AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હરણી હોનારત બાદ અમદાવાદની શાળાઓના પ્રવાસ પર પડી અસર, 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રવાસે લઈ જતી શાળાઓ માટે નિયમો કડક બનાવતા 27 નિયમો ફરજિયાત કર્યા હતા. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓ માટે નિયમો વધુ કડક કરતા પ્રવાસના આયોજનો ઓછા થાય છે.

હરણી હોનારત બાદ અમદાવાદની શાળાઓના પ્રવાસ પર પડી અસર, 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો
Narendra Rathod
| Edited By: | Updated on: Feb 16, 2024 | 10:34 AM
Share

વડોદરામાં શાળા પ્રવાસ દરમિયાન બનેલી હરણી તળાવ બોટ દુર્ઘટનાની અસર અમદાવાદની શાળાઓના પ્રવાસ આયોજન પર જોવા મળી છે.  અમદાવાદમાં શાળાકીય પ્રવાસમાં ઘટાડો  જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રવાસના આયોજનમાં 50 ટકા અને અમદાવાદ ગ્રામ્યની શાળાઓના પ્રવાસમાં 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

નિયમો કડક બનતા પ્રવાસ આયોજન થયા ઓછા

18 જાન્યુઆરીએ વડોદરાની એક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા અને પ્રવાસ દરમિયાન જ હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના બની હતી. જે ઘટનામાં 12 બાળકો 2 શિક્ષકો સહિત 14ના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. ઘટનાની ગંભીરતા સમજતાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રવાસે લઈ જતી શાળાઓ માટે નિયમો કડક બનાવતા 27 નિયમો ફરજિયાત કર્યા હતા. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓ માટે નિયમો વધુ કડક કરતા પ્રવાસના આયોજનો ઓછા થાય છે.

હરણી તળાવ ઘટના બાદ માત્ર 3 જ અરજી મળી

સાથે જ નોંધણી અને વાહન મોટર એક્ટ મુજબનું હોવા સહિતના નિયમો નિયત કર્યા હતા. જેના પગલે અમદાવાદની શાળાઓમાં પ્રવાસના આયોજનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા માટે 15 સપ્ટેમ્બર 2023 થી 18 જાન્યુઆરી 2024 સુધી 295 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. 18 જાન્યુઆરીએ ઘટના બન્યા બાદ 15 ફેબ્રુઆરી સુધી માત્ર 32 અરજીઓ જ મળી છે. આજ પ્રકારની સ્થિતિ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હેઠળની શાળાઓની જોવા મળી રહી છે. જ્યાં 18 જાન્યુઆરીની હરણી તળાવ ઘટના બાદ માત્ર 3 જ અરજીઓ મળી છે.

આ પણ વાંચો-Vadodara : હરણી બોટ દુર્ઘટના કેસમાં ફરાર ત્રણ આરોપીની ધરપકડ, જુઓ Video

પ્રવાસે લઈ જવાના નિયમો 14 ના 27 કરતા અરજીઓ ઘટી:DEO

અમદાવાદ શહેર DEO માં શાળા પ્રવાસની અરજીઓમાં 50 ટકા અને ગ્રામ્ય DEO હેઠળની શાળાઓમાં 80 ટકા અરજીઓમાં ઘટાડો થયો છે. ઘટાડાઓ અંગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે દર વર્ષે 600 થી 700 અરજીઓ આવતી હોય છે. શાળાઓને પ્રવાસે લઈ જવાના નિયમો અત્યાર સુધી 14 હતા જે વધારી 27 કરવામાં આવ્યા છે. શાળાઓ વધારે જવાબદારી પૂર્વક વર્તી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">