AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સેન્ટ ઝેવિયર્સ શાળાની વિદ્યાર્થીનીઓને અશ્લિલ મેસેજ કરનાર શિક્ષક સામે થશે કાર્યવાહી, જાણો તપાસ સમિતિએ રિપોર્ટમાં શું કહ્યુ

શિક્ષણ જગતને શર્મસાર કરતી અને ગુરુ-શિષ્યના સંબંધની ગરિમાને લાંછન લગાડતી ઘટના અમદાવાદની મેમનગર સ્થિત સેન્ડ ઝેવિયર્સ શાળામાં સામે આવી હતી. જ્યાં વ્યાયામના લંપટ શિક્ષક રવીરાજસિંહ ચૌહાણે 9 માં ધોરણ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિઓને ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર મેસેજ મોકલ્યા હતા અને ફોટોની માગણી કરી હતી.

Ahmedabad : સેન્ટ ઝેવિયર્સ શાળાની વિદ્યાર્થીનીઓને અશ્લિલ મેસેજ કરનાર શિક્ષક સામે થશે કાર્યવાહી, જાણો તપાસ સમિતિએ રિપોર્ટમાં શું કહ્યુ
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 24, 2023 | 9:48 AM
Share

Ahmedabad : અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને ઇન્સ્ટાગ્રામ પર અશ્લિલ મેસેજ મોકલનાર વ્યાયામ શિક્ષક (Teacher) તપાસ સમિતિના રિપોર્ટમાં દોષિત સાબિત ઠર્યો છે. નિવૃત ન્યાયાધીશની બનેલી કમિટીએ શાળાને રિપોર્ટ સબમિટ કર્યો છે. જેમાં શિક્ષકને દોષિત (guilty) માનવામાં આવ્યો છે. ત્યારે હવે તેને કડક સજા કરવામાં આવશે.

આ પણ વાંચો-Gujarat Weather Forecast: આજે ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના, જુઓ Video

શિક્ષણ જગતને શર્મસાર કરતી અને ગુરુ-શિષ્યના સંબંધની ગરિમાને લાંછન લગાડતી ઘટના અમદાવાદની મેમનગર સ્થિત સેન્ડ ઝેવિયર્સ શાળામાં સામે આવી હતી. જ્યાં વ્યાયામના લંપટ શિક્ષક રવીરાજસિંહ ચૌહાણે 9 માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિઓને ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર મેસેજ મોકલ્યા હતા અને ફોટોની માંગણી કરી હતી. ઘટનાની જાણ વાલીઓને થતા શાળામાં હોબાળો થયો હતો અને લંપટ શિક્ષકની યુનિવર્સીટી પોલીસે ધરપકડ પણ કરી હતી.

ઘટના બાદ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ મેનેજમેન્ટ એ તપાસ માટે નિવૃત ન્યાયાધીશ એડવોકેટ સહિતના પદાધિકારીઓને આવરી લેતી ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી માટે કમિટી બનાવી હતી. ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી માં સમગ્ર વિવાદાસ્પદ પ્રકરણ અંગેના તમામ પાસાની ચકાસણી કર્યા બાદ કમિટીએ તૈયાર કરેલ રિપોર્ટમાં શિક્ષક રવિરાજસિંહ ચૌહાણને કસૂરવાર દોષિત ઠેરવવામાં આવ્યો છે.

કમિટીએ રિપોર્ટમાં શું કહ્યું?

પૂર્વ ન્યાયાધીશની કમિટીએ રિપોર્ટમાં નોંધ્યું છે કે આરોપીએ ભોગ બનનાર બાળાઓને અભદ્ર મેસેજ કરી ગુરૂ શિષ્યાના સંબંધોની ગરીમા ઘટાડી છે, એ શિક્ષક કે ગુરૂને ન છાજે તેવું વર્તન કરવામા આવેલુ છે. કસુરવાર શિક્ષક તરીકેની મર્યાદા ચુકી ગયા છે અને ગુનાહીત કૃત્ય કરેલુ છે તે પુરવાર થાય છે. શિક્ષક ખાતાંકીય તપાસના અંતે દોષિત ઠરતો હોવાથી શિક્ષક રવિરાજસિંહ પ્રવિણસિંહ ચૌહાણને શિસ્ત અધિકારીએ ગંભીર પ્રકારની અને કડક સજા કરવા જણાવ્યું. સાથે જ આક્ષેપો પુરવાર થતા હોવાથી ગુજરાત રાજ્ય સેવા નિયમો હેઠળ કાર્યવહી કરવા જણાવાયું છે. શિક્ષકના સંદર્ભમાં આગામી સમયે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના ટોપ મેનેજમેન્ટ ની બેઠકમાં નિર્ણય લેવાશે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">