AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raju Srivastava : રાજુ શ્રીવાસ્તવનો વેન્ટિલેટર સપોર્ટ દુર કરાશે, ઓક્સિજન લેવલ પણ નોર્મલ છે

ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું શરીર અત્યારે સારી રીતે કામ કરી રહ્યું છે, પરંતુ તેઓ હજુ સુધી હોશમાં આવ્યા નથી. માત્ર હાથ અને પગની હલચલ થોડી વધી છે.

Raju Srivastava : રાજુ શ્રીવાસ્તવનો વેન્ટિલેટર સપોર્ટ દુર કરાશે, ઓક્સિજન લેવલ પણ નોર્મલ  છે
ડોક્ટરોએ રાજુનું વેન્ટિલેટર પરથી દૂર કરવાનો નિર્ણય લીધોImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 9:23 AM
Share

Raju Srivastava : કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 22 દિવસથી હોસ્પિટલમાં છે અને તેમની તબિયતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જો કે, થોડા દિવસો પહેલા, તે ફરીથી હોશમાં આવ્યો હતો, જે પછી આવા સમાચાર સામે આવ્યા હતા, રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava )પરિવાર અને તેના પ્રિયજનોમાં એક આશા જાગી છે કે, હવે તે ધીમે ધીમે સ્વસ્થ થઈ જશે. જો કે, તાજેતરમાં તેમના ભાઈએ તેમની તબિયત વિશે અપડેટ આપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવને 100 ડિગ્રી તાવ છે. આવી સ્થિતિમાં ડોક્ટરોએ તેનું વેન્ટિલેટર (Ventilator) હટાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે તેના હૃદયના ધબકારા, બીપી અને ઓક્સિજનનું સ્તર સામાન્ય છે.

ડોક્ટરોએ રાજુનું વેન્ટિલેટર પરથી દૂર કરવાનો નિર્ણય લીધો

એક દિવસ પહેલા, ડોકટરો તેનું વેન્ટિલેટર દૂર કરવાનું વિચારી રહ્યા હતા. પરંતુ તેને ફરીથી તાવ આવ્યો, ત્યારબાદ ડોક્ટરોએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, હવે રાજુનું શરીર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SOD ડૉ પદ્મા શ્રીવાસ્તવ અને ડૉ અચલ શ્રીવાસ્તવ એમ્સ દિલ્હીમાં તેમની સારવાર કરી રહ્યા છે. બે વખત રાજુનો વેન્ટિલેટરનો સહારો થોડા સમય માટે હટાવી દેવામાં આવ્યો હતો, પરંતુ થોડા સમય બાદ તેને ફરીથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતુ. પરંતુ એક સારી વાત એ છે કે, રાજુ શ્રીવાસ્તવ હવે કુદરતી રીતે 90 ટકા ઓક્સિજન લઈ શકવા સક્ષમ છે અને ત્યારથી ડોક્ટરો સતત વિચારી રહ્યા છે કે વેન્ટિલેટર હટાવવું કે કેમ.

10 ઓગસ્ટથી વેન્ટિલેટર પર છે રાજુ શ્રીવાસ્તવ

રાજુ શ્રીવાસ્તવ છેલ્લા કેટલાક દિવસથી વેન્ટિલટર પર છે. તેના સ્વાસ્થમાં સુધારો થઈ રહ્યો છે તેને લઈ ડોક્ટરોએ તેનું વેન્ટિલેટર થોડા સમયમાટે દુર કરવાનો નિર્ણય લીધો હતો. 14 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવને તાવ આવ્યો હતો પરંતુ 3 દિવસ બાદ રાજુના મગજમાં સંક્રમણ હોવાની જાણ થઈ હતી. હજુ સુધી હોશ આવ્યો નથી

રાજુ શ્રીવાસ્તવનું બોડી યોગ્ય રીતે કામ કરી રહ્યું છે પરંતુ તેને હજુ સુધી હોશ આવ્યો નથી. માત્ર તેના હાથ-પગનું જ હલનચલન થઈ રહ્યું છે. રાજુ શ્રીવાસ્તવના સારા સ્વાસ્થ માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે.

Follow Us
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
g clip-path="url(#clip0_868_265)">