ટપ્પુ અને બબિતાજીના સંબંધોની શું શો પર પડશે કોઈ અસર? ટ્રોલ થયા બાદ શું હશે શો મેકર્સનો નિર્ણય?

બંનેના સંબંધો અને સોશિયલ મીડિયા પર થઈ રહેલા ટ્રોલ્સ સામે શોના મેકર્સ શું નિર્ણય લે છે. કારણ કે એ વાત તો નક્કી જ છે કે બંનેના સંબંધોના કારણે શોની ઈમેજ પર અસર તો થશે.

ટપ્પુ અને બબિતાજીના સંબંધોની શું શો પર પડશે કોઈ અસર? ટ્રોલ થયા બાદ શું હશે શો મેકર્સનો નિર્ણય?
Munmun Datta and Raj Anadkat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 9:49 PM

લોકપ્રિય સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) વર્ષોથી લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યું છે. આ સિરીયલની વાર્તા દરેક પ્રકારના ઓડિયન્સને ટાર્ગેટ કરે છે એજ કારણ છે કે આખો પરિવાર સાથે બેસીને રોજ સાડા આઠ વાગ્યે જમતા જમતા આ શો જુએ છે. સિરીયલ હસી મજાકની સાથે સાથે સોશિયલ મેસેજ પર પણ ફોકસ કરે છે. આ સિરીયલને પહેલાથી જ ફેમિલી શો તરીકે પ્રમોટ કરવામાં આવી છે. અસિત મોદી (Asit Modi) હંમેશા પ્રયત્નો કરે છે કે શોમાં તે સાફ અને ફેમિલી યોગ્ય કન્ટેન્ટ આપે અને સિરીયલ કોઈ કોન્ટ્રોવર્સીમાં ન પડે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

હાલમાં જ મુનમુન દત્તા કોન્ટ્રોવર્સીમાં ફસાઇ હતી

થોડા દિવસો પહેલા મુનમુન દત્તા (Munmun Datta) એટલે કે બબિતાજી એક કોન્ટ્રોવર્સીમાં ફસાઈ હતી. તેણે પોતાના એક વીડિયોમાં આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના બાદથી જ તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ ગઈ હતી. આ વીડિયો સામે આવ્યા બાદ મુનમુન દત્તા સામે એફઆઈઆર પર નોંધવામાં આવી હતી.

સમગ્ર વિવાદ બાદ મુનમુન દત્તાએ માફી પણ માંગી હતી, પરંતુ તેની આ ભુલને કારણે શો પ્રભાવિત થયો હતો. આ વિવાદ બાદ શોના મેકર્સે એક નિર્ણય લેવો પડ્યો હતો અને સમગ્ર સ્ટાર કાસ્ટ પાસે એક અંડરટેકિંગ સાઈન કરાવ્યુ હતુ, જેથી ભવિષ્યમાં કોઈ આવી ભૂલ ન કરે. આ વિવાદ બાદ મુનમુન દત્તા શોમાં 2 મહિના સુધી જોવા નહોતી મળી, જેના બાદ અફવા સામે આવી હતી કે તેણે આ શો છોડી દીધો છે. પરંતુ થોડા સમય પહેલા જ તે શોમાં ફરીથી જોવા મળી.

હવે પોતાના અફેર માટે ચર્ચામાં છે મુનમુન

હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે મુનમુન દત્તા શોમાં ટપ્પુનું પાત્ર ભજવતા રાજ અનડકટને (Raj Anadkat) ડેટ કરી રહી છે અને બંને એકબીજાના પ્રેમમાં છે. આ સમાચાર સામે આવતા જ બંને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. બંનેના અફેરે લોકોને મીમ્સ બનાવવાનું નવું મટીરીયલ આપી દીધુ છે. તમને જણાવી દઈએ કે રાજ અનડકટ હાલમાં 24 વર્ષના છે, જ્યારે મુનમુન દત્તા 33 વર્ષની છે. એક રિપોર્ટ પ્રમાણે બંનેના પરિવારને પણ તેમના સંબંધો વિશેની જાણકારી છે. બંને એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ્સ પણ કરતા હોય છે.

તેવામાં હવે બંનેના સંબંધો અને સોશિયલ મીડિયા પર થઈ રહેલા ટ્રોલ્સ સામે શોના મેકર્સ શું નિર્ણય લે છે. કારણ કે એ વાત તો નક્કી જ છે કે બંનેના સંબંધોના કારણે શોની ઈમેજ પર અસર તો થશે જ હવે એ કયા પ્રકારની હશે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે.

આ પણ વાંચો – મહિલા બોલી પતિને વર્ક ફ્રોમ ઓફિસ કરાવો નહિતર… હર્ષે ગોયનકાએ શેર કર્યો આ મજેદાર લેટર

આ પણ વાંચો – શું તમે હજુ કરી રહ્યા છો FDમાં રોકાણ? તો હવે કરો આ સ્કીમમાં રોકાણ જેમાં મળે છે FD કરતા બમણું વળતર

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">