AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વિવાદિત હાટકેશ્વર બ્રિજના મુદ્દે 4 આરોપીના આગોતરા જામીનની અરજીના ચુકાદા પર આજે સૌની નજર

કેસમાં તપાસ અધિકારીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે જો બ્રિજ વહેલા બંધ ન કર્યો હોત તો મોરબી પુલ જેવી દુર્ઘટના સર્જાઈ હોત. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને જામીન ન આપવા જોઈએ. આરોપીઓ સામે કલમ 409 ઉમેરવા પણ તપાસ અધિકારીએ રજૂઆત કરી છે.

Ahmedabad : વિવાદિત હાટકેશ્વર બ્રિજના મુદ્દે 4 આરોપીના આગોતરા જામીનની અરજીના ચુકાદા પર આજે સૌની નજર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 11:28 AM
Share

અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ખૂબ ગાજી રહ્યો છે. આ બ્રિજના બાંધકામમાં નબળી ગણવત્તાનો માલસામાન વપરાયો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. હાટકેશ્વર બ્રિજમાં સિમેન્ટથી માંડીને તમામ મટિરિયલ નબળી ગુણવત્તાનું વાપર્યું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જોકે ધરપકડથી બચવા 4 આરોપીઓએ આગોતરા જામીનની અરજી કરી છે. આજે આ અરજી ઉપર મહત્વનો ચુકાદો આવશે.

સેશન્સ કોર્ટમાં પૂર્ણ થઈ ચૂકી છે બંને પક્ષોની દલીલ

નોંધનીય છે કે આ ગંભીર ગુનો હોવાથી સરકારે આરોપીઓની અરજીનો વિરોધ કર્યો હતો. તેમજ IPCની વધુ એક કલમ ઉમેરવાનો રિપોર્ટ આપ્યો હતો.

આ પણ વાંચો: Jamnagar : ગુજરાતના 63માં સ્થાપના દિવસની જામનગરમાં થશે રંગારંગ ઉજવણી, 300 કરોડથી વધુના 551 જેટલા વિકાસકાર્યોની મળશે ભેટ

કેસમાં તપાસ અધિકારીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે જો બ્રિજ વહેલા બંધ ન કર્યો હોત તો મોરબી પુલ જેવી દુર્ઘટના સર્જાઈ હોત. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને જામીન ન આપવા જોઈએ. આરોપીઓ સામે કલમ 409 ઉમેરવા પણ તપાસ અધિકારીએ રજૂઆત કરી છે.

મહત્વનું છે કે AMCએ કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાવેલી છે.. જેમાંથી ચાર આરોપીઓએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી છે. આરોપીઓ ઉપર આરોપ છે કે બ્રિજ બનાવવામાં ખરાબ ગુણવત્તાનો સિમેન્ટ વાપરવામાં આવ્યો હતો અને બાંધકામમાં નીતિ-નિયમોનું પાલન નહોતું થયું.

બ્રિજને તોડી પાડવામાં આવશે

અમદાવાદના વિવાદિત હાટકેશ્વર-ખોખરા બ્રિજ બન્યાના માત્ર સાત વર્ષમાં જ તોડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નબળી ગુણવત્તાના બાંધકામને કારણે છેલ્લા આઠ મહિનાથી બ્રિજ બંધ કરાયો હતો. નિષ્ણાતોની પેનલે રજૂ કરેલ રિપોર્ટમાં બ્રિજનું બાંધકામ હલકી ગુણવત્તાથી કરવામાં આવ્યું હોવાનું અને તોડી પાડવો જ જોઈએ એવી બાબતો સામે આવતા ગુજરાતના ઈતિહાસમાં કોઈ બ્રિજને નબળી ગુણવત્તાના કારણે તોડી પાડવામાં આવશે. કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ પણ કરાશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">