AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raju Srivastava : રાજુ શ્રીવાસ્તવનો વેન્ટિલેટર સપોર્ટ દુર કરાશે, ઓક્સિજન લેવલ પણ નોર્મલ છે

ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું શરીર અત્યારે સારી રીતે કામ કરી રહ્યું છે, પરંતુ તેઓ હજુ સુધી હોશમાં આવ્યા નથી. માત્ર હાથ અને પગની હલચલ થોડી વધી છે.

Raju Srivastava : રાજુ શ્રીવાસ્તવનો વેન્ટિલેટર સપોર્ટ દુર કરાશે, ઓક્સિજન લેવલ પણ નોર્મલ  છે
ડોક્ટરોએ રાજુનું વેન્ટિલેટર પરથી દૂર કરવાનો નિર્ણય લીધોImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 9:23 AM
Share

Raju Srivastava : કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 22 દિવસથી હોસ્પિટલમાં છે અને તેમની તબિયતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જો કે, થોડા દિવસો પહેલા, તે ફરીથી હોશમાં આવ્યો હતો, જે પછી આવા સમાચાર સામે આવ્યા હતા, રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava )પરિવાર અને તેના પ્રિયજનોમાં એક આશા જાગી છે કે, હવે તે ધીમે ધીમે સ્વસ્થ થઈ જશે. જો કે, તાજેતરમાં તેમના ભાઈએ તેમની તબિયત વિશે અપડેટ આપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવને 100 ડિગ્રી તાવ છે. આવી સ્થિતિમાં ડોક્ટરોએ તેનું વેન્ટિલેટર (Ventilator) હટાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે તેના હૃદયના ધબકારા, બીપી અને ઓક્સિજનનું સ્તર સામાન્ય છે.

ડોક્ટરોએ રાજુનું વેન્ટિલેટર પરથી દૂર કરવાનો નિર્ણય લીધો

એક દિવસ પહેલા, ડોકટરો તેનું વેન્ટિલેટર દૂર કરવાનું વિચારી રહ્યા હતા. પરંતુ તેને ફરીથી તાવ આવ્યો, ત્યારબાદ ડોક્ટરોએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, હવે રાજુનું શરીર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SOD ડૉ પદ્મા શ્રીવાસ્તવ અને ડૉ અચલ શ્રીવાસ્તવ એમ્સ દિલ્હીમાં તેમની સારવાર કરી રહ્યા છે. બે વખત રાજુનો વેન્ટિલેટરનો સહારો થોડા સમય માટે હટાવી દેવામાં આવ્યો હતો, પરંતુ થોડા સમય બાદ તેને ફરીથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતુ. પરંતુ એક સારી વાત એ છે કે, રાજુ શ્રીવાસ્તવ હવે કુદરતી રીતે 90 ટકા ઓક્સિજન લઈ શકવા સક્ષમ છે અને ત્યારથી ડોક્ટરો સતત વિચારી રહ્યા છે કે વેન્ટિલેટર હટાવવું કે કેમ.

10 ઓગસ્ટથી વેન્ટિલેટર પર છે રાજુ શ્રીવાસ્તવ

રાજુ શ્રીવાસ્તવ છેલ્લા કેટલાક દિવસથી વેન્ટિલટર પર છે. તેના સ્વાસ્થમાં સુધારો થઈ રહ્યો છે તેને લઈ ડોક્ટરોએ તેનું વેન્ટિલેટર થોડા સમયમાટે દુર કરવાનો નિર્ણય લીધો હતો. 14 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવને તાવ આવ્યો હતો પરંતુ 3 દિવસ બાદ રાજુના મગજમાં સંક્રમણ હોવાની જાણ થઈ હતી. હજુ સુધી હોશ આવ્યો નથી

રાજુ શ્રીવાસ્તવનું બોડી યોગ્ય રીતે કામ કરી રહ્યું છે પરંતુ તેને હજુ સુધી હોશ આવ્યો નથી. માત્ર તેના હાથ-પગનું જ હલનચલન થઈ રહ્યું છે. રાજુ શ્રીવાસ્તવના સારા સ્વાસ્થ માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર
મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર
Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર
Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર
Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી
Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી
'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક
'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક
દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો
દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો
Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ
Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ
ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!
કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!
દાઓસમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે
દાઓસમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે
Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
g clip-path="url(#clip0_868_265)">