AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: RSSના વડા મોહન ભાગવતનું ગુજરાતમાં જાહેર મંચ ઉપરથી સંબોધન, કહ્યું મતભેદ ભૂલીને દેશહિતમાં એક થવું જરૂરી

મોહન ભાગવત  1 5 એપ્રિલના રોજ  યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે   પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 1051 ગ્રંથોનું લોકાર્પણ કરશે. આ પુસ્તકોનો વિષય  સમાજ અને રાષ્ટ્ર ચેતના ઉપર આધારિત છે. 

Ahmedabad:  RSSના વડા મોહન ભાગવતનું ગુજરાતમાં જાહેર મંચ ઉપરથી સંબોધન, કહ્યું મતભેદ ભૂલીને દેશહિતમાં એક થવું જરૂરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 8:20 PM
Share

જીએમડીસી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.  RSSના “સમાજશક્તિ સંગમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં RSS વડા મોહન ભાગવત પોતાનું વકતવ્ય આપતા કહ્યું હતું કે મતભેદ ભૂલીને દેશ હિતમાં એક થવું જરૂરી છે.

નોંધનીય છે કે 8 વર્ષ બાદ RSSના વડા મોહન ભાગવતે ગુજરાતમાં જાહેર મંચ પરથી સંબોધન કર્યું છે તેમણે કહ્યું કે મતભેદો ભૂલી દેશહિતમાં એક થવું જરૂરી છે તેમજ બાબા સાહેબના આંબેડકરના મૂલ્યોને આગળ વધારવાનું લક્ષ્ય રાખવા પણ તેમણે સૂચન કર્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત હજારો સ્વયંસેવકો હાજર છે.

સંઘના વડા મોહન ભાગવતે  બાબા સાહેબના આજના જન્મદિવસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે 14 એપ્રિલે થયો. ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મ એક એવી  મહત્વની ઘટના હતી, સાથે જ તેમણે  ડો. હેડગેવાર અને બાબા સાહેબના પ્રસંગોનું  પણ વર્ણન કર્યું હતું.  તેમણે જણાવ્યું હતું કે વિદેશી તાકાતો આપણને નુકસાન ન પહોંચાડે તે માટે આપણે એક થવાનું છે.

આ પણ વાંચો- Gandhinagar: સીએમ ભૂપેન્દ્ર પટેલની બ્રિટીશ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના સભ્યો સાથે બેઠક, રાજયમાં ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ અંગે ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ અમદાવાદના વસ્ત્રાપુરના GMDC ગ્રાઉન્ડમાં આયોજીત સમાજ શક્તિ સંગમમાં 15 હજારથી વધારે સ્વયંસેવકોને સંબોધન કરી રહ્યા હતા.

આ કાર્યક્રમમાં RSS સર સંઘચાલક ડો. મોહન ભાગવત, કર્ણાવતી સંઘ ચાલક મહેશ પરીખ, ગુજરાત પ્રાંત સંઘ ચાલક ડો. ભરત પટેલ, પશ્ચિમના સંઘ ચાલકના ડો. જયંતિ ભાડેશીયા ઉપસ્થિત રહ્યા હતા.

2024ની ચૂંટણી પહેલા RSS ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે અને  8 વર્ષ બાદ  ગુજરાતમાં  જાહેર મંચ ઉપરથી સંઘના વડા મોહન ભાગવતે સંબોધન કર્યું છે.

વર્ષ 2024ની ચૂંટણી પહેલા ભાજપની તૈયારી

RSS દ્વારા અનેક કાર્યક્રમો થતા રહેતા હોય છે. પરંતુ RSSના વડા મોહન ભાગવતનું કોઇપણ જગ્યાએ જઇને શક્તિપ્રદર્શન કરવુ એ હંમેશા સૂચક હોય છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવવાની છે. ભાજપે ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. RSS દ્વારા ભાજપને એક પ્રકારે સમર્થન કરવામાં આવતુ હોય છે. ખાસ કરીને ચૂંટણી સમયે જોવા મળતુ હોય છે કે RSSના અનેક કાર્યકર્તા-સ્વયંસેવકો ભાજપ તરફી કેમ્પેઇન કરતા હોય છે.

15 એપ્રિલે મોહન ભાગવત કરશે પુસ્તકનું લોકાર્પણ

મોહન ભાગવત  1 5 એપ્રિલના રોજ  યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે   પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 1051 ગ્રંથોનું લોકાર્પણ કરશે. આ પુસ્તકોનો વિષય  સમાજ અને રાષ્ટ્ર ચેતના ઉપર આધારિત છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
g clip-path="url(#clip0_868_265)">