AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પ્લેન ક્રેશ પહેલા પાયલોટે ATCને મોકલેલો અંતિમ સંદેશ આવ્યો સામે, ‘પ્લેન નથી ઊઠી રહ્યું, નહીં બચીએ”

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થવાની ઘટનામાં સૌથી મોટી માહિતી સામે આવી છે. પ્લેન ક્રેશ પહેલા પાયલટ દ્વારા મોકલાયેલો સંદેશ સામે આવ્યો છે. પાયલોટ દ્વારા ATCને મોકલાયેલ અંતિમ સંદેશ સામે આવ્યો છે. પાયલોટ સુમિત સભરવાલનો ઑડિયો મેસેજ સામે આવ્યો છે.

Breaking News : પ્લેન ક્રેશ પહેલા પાયલોટે ATCને મોકલેલો અંતિમ સંદેશ આવ્યો સામે, 'પ્લેન નથી ઊઠી રહ્યું, નહીં બચીએ
| Updated on: Jun 14, 2025 | 1:50 PM
Share

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થવાની ઘટનામાં સૌથી મોટી માહિતી સામે આવી છે. પ્લેન ક્રેશ પહેલા પાયલટ દ્વારા મોકલાયેલો સંદેશ સામે આવ્યો છે. પાયલોટ દ્વારા ATCને (Air Traffic Controller) મોકલાયેલ અંતિમ સંદેશ સામે આવ્યો છે. પાયલોટ સુમિત સભરવાલનો ઑડિયો મેસેજ સામે આવ્યો છે.

‘મેડે, મેડે, મેડે… થ્રસ્ટ નથી મળી રહ્યું’

અમદાવાદમાં 12 જૂનના રોજ પ્લેન ક્રેશની ઘટનામાં પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર્સ સહિત 241 લોકોના મોત થયા છે. પ્લેન ટેક ઓફ થવાની થોડી જ મિનિટોમાં ધડામ દઇને નીચે પડી ગયુ હતુ.ત્યારે પ્લેન નીચે પડતા પહેલાનો પાયલટ દ્વારા ATCને મોકલાયેલો અંતિમ સંદેશ સામે આવ્યો છે. પાયલોટ સુમિત સભરવાલના છેલ્લા શબ્દો  મેડે, મેડે, મેડે… થ્રસ્ટ નથી મળી રહ્યું એવો સંદેશ મોકલ્યાનું સામે આવ્યુ છે. આ સાથે જ સુમિતે બીજા પણ થોડા શબ્દો કહ્યા હતા. જે સંદેશ મોકલ્યો તે શબ્દો સામે આવ્યા છે.

સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન ક્રેશ થયું. આ સમયે વિમાન કેપ્ટન સુમિત અને કમાન્ડર પીરલ ક્લાઇવ ઉડાડી રહ્યા હતા. પ્લેનની કમાન કેપ્ટન સુમિત સભરવાલ પાસે હતી, તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર પણ હતા.

સુમિત સભરવાલનો છેલ્લો સંદેશ

વિમાને અમદાવાદના રનવે 23 પરથી બપોરે 13:39 (0809 UTC) વાગ્યે ઉડાન ભરી હતી. પરંતુ, થોડીવાર પછી, ATC ને મેડે કોલ આપવામાં આવ્યો. પાયલોટ સુમિત સભરવાલનો છેલ્લો મેસેજ સામે આવ્યા છે. જેમાં તે બોલી રહ્યા છે કે ‘મેડે, મેડે, મેડે… થ્રસ્ટ નથી મળી રહ્યું. પાવર ઓછો થઈ રહ્યો છે, પ્લેન નથી ઊઠી રહ્યું, નહીં બચીએ.’

પરંતુ તે પછી વિમાને ATC તરફથી મળેલા કોલનો જવાબ આપ્યો નહીં. રનવે 23 પરથી ઉડાન ભર્યા પછી તરત જ, વિમાન એરપોર્ટની પરિમિતિની બહાર જમીન પર પડી ગયું. અકસ્માત સ્થળ પરથી ભારે કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો. અંતિમ શબ્દો બાદ જ પ્લેન થઈ ક્રેશ ગયું હતું.

સુમિત સભરવાલ પાસે 200 કલાકનો LTC અનુભવ

મહત્વનું છે કે કેપ્ટન સુમિત સભરવાલ પાસે 200 કલાકનો LTC અનુભવ છે. જ્યારે પણ કોઈ ફ્લાઇટ ઉડે છે, ત્યારે તેમાં સામાન્ય રીતે બે પાઇલટ હોય છે, જેમાંથી એક કેપ્ટન હોય છે જે પ્લેન ઉડાવે છે. જે આ ફ્લાઇટમાં સુમિત સભરવાલ હતા.  તેની સાથે, એક પાઇલટ ફર્સ્ટ ઓફિસર હોય છે, જે સામાન્ય રીતે જુનિયર પાઇલટ હોય છે. પાંચ વર્ષના અનુભવ પછી, ફર્સ્ટ ઓફિસરને કેપ્ટનના પદ પર બઢતી આપવામાં આવે છે.

ATC નું કામ શું છે?

ઉડ્ડયન ક્ષેત્રમાં, એર ટ્રાફિક કંટ્રોલર (ATC) ની ભૂમિકા પાઇલટ જેટલી જ મહત્વપૂર્ણ છે. તેઓ મુખ્યત્વે સુરક્ષિત ટેકઓફ, લેન્ડિંગ અને ફ્લાઇટ દરમિયાન વિમાનોને માર્ગદર્શન આપે છે. તેઓ રડાર અને અન્ય તકનીકોનો ઉપયોગ કરીને વિમાનની સ્થિતિ પણ ટ્રેક કરે છે. તેઓ સમયાંતરે પાઇલટને સૂચનાઓ પણ આપતા રહે છે. તેમની ઓફિસને એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસ કહેવામાં આવે છે.

અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને લગતા તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

 

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
g clip-path="url(#clip0_868_265)">