અમદાવાદ: SVP હોસ્પિટલમાં 22 ડિસેમ્બરથી કોવિડ સિવાયના વિભાગો થશે શરૂ
22 ડિસેમ્બરથી મેડિસીન, સર્જરી, ગાયનેક અને ઓર્થોપેડીક સેવા કાર્યરત થશે. આ ઉપરાંત સ્કિન, કાર્ડિયોલોજી, ન્યુરો મેડીસિન અને ન્યૂરો સર્જરીના વિભાગો પણ શરૂ કરાશે.
અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં નોન કોવિડ સેવા કાર્યરત થશે. કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. 22 ડિસેમ્બરથી નોન કોવિડ વિભાગો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેડિસીન, સર્જરી, ગાયનેક અને ઓર્થોપેડીક સેવા કાર્યરત થશે. આ ઉપરાંત સ્કિન, કાર્ડિયોલોજી, ન્યુરો મેડીસિન અને ન્યૂરો સર્જરીના વિભાગો પણ શરૂ કરાશે. મા કાર્ડ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવાઓ ચાલુ કરાશે નહીં.
આ પણ વાંચો: રાજ્યસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર, કેન્દ્રીય ચૂંટણી પંચે આપ્યા આ આદેશ