હરણી હોનારત બાદ અમદાવાદની શાળાઓના પ્રવાસ પર પડી અસર, 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રવાસે લઈ જતી શાળાઓ માટે નિયમો કડક બનાવતા 27 નિયમો ફરજિયાત કર્યા હતા. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓ માટે નિયમો વધુ કડક કરતા પ્રવાસના આયોજનો ઓછા થાય છે.

હરણી હોનારત બાદ અમદાવાદની શાળાઓના પ્રવાસ પર પડી અસર, 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Feb 16, 2024 | 10:34 AM

વડોદરામાં શાળા પ્રવાસ દરમિયાન બનેલી હરણી તળાવ બોટ દુર્ઘટનાની અસર અમદાવાદની શાળાઓના પ્રવાસ આયોજન પર જોવા મળી છે.  અમદાવાદમાં શાળાકીય પ્રવાસમાં ઘટાડો  જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રવાસના આયોજનમાં 50 ટકા અને અમદાવાદ ગ્રામ્યની શાળાઓના પ્રવાસમાં 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

નિયમો કડક બનતા પ્રવાસ આયોજન થયા ઓછા

18 જાન્યુઆરીએ વડોદરાની એક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા અને પ્રવાસ દરમિયાન જ હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના બની હતી. જે ઘટનામાં 12 બાળકો 2 શિક્ષકો સહિત 14ના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. ઘટનાની ગંભીરતા સમજતાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રવાસે લઈ જતી શાળાઓ માટે નિયમો કડક બનાવતા 27 નિયમો ફરજિયાત કર્યા હતા. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓ માટે નિયમો વધુ કડક કરતા પ્રવાસના આયોજનો ઓછા થાય છે.

હરણી તળાવ ઘટના બાદ માત્ર 3 જ અરજી મળી

સાથે જ નોંધણી અને વાહન મોટર એક્ટ મુજબનું હોવા સહિતના નિયમો નિયત કર્યા હતા. જેના પગલે અમદાવાદની શાળાઓમાં પ્રવાસના આયોજનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા માટે 15 સપ્ટેમ્બર 2023 થી 18 જાન્યુઆરી 2024 સુધી 295 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. 18 જાન્યુઆરીએ ઘટના બન્યા બાદ 15 ફેબ્રુઆરી સુધી માત્ર 32 અરજીઓ જ મળી છે. આજ પ્રકારની સ્થિતિ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હેઠળની શાળાઓની જોવા મળી રહી છે. જ્યાં 18 જાન્યુઆરીની હરણી તળાવ ઘટના બાદ માત્ર 3 જ અરજીઓ મળી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આ પણ વાંચો-Vadodara : હરણી બોટ દુર્ઘટના કેસમાં ફરાર ત્રણ આરોપીની ધરપકડ, જુઓ Video

પ્રવાસે લઈ જવાના નિયમો 14 ના 27 કરતા અરજીઓ ઘટી:DEO

અમદાવાદ શહેર DEO માં શાળા પ્રવાસની અરજીઓમાં 50 ટકા અને ગ્રામ્ય DEO હેઠળની શાળાઓમાં 80 ટકા અરજીઓમાં ઘટાડો થયો છે. ઘટાડાઓ અંગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે દર વર્ષે 600 થી 700 અરજીઓ આવતી હોય છે. શાળાઓને પ્રવાસે લઈ જવાના નિયમો અત્યાર સુધી 14 હતા જે વધારી 27 કરવામાં આવ્યા છે. શાળાઓ વધારે જવાબદારી પૂર્વક વર્તી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">