AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 વર્ષ પછી ખબર પડી કે CID શો કેમ બંધ કરાયો? દયાએ શો બંધ થવા પાછળનું કારણ જણાવ્યું

સદાબહાર ક્લાસિક શો CIDના લાખો ચાહકો છે. દરેક વ્યક્તિ શો બંધ થવા અંગે ફરિયાદ કરી રહ્યા હતા. પરંતુ દયાનંદ શેટ્ટીએ શો બંધ થવા પાછળનું કારણ જાહેર કર્યું છે.

7 વર્ષ પછી ખબર પડી કે CID શો કેમ બંધ કરાયો? દયાએ શો બંધ થવા પાછળનું કારણ જણાવ્યું
| Updated on: Aug 26, 2026 | 8:04 AM
Share

ખુબ ઓછા ટીવી શો ચાહકોના દિલમાં પોતાની છાપ છોડે છે અને ક્લાસિક બની જાય છે. આવો જ એક શો છે સીઆઈડી. જે પહેલી વખત 1998માં શરુ થયો હતો અને 2018માં બંધ થતા પહેલા અંદાજે 2 દશક સુધી ચાહકોનું મનોરંજન કરતો રહ્યો હતો. આ ફેમસ ક્રાઈમ સીરિઝ 2024માં એક નવી સીઝનની સાથે આવી હતી. જેના માટે ફેમસ પાત્ર ફરીથી સ્ક્રીન પર જોવા મળ્યા હતા. હવે સિદ્ધાર્થ કન્નનના પોડકાસ્ટ પર વાતચીત દરમિયાન દયાનું પાત્ર નિભાવનાર દયાનંદ શેટ્ટીએ જણાવ્યું કે, રિયલમાં શો બંધ થવાનું કારણ શું છે.

તેમણે એ પણ કહ્યું કે, જ્યારે શો બંધ કરવાનો નિર્ણય લીધો. ત્યારે ફેમસ સિંગર લતા મંગેશકરે વચ્ચે આવ્યા હતા અને મેકર્સ સાથે વાતચીત કરી હતી. દયાનંદે જણાવ્યું કે, સીઆઈડીના એકટર્સ શોના પ્રોડ્યુસર્સને ખુબ પસંદ કરતા હતા. પરંતુ 2018માં ચેનલ પ્રોડ્યુસર્સને બદલવા માંગતી હતી. જેનો આ બધા એક્ટરે વિરોધ કર્યો હતો.

CID શો કેમ બંધ થયો?

તેમણે સમજાવ્યું, “અંદરના રાજકારણને કારણે તે બંધ કરવામાં આવ્યો હતો. સમસ્યાઓ 2016 માં શરૂ થઈ હતી. ચેનલ નિર્માતાઓ બદલવા માંગતી હતી, પરંતુ કલાકારો તેના માટે તૈયાર ન હતા. અમે સોનીને જાણતા ન હતા. અમે ‘ફાયરવર્કસ’ ના કલાકારો હતા. 21 વર્ષ થઈ ગયા હતા, પરંતુ અમે ક્યારેય કરાર પર હસ્તાક્ષર કર્યા ન હતા. બધું નિર્માતાઓના નિર્દેશો પર આધારિત હતું. ચેનલ માટે આ આશ્ચર્યજનક હતું. શરૂઆતમાં, અમે નારાજ હતા.”

લતા મંગેશકરે અમેરિકા સુધી ફોન કર્યો

દયાનંદે આગળ કહ્યું કે, જ્યારે શો બંધ થવાનો હતો. તો ફેમસ દિવગંત સિંગર લતા મંગેશકરે કાસ્ટ માટે લડાઈ લડી હતી.તેમણે કહ્યું લતા જી અમારી ખુબ મોટી ચાહક હતી. તે અમને ખુબ પસંદ કરતી હતી અને હંમેશા અમારો સાથ આપતી હતી. જ્યારે શો બંધ થયો ત્યારે તેમણે અમારા માટે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે સોની અમેરિકા સુધી ફોન કર્યો હતો. તેમણે કહ્યું હું આ શો જોઉં છું. તમે આ શો કેવી રીતે બંધ કરી રહ્યા છે. તમને મુશ્કેલી શું છે.

ઈજાને કારણે સ્પોર્ટ્સમેનમાંથી અભિનેતા બન્યો, દયાને CIDએ હિરો બનાવી દીધો અહી ક્લિક કરો

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">