મહાદેવ સટ્ટાબાજીની એપમાં પકડાયેલો Sahil Khan કોણ છે? આ બોલિવૂડ સ્ટાર્સના પણ આવી ગયા છે નામ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં બોલિવૂડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ કરવામાં આવી છે. અભિનેતા પર આ એપનો સીધો પ્રચાર કરવાનો આરોપ છે. તેની છત્તીસગઢમાંથી ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અભિનેતાનું નામ અગાઉ પણ વિવાદો સાથે જોડાયેલું છે. તાજેતરમાં જ તેણે બીજા લગ્ન પણ કર્યા છે.

મહાદેવ સટ્ટાબાજીની એપમાં પકડાયેલો Sahil Khan કોણ છે? આ બોલિવૂડ સ્ટાર્સના પણ આવી ગયા છે નામ
Who is Sahil Khan
Follow Us:
| Updated on: Apr 29, 2024 | 8:38 AM

બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળેલા એક્ટર સાહિલ ખાનની મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. છત્તીસગઢના જગદલપુરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સાહિલ ખાન ધ લાયન બુક નામની એપ સાથે સંકળાયેલો છે અને તેણે તેનું પ્રમોશન પણ કર્યું છે, પરંતુ આ એપ મહાદેવ બેટિંગ એપ નેટવર્કનો ભાગ છે.

તેણે આ એપ લોન્ચ કરી અને તેના પ્રમોશનલ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. હવે તે આ કેસમાં મુંબઈ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ચાલો જાણીએ શું છે મહાદેવ એપ અને કોણ છે સાહિલ ખાન જેની પોલીસે ધરપકડ કરી હતી.

મહાદેવ બેટિંગ એપ શું છે?

મહાદેવ બેટિંગ એ એક એપ છે જે સટ્ટાબાજી માટે બનાવવામાં આવી છે. આ એપ દ્વારા ફૂટબોલ, ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ અને અન્ય રમતો પર સટ્ટાબાજી કરવામાં આવે છે. ચૂંટણીમાં ગેરકાયદે સટ્ટો પણ આ એપ દ્વારા કરવામાં આવે છે. ઘણા યુઝર્સ આ એપની જાળમાં ફસાઈ ગયા અને મોટું કૌભાંડ જોવા મળ્યું.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર અનુસાર, આ કૌભાંડ લગભગ 15000 કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે. આ કેસમાં સાહિલ ઉપરાંત વધુ 32 લોકોના નામ સામે આવ્યા છે.

અનેક સ્ટાર્સના નામ આવ્યા છે સામે

તમને જણાવી દઈએ કે સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ કેસમાં સાહિલ ખાન સિવાય અન્ય સ્ટાર્સનું નામ પણ જોડવામાં આવ્યું છે. આ એપને લગતી વેબસાઈટ પર ઘણા સ્ટાર્સના વીડિયો જોવા મળ્યા, જે આ એપનો પ્રચાર કરતા જોવા મળ્યા. આ લિસ્ટમાં હુમા કુરેશી, આદિત્ય રોય કપૂર, કપિલ શર્મા, શક્તિ કપૂર, શ્રદ્ધા કપૂર, બોમન ઈરાની અને કુણાલ ખેમુ જેવા સ્ટાર્સના નામ આવ્યા છે.

કોણ છે સાહિલ ખાન?

સાહિલ ખાન બોલિવૂડ એક્ટર છે પરંતુ તેણે પોતાના કરિયરમાં બહુ ઓછી ફિલ્મો કરી છે. તેની બોલિવૂડ કરિયર પણ ટૂંકી હતી. 15 વર્ષની ઉંમરે તે ઘરેથી ભાગી ગયો અને તેની કરિયર બનાવવા માટે મુંબઈ આવ્યો. તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2001માં ફિલ્મ સ્ટાઇલથી કરી હતી.

આ પછી અભિનેતાએ એક્સક્યુઝ મી, રામા, અલાદ્દીન અને ડબલ ક્રોસ જેવી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ આ ફિલ્મો ચાલી નહીં. તે પોતાની ફિટનેસ માટે જાણીતો છે. તે સોશિયલ મીડિયા પર તેના શરીરને લઈને પણ ખૂબ ચર્ચામાં છે.

તેણે વર્ષ 2003માં નેગર ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન માત્ર 2 વર્ષ જ ચાલ્યા હતા. આ પછી તેણે વર્ષ 2024માં મેલેના નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા. જો રિપોર્ટ્સનું માનીએ તો તેનું નામ જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ સાથે પણ જોડવામાં આવ્યું છે. આ સિવાય તેનું નામ વર્ષ 2014માં એક જીમમાં થયેલી ફાઈટના સંદર્ભમાં પણ સામે આવ્યું હતું.

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">