AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા પછી રણબીર કપૂર કામ પર પરત, પાપારાઝીઓએ તેને ‘હેપ્પી મેરેજ’ની શુભેચ્છાઓ આપી

Alia & Ranbir Wedding : રણબીર કપૂર ટૂંક સમયમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ બંનેની એકસાથે પહેલી ફિલ્મ છે. આ ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે.

આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા પછી રણબીર કપૂર કામ પર પરત, પાપારાઝીઓએ તેને 'હેપ્પી મેરેજ'ની શુભેચ્છાઓ આપી
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 6:30 PM
Share

અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) તેના લગ્નના બે દિવસ બાદ જ કામ પર પરત ફર્યો છે. અભિનેતાએ ગુરુવારે આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે તેના બાંદ્રા સ્થિત ઘરે લગ્ન કર્યા હતા. આજે સવારે, તે કામ પર પાછો જોવા મળ્યો હતો. આ સમયે, પાપારાઝીઓ તેની તસવીરો ક્લિક કરવા અને તેને શુભેચ્છાઓ પાઠવવા માટે ઉમટી પડયા હતા. પાપારાઝીઓએ રણબીરને મુંબઈ ખાતે (Mumbai) અંધેરીમાં તેની કારમાંથી બહાર નીકળતા તસવીરો ક્લિક કરી હતી. તેણે બ્લુ પ્લેઈડ શર્ટ અને બેઈજ કલરનું પેન્ટ પહેર્યું હતું. તેણે બ્લેક કેપ અને ફેસ માસ્ક પણ પહેર્યો હતો.

રણબીરનો આ કેઝયુઅલ લૂક અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. રણબીર કપૂરનું વર્ક ડેડિકેશન જોઈને અનેક લોકો તેના વખાણ કરી રહયા છે.

રણબીર અને આલિયા લગ્ન પહેલા લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા. રણબીરની પિતરાઈ બહેનો કરીના કપૂર, કરિશ્મા કપૂર, બહેન રિદ્ધિમા કપૂર સાહની, માતા નીતુ કપૂર, સૈફ અલી ખાન, ભરત સાહની, આલિયાની માતા સોની રાઝદાન, પિતા મહેશ ભટ્ટ, બહેન શાહીન ભટ્ટની હાજરીમાં તેમના લગ્ન એક ખુબ પ્રાઇવેટ સેરેમનીમાં પૂર્ણ થયા હતા. જેમાં, પૂજા ભટ્ટ અને માત્ર ઘણા નજીકના પરિવારજનો અને મિત્રોએ હાજરી આપી હતી. આ લગ્નમાં ફિલ્મ નિર્માતા કરણ જોહર અને અયાન મુખર્જી પણ સામેલ થયા હતા.

રણબીર કપૂર લગ્ન પછી કામ પર પરત ફર્યો

તેમના લગ્ન પછી, આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર તેમના સ્વાગત સમારંભની તસવીરો શેર કરી છે અને તેને કેપ્શન આપ્યું કે, “આજે, પરિવાર અને મિત્રોથી ઘેરાયેલા, ઘરે… અમારા મનપસંદ સ્થાન પર, બાલ્કનીમાં જ્યાં અમે અમારા સંબંધોના છેલ્લા 5 વર્ષ વિતાવ્યા હતા, તે છે. જ્યાં અમે લગ્ન કર્યા. અમારી પાછળ પહેલેથી જ ઘણું બધું છે, અમે સાથે મળીને વધુ યાદો બનાવવા માટે રાહ જોઈ શકતા નથી… પ્રેમ, હાસ્ય, મૌન, મૂવી નાઈટ્સ, રેડ વાઇન, હેપ્પી અને સુગર બાઇટ્સથી ભરેલી યાદો. અમારા જીવનના આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય દરમિયાન બધાના પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભાર. તેણે આ ક્ષણને વધુ ખાસ બનાવી છે. લવ, રણબીર અને આલિયા…”

આ પછી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના ઘરની બહાર નીકળ્યા અને તેમના ઘરની બહાર એકઠા થયેલા મીડિયા હાઉસીસ માટે ક્યૂટ પોઝ આપ્યા હતા. ત્યારબાદ રણબીર આલિયાને ખોળામાં લઈને અંદર જતો જોઈ શકાય છે.

રણબીર કપૂરનો લેટેસ્ટ વીડિયો જુઓ

આ પણ વાંચો – ભારતી સિંહે નીતુ કપૂરને કુકર કર્યું ગિફ્ટ, આલિયા ભટ્ટની સાસુએ આપ્યો આવો જવાબ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">