AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : RSS વડા મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે, સંઘના કાર્યક્રમોમાં આપશે હાજરી

14 એપ્રિલે મોહન ભાગવત ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 14 અને 15 એપ્રિલ એમ બંને દિવસોમાં તેઓ અનેક બેઠક પણ કરવાના છે. બેઠકોની સાથે 14 એપ્રિલે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર તેઓ શક્તિ પ્રદર્શન કરવાના છે. સાથે જ 10 હજારથી પણ વધુ કાર્યકરો-સ્વયંસેવકોને સંબોધન કરવાના છે.

Breaking News : RSS વડા મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે, સંઘના કાર્યક્રમોમાં આપશે હાજરી
Rss Chief Mohan Bhagwat
| Updated on: Apr 12, 2023 | 5:58 PM
Share

2024ની ચૂંટણી પહેલા RSS ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે. RSS વડા મોહન ભાગવત ફરી એક વાર ગુજરાત આવશે અને GMDC ગ્રાઉન્ડ પર શક્તિ પ્રદર્શન થશે. 14 અને15 એપ્રિલે મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે આવવાના છે. 14 એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડ પર સ્વયંસેવકોને તેઓ સંબોધન કરશે. 10 હજારથી વધુ સ્વયંસેવકો આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે.

લોકસભા ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન એક સૂચક બાબત

RSS દ્વારા અનેક કાર્યક્રમો થતા રહેતા હોય છે. પરંતુ RSSના વડા મોહન ભાગવતનું કોઇપણ જગ્યાએ જઇને શક્તિપ્રદર્શન કરવુ એ હંમેશા સૂચક હોય છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવવાની છે. ભાજપે ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. RSS દ્વારા ભાજપને એક પ્રકારે સમર્થન કરવામાં આવતુ હોય છે. ખાસ કરીને ચૂંટણી સમયે જોવા મળતુ હોય છે કે RSSના અનેક કાર્યકર્તા-સ્વયંસેવકો ભાજપ તરફી કેમ્પેઇન કરતા હોય છે.

આ પણ વાંચો- Gandhinagar: સીએમ ભૂપેન્દ્ર પટેલની બ્રિટીશ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના સભ્યો સાથે બેઠક, રાજયમાં ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ અંગે ચર્ચા

14 એપ્રિલે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર RSSનું શક્તિ પ્રદર્શન

આ તમામની વચ્ચે 14 એપ્રિલે મોહન ભાગવત ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 14 અને 15 એપ્રિલ એમ બંને દિવસોમાં તેઓ અનેક બેઠક પણ કરવાના છે. બેઠકોની સાથે 14 એપ્રિલે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર તેઓ શક્તિ પ્રદર્શન કરવાના છે. સાથે જ 10 હજારથી પણ વધુ કાર્યકરો-સ્વયંસેવકોને સંબોધન કરવાના છે.

વર્ષ 2015 પછી હવે ગુજરાતમાં જંગી સભા સંબોધશે

વર્ષ 2015માં મોહન ભાગવતે ગુજરાતની અંદર જંગી જાહેર સભાને સંબોધન કર્યુ હતુ. ત્યાર બાદ આટલા સમયે ફરી એકવાર મોહન ભાગવત સભા સંબોધન કરવા જઇ રહ્યા છે. કાર્યકર્તાઓમાં નવુ જોમ પુરવાની વાત હોય કે પછી સ્વયંસેવકોને એક પ્રકારના ટાસ્ક આપવાની વાત હોય, મોહન ભાગવત હંમેશા કાર્યકરોને પ્રોત્સાહન આપતા રહે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">