20, 2023 | 8:34 PM

અમદાવાદમાં ફરી એક વખત પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. રખિયાલ બાદ શાહીબાગ પોલીસ પર પણ આરોપીઓ દ્વારા હુમલો કરવાની ઘટના બની છે. પોલીસની હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી પેરોલ જંપ કર્યો હતો અને પોલીસ તેને પકડવા જતાં આરોપીના પરિવારજનોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જોકે પોલીસે રયોટિંગ અને હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

થોડા દિવસ પહેલા રખિયાલ વિસ્તારમાં નોંધાયેલી એક ફરિયાદમાં પોલીસની ટીમ કુખ્યાત આરોપીના ઘરે તેને પકડવા ગઈ હતી ત્યાં અન્ય ગેંગના લોકો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત આવી જ ઘટના શાહીબાગ વિસ્તારમાં બની છે.

આરોપીને પકડવા ગયેલી પોલીસ પર 10 થી વધુ લોકોએ કર્યો પથ્થરમારો

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી મોતીભાઈ લલ્લુભાઈની ચાલીમાં ગત મોડી રાત્રે પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં પોલીસ કોન્સટેબલ ભૂપેન્દ્ર ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મહત્વનું છે કે શાહીબાગ પોલીસ પેરોલ જંપ થયેલા આરોપ જિજ્ઞેશ ઉર્ફે પકલો પટણીને પકડવા ગઈ હતી. તે સમયે ચાલીના 10 થી વધુ લોકો ભેગા મળીને પોલીસ પર પથ્થરમારો કરી આરોપી જિગ્નેશને છોડાવવા માટે પોલીસ પર હુમલો કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

પથ્થરમારામાં એક પોલીસકર્મી ઘાયલ અન્ય બે ને સામાન્ય ઈજા

હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો તો અન્ય બે ત્રણ પોલીસકર્મીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે શાહીબાગ પોલીસે હુમલો કરનારા 11 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ફરજમાં રૃકાવટ અને આરોપીને ભગાડી જવા અંગેની કલમો હેઠળ ગુનો નોંધીને પાંચ મહિલા સહિત કુલ 8 આરોપીની ધરપકડ કરી છે.

પેરોલ જમ્પ કરેલા આરોપીને પકડવા ગઈ હતી પોલીસ

મુખ્ય આરોપી જિગ્નેશ ઉર્ફે પકલો અગાઉ મહિલા પોલીસ મથકના પોલીસકર્મીની હત્યાના ગુનામાં જેલમાં હતો અને 17 ફેબ્રુઆરીએ 10 દિવસના વચગાળાના જામીન ઉપર મુક્ત થયો હતો. જેને 27 ફેબ્રુઆરીએ જેલમાં હાજર થવાનું હોવા છતાં હાજર ના થતા પોલીસ તેને ગઈકાલે પકડવા માટે ગઈ હતી જ્યાં પોલીસ ઉપર હુમલો કર્યો હતો. અગાઉ પણ પોલીસ દ્વારા 2 વખત બાતમીના આધારે પકડવા પહોચી હતી પણ આરોપી ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: લાયબ્રેરીના માલિક દ્વારા અપમાનિત કરાતા વૃદ્ધને લાગી આવ્યુ, 9માં માળેથી પડતુ મુકી કર્યો આપઘાત

હાલતો પોલીસની હત્યાના પ્રયાસના ગુનામાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કોઈ લોકો આ હુમલામાં સામેલ હતા કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આરોપીઓના ઘરે પણ તપાસ કરી કોઈ ઘાતક હથિયાર રાખવામાં આવ્યા છે કે કેમ તેની પણ તપાસ કરશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">