14 વર્ષ પહેલા શાહી રીતે થયા હતા Abhishek Bachchan અને Aishwarya Raiના લગ્ન, હોટેલની બાલકનીમાં કર્યું હતું પ્રપોઝ
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. 20 એપ્રિલ 2007ના રોજ બંનેના લગ્ન થયા હતા. બચ્ચન પરિવારના પ્રતીક્ષા બંગલામાં લગ્નની વિધિ થઈ હતી.
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. 20 એપ્રિલ 2007ના રોજ બંનેના લગ્ન થયા હતા. બચ્ચન પરિવારના પ્રતીક્ષા બંગલામાં લગ્નની વિધિ થઈ હતી. આ બંનેને એક પુત્રી આરાધ્યા છે. અભિષેક સાથે લગ્ન પહેલા ઐશ્વર્યા અને સલમાન ખાનના અફેરની ચર્ચા થઈ હતી. તે જ સમયે અભિષેક અને કરિશ્માની સગાઈ પણ તૂટી ગઈ હતી. આવી સ્થિતિમાં બંનેને ઈમોશનલ સપોર્ટની જરૂર હતી. જોકે અભિષેક અને ઐશ્વર્યાએ એક સાથે ઘણી ફિલ્મો કરી હતી, પરંતુ ફિલ્મ ‘ઉમરાવ જાન’ દરમિયાન તેમની નિકટતા વધી હતી.
સાથે કરી ઘણી ફિલ્મો
અભિષેક બચ્ચને કહ્યું હતું કે “વર્ષ 2000માં અમે ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’માં સાથે કામ કર્યું હતું. તે સમયે, અમે ફક્ત મિત્રો હતા. ફિલ્મ કુછ ના કહો દરમિયાન અમારી મિત્રતા વધારે મજબુત થઈ. અમે ત્યારે મિત્રો કરતા વધારે હતા. ફિલ્મ ‘ઉમરાવ જાન’ દરમિયાન અમે તેને ગંભીરતાથી લીધી હતી. તે પછી મેં તેને પ્રપોઝ કર્યું અને અમે લગ્ન કરી લીધા. હવે અમારી એક પ્રિય પુત્રી આરાધ્યા છે. ‘
ખોટી રિંગથી કર્યું હતું પ્રપોઝ
અભિષેકના પ્રપોઝ કરવાની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. અભિષેકે ઐશ્વર્યાને ફિલ્મ ‘ગુરુ’ના સેટ પર પ્રપોઝ કરી હતી. તે સમયે તેમણે હીરાની વીંટી નહીં પણ સ્ટુડિયોમાં રાખેલી એક નકલી વીંટી આપી હતી. અભિષેકની આ સાદગીથી ઐશ્વર્યાના દિલને જીતી લીધુ હતું.
ન્યૂયોર્કમાં કરી હતી દિલની વાત
એક ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ ખુલાસો કર્યો હતો કે તે ફિલ્મ ‘ગુરુ’ની રજૂઆત પછી ન્યૂયોર્કના પ્રીમિયરમાં ગઈ હતી. બંને હોટલના રૂમમાં પાછા ફર્યા. તેમની બાલકની એક હતી, જ્યાં અભિષેકે તેને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું. પછી શું હતું એશે તરત તેમને હા કહી દીધી.
શાહી રીતે થઈ હતી લગ્નની રસ્મ
14 જાન્યુઆરી 2007ના રોજ તેઓએ મુંબઈમાં સગાઈનો કાર્યક્રમ રાખ્યો અને ત્યારબાદ એપ્રિલ 2007માં તેમના લગ્ન થયા. બચ્ચન પરિવાર તેમના બંગલા જલસાથી જાન લઈને તેમના બીજા ઘરની પ્રતીક્ષામાં પહોંચ્યા હતા. આ લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સથી લઈને રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અન્ય હસ્તીઓનો લોકો એકઠાં થયાં હતાં. તે સમયે તે બોલિવૂડના સૌથી મોટા લગ્નમાંનું એક હતું.
આ પણ વાંચો: આને કારણે હવે Irfan Khan વિશે કંઈ પણ શેર નથી કરતા પુત્ર બાબીલ, કહ્યું- ‘દુ:ખ થાય છે જ્યારે …’