અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા વેપારીઓ અને કારખાનેદારોને રાત્રે 8 વાગ્યા પહેલા ધંધો-રોજગાર બંધ કરવાની અપીલ

રાજ્યમાં કોરોના વાઈરસે (Corona Virus)મોટો ભરડો લીધો છે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે કોરોના વાઈરસની ચેઈન તોડવા માટે રાજ્યના 20 જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લીધો છે.

| Updated on: Apr 08, 2021 | 8:19 PM

રાજ્યમાં કોરોના વાઈરસે (Corona Virus)મોટો ભરડો લીધો છે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે કોરોના વાઈરસની ચેઈન તોડવા માટે રાજ્યના 20 જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લીધો છે. ત્યારે અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા વેપારીઓ અને કારખાનેદારોને રાત્રે 8 વાગ્યા પહેલા ધંધા-રોજગાર બંધ કરીને ઘરે જવા માટે અપીલ કરાઈ છે. કારખાનેદારોને સાંજે 8 વાગ્યા પહેલા કર્મચારીઓ ઘરે પહોંચી જાય તેવી શિફ્ટ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શહેરીજનોને પણ સહયોગ આપવા અપીલ કરાઈ છે. 8 વાગ્યા બાદ બહાર નીકળનારા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણના નવા કેસો, એક્ટીવ કેસો અને કોરોનાથી થતાં મૃત્યુમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી ખરાબ સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વકરતા હવે AMCએ ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર અંગે મહત્વનો નિર્ણય લીધો છે.

 

ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ ખાલી રાખો

Ahmedabadમાં કોરોનાની સ્થિતિ વકરતા મ્યુનિસિપલ કમિશ્નરે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. AMCના આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે શહેરમાં કોરોના દર્દીઓના થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારવાર મળી રહે તે માટે તમામ મોટી ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ ફરજિયાતપણે કોરોના દર્દીઓની સારવાર માટે ખાલી રાખવા પડશે. AMCના આ આદેશથી કોરોના દર્દીઓને 18 ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે 1,219 બેડનો લાભ મળશે.

 

 

રાજ્યમાં સ્થિતિ વકરી હોવાની સરકારની કબુલાત

અમદાવાદ સહીત ગુજરાતમાં કોરોના મહારોગની સ્થિતિ બહુ જ ગંભીર હોવાની વાતનો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આડકતરી રીતે સ્વીકાર કરતા કહ્યુ કે રોજ 3000ની આસપાસના કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાના દર્દીઓની સંખ્યાને જોતા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વધુને વધુ કોવીડ19 માટેના બેડ ઉપલબ્ધ થાય તેવા પગલા રાજ્ય સરકાર લઈ રહી છે. અમદાવાદની મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં બનાવેલ કિડીની હોસ્પિટલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત એસવીપી (svp) હોસ્પિટલ, યુ એન મહેતા હોસ્પિટલ, કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે વધુ પથારીની સવલત ઉભી કરાશે.

 

આ પણ વાંચો: Corona: સચિન તેંડુલકરને લઈને આવ્યા સારા સમાચાર, કોરોનાથી સ્વસ્થ થતાં સપ્તાહ બાદ હોસ્પિટલમાંથી અપાઈ રજા

Follow Us:
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">