AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘તારક મહેતા’ શોના અય્યર ભાઈ રિયલ લાઈફમાં નીકળ્યા ‘પરમ ભક્ત’, ભક્તિમાં ડૂબેલા એક્ટરનો વીડિયો થયો ‘વાયરલ’

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં ‘અય્યર ભાઈ’નું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતા બનેલા એક્ટર તનુજ મહાશબ્દે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે.

'તારક મહેતા' શોના અય્યર ભાઈ રિયલ લાઈફમાં નીકળ્યા 'પરમ ભક્ત', ભક્તિમાં ડૂબેલા એક્ટરનો વીડિયો થયો 'વાયરલ'
| Updated on: Jun 17, 2026 | 8:53 PM
Share

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના અય્યર ભાઈ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. એક્ટર તનુજ મહાશબ્દે, જેમને લોકો પ્રેમથી ‘અય્યર’ કહે છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તનુજ ધાર્મિક મંત્રોના જાપ અને ભજન-કીર્તન કરતા જોવા મળી રહ્યા છે.

હવે તેમની આ ક્લિપ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે, જે જોઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે એક્ટરના દિલ ખોલીને વખાણ કર્યા અને તેમને ‘તારક મહેતા’ ના સૌથી શ્રેષ્ઠ એક્ટર પણ ગણાવ્યા. ‘તારક મહેતા’ ના અય્યર હંમેશા પોતાના ઇન્સ્ટાગ્રામ પર આધ્યાત્મિક પોસ્ટ શેર કરતા રહે છે. આનાથી ખબર પડે છે કે, તેઓ ભગવાન પર કેટલો વિશ્વાસ રાખે છે.

તનુજ મહાશબ્દેનું આધ્યાત્મિક રૂપ જીતી રહ્યું છે ‘દિલ’

વીડિયોમાં તનુજ મહાશબ્દે એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ (વાજિંત્ર) વગાડતા વગાડતા આધ્યાત્મિક સભામાં સંપૂર્ણપણે ડૂબેલા જોવા મળી રહ્યા છે. લાઇટ બ્લુ કલરનું ફ્લોરલ શર્ટ અને જીન્સ પહેરેલા, તનુજ પૂરી રીતે ભક્તિમાં લીન દેખાયા.

આ ક્લિપને શેર કરતા એક યુઝરે કેપ્શન લખ્યું, ‘આ માણસ ખૂબ જ કૂલ છે, મેં તેમનો એક ઇન્ટરવ્યુ જોયો હતો. તેઓ ખૂબ જ નમ્ર અને સારા માણસ છે.’ બીજા એક યુઝરે લખ્યું કે, ‘તેઓ ખરેખરમાં ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા છે.’

‘તારક મહેતા’ એ તનુજ મહાશબ્દેને અપાવી ઓળખ

તનુજ મહાશબ્દે એક ટેલિવિઝન એક્ટર, રાઇટર અને થિયેટર આર્ટિસ્ટ છે. તનુજ મહાશબ્દે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં સાયન્ટિસ્ટ કૃષ્ણન સુબ્રમણ્યમ અય્યરનું પાત્ર ભજવવા માટે જાણીતા છે. મધ્ય પ્રદેશના દેવાસના રહેવાસી તનુજને આ શોમાં સાઉથ ઇન્ડિયન પાત્ર ભજવવાના કારણે ખાસ ઓળખ મળી છે.

તેઓ વર્ષ 2008 માં શોની શરૂઆત થઈ ત્યારથી જ અસિત મોદીના ‘તારક મહેતા’ સાથે જોડાયેલા છે અને શોની કાસ્ટના સૌથી મનપસંદ સભ્યોમાંથી એક બની ગયા છે.

એક્ટિંગ જ નહીં, આ કામોમાં પણ માહિર છે ‘તનુજ મહાશબ્દે’

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ થી પ્રખ્યાત થતા પહેલા તનુજે 15 વર્ષ થિયેટરમાં વિતાવ્યા અને પડદા પાછળ રાઇટર તરીકે ઘણું કામ કર્યું. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે તેઓ મુંબઈ આવી ગયા અને ‘સીઆઈડી’, ‘આહટ’ અને ‘યે દુનિયા હૈ રંગીન’ જેવા ટેલિવિઝન શોમાં કામ કર્યું.

એક્ટિંગ ઉપરાંત, તેમણે પ્રોજેક્ટ્સ માટે સ્ક્રિપ્ટ રાઇટર તરીકે પણ કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર તનુજ મહાશબ્દેની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે.

“15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">