AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: RSSના વડા મોહન ભાગવતનું ગુજરાતમાં જાહેર મંચ ઉપરથી સંબોધન, કહ્યું મતભેદ ભૂલીને દેશહિતમાં એક થવું જરૂરી

મોહન ભાગવત  1 5 એપ્રિલના રોજ  યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે   પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 1051 ગ્રંથોનું લોકાર્પણ કરશે. આ પુસ્તકોનો વિષય  સમાજ અને રાષ્ટ્ર ચેતના ઉપર આધારિત છે. 

Ahmedabad:  RSSના વડા મોહન ભાગવતનું ગુજરાતમાં જાહેર મંચ ઉપરથી સંબોધન, કહ્યું મતભેદ ભૂલીને દેશહિતમાં એક થવું જરૂરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 8:20 PM
Share

જીએમડીસી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.  RSSના “સમાજશક્તિ સંગમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં RSS વડા મોહન ભાગવત પોતાનું વકતવ્ય આપતા કહ્યું હતું કે મતભેદ ભૂલીને દેશ હિતમાં એક થવું જરૂરી છે.

નોંધનીય છે કે 8 વર્ષ બાદ RSSના વડા મોહન ભાગવતે ગુજરાતમાં જાહેર મંચ પરથી સંબોધન કર્યું છે તેમણે કહ્યું કે મતભેદો ભૂલી દેશહિતમાં એક થવું જરૂરી છે તેમજ બાબા સાહેબના આંબેડકરના મૂલ્યોને આગળ વધારવાનું લક્ષ્ય રાખવા પણ તેમણે સૂચન કર્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત હજારો સ્વયંસેવકો હાજર છે.

સંઘના વડા મોહન ભાગવતે  બાબા સાહેબના આજના જન્મદિવસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે 14 એપ્રિલે થયો. ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મ એક એવી  મહત્વની ઘટના હતી, સાથે જ તેમણે  ડો. હેડગેવાર અને બાબા સાહેબના પ્રસંગોનું  પણ વર્ણન કર્યું હતું.  તેમણે જણાવ્યું હતું કે વિદેશી તાકાતો આપણને નુકસાન ન પહોંચાડે તે માટે આપણે એક થવાનું છે.

આ પણ વાંચો- Gandhinagar: સીએમ ભૂપેન્દ્ર પટેલની બ્રિટીશ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના સભ્યો સાથે બેઠક, રાજયમાં ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ અંગે ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ અમદાવાદના વસ્ત્રાપુરના GMDC ગ્રાઉન્ડમાં આયોજીત સમાજ શક્તિ સંગમમાં 15 હજારથી વધારે સ્વયંસેવકોને સંબોધન કરી રહ્યા હતા.

આ કાર્યક્રમમાં RSS સર સંઘચાલક ડો. મોહન ભાગવત, કર્ણાવતી સંઘ ચાલક મહેશ પરીખ, ગુજરાત પ્રાંત સંઘ ચાલક ડો. ભરત પટેલ, પશ્ચિમના સંઘ ચાલકના ડો. જયંતિ ભાડેશીયા ઉપસ્થિત રહ્યા હતા.

2024ની ચૂંટણી પહેલા RSS ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે અને  8 વર્ષ બાદ  ગુજરાતમાં  જાહેર મંચ ઉપરથી સંઘના વડા મોહન ભાગવતે સંબોધન કર્યું છે.

વર્ષ 2024ની ચૂંટણી પહેલા ભાજપની તૈયારી

RSS દ્વારા અનેક કાર્યક્રમો થતા રહેતા હોય છે. પરંતુ RSSના વડા મોહન ભાગવતનું કોઇપણ જગ્યાએ જઇને શક્તિપ્રદર્શન કરવુ એ હંમેશા સૂચક હોય છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવવાની છે. ભાજપે ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. RSS દ્વારા ભાજપને એક પ્રકારે સમર્થન કરવામાં આવતુ હોય છે. ખાસ કરીને ચૂંટણી સમયે જોવા મળતુ હોય છે કે RSSના અનેક કાર્યકર્તા-સ્વયંસેવકો ભાજપ તરફી કેમ્પેઇન કરતા હોય છે.

15 એપ્રિલે મોહન ભાગવત કરશે પુસ્તકનું લોકાર્પણ

મોહન ભાગવત  1 5 એપ્રિલના રોજ  યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે   પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 1051 ગ્રંથોનું લોકાર્પણ કરશે. આ પુસ્તકોનો વિષય  સમાજ અને રાષ્ટ્ર ચેતના ઉપર આધારિત છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">