કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત ફરી લથડી, મગજમાં સોજો અને પાણી જોવા મળ્યુ

રાજુ શ્રીવાસ્તવની તબિયત અંગે જે તાજેતરની અપડેટ આવી રહી છે તે મુજબ તેમની હાલત ફરી નાજુક બની ગઈ છે.

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત ફરી લથડી, મગજમાં સોજો અને પાણી જોવા મળ્યુ
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત ફરી લથડીImage Credit source: Twitter
Follow Us:
| Updated on: Aug 18, 2022 | 3:44 PM

Raju Srivastava Health Update : કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava)સાથે જોડાયેલા અપટેડ સામે આવી રહી છે,જણાવવામાં આવી રહ્યું છે કે, રાજુ શ્રીવાસ્તવની હાલત ફરીથી લથડી ગઈ છે. હદય રોગનો હુમલો આવ્યા બાદ રાજુ શ્રીવાસ્તવને દિલ્હી (Delhi)માં આવેલી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમને જણાવી દઈએ કે, 10 ઓગ્સ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવની તબિયત લથડી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે રાજુ શ્રીવાસ્તવની હેલ્થને લઈ નવી અપટેડ સામે આવી રહી છે. જે મુજબ તેની હાલત ખુબ જ નાજુક છે. તેના મગજમાં પાણી મળી આવ્યું છે.

રાજુ શ્રીવાસ્તવની તબિયત બગડી

રાજુ શ્રીવાસ્તવની તબિયત અંગે જે માહિતી સામે આવી રહી છે તે મુજબ તેમની તબિયત ફરી એક વખત બગડી છે. તેના મગમાં પાણી આવી ગયું છે. તેમજ તેના મગજમાં સોજો છે. હાલમાં રાજુ શ્રીવાસ્તવની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી છે. આ સમાચાર બાદ ચાહકો રાજુ શ્રીવાસ્તવ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

સુમને ખુલાસો કર્યો

તમને એ પણ જણાવી દઈએ કે એક્ટર શેખર સુમન રાજુ શ્રીવાસ્તવના પરિવારના સભ્યોના સતત સંપર્કમાં છે. તેણે હાલમાં જ એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય વિશે ખુલાસો કર્યો હતો. શેખર સુમને જણાવ્યું હતું કે, તે 15 દિવસ પહેલા જ રાજુ શ્રીવાસ્તવને મળ્યો હતો. રાજુ ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયનના સેટ પર આવ્યો હતો. જ્યારે શેખર સુમને રાજુ શ્રીવાસ્તવને જોયો ત્યારે તે નબળા દેખાતા હતા. જે બાદ સુમને તેને પોતાની તબિયત પર ધ્યાન આપવા કહ્યું.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

અગાઉ એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજુ શ્રીવાસ્તવની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. ડોક્ટરોએ કહ્યું કે, તેને હોશમાં આવવામાં એક સપ્તાહનો સમય લાગી શકે છે. પરંતુ આ સમાચાર પછી દરેક લોકો રાજુ શ્રીવાસ્તવના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવની તબિયત સુધર્યા બાદ ફરી બગડી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">