AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લલિત મોદીએ કર્યા લગ્ન કે સગાઈ? લલિત મોદીના ટ્વીટના 20 કલાક બાદ સુસ્મિતા સેને કર્યો ખુલાસો

લલિત મોદી સાથેના સંબંધો સામે આવ્યા બાદ સુષ્મિતા સેને પોતાની પહેલી પોસ્ટ શેયર કરી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પુત્રીઓ રેની અને અલીશા સાથે એક ફોટો શેયર કર્યો અને કહ્યું કે તે ખૂબ જ ખુશ છે. તેણે લખ્યું હતું કે, 'હું અત્યારે મારી ખુશીની જગ્યાએ છું. તે માત્ર અપાર પ્રેમ છે.'

લલિત મોદીએ કર્યા લગ્ન કે સગાઈ? લલિત મોદીના ટ્વીટના 20 કલાક બાદ સુસ્મિતા સેને કર્યો ખુલાસો
લલિત મોદીના ટ્વીટના 20 કલાક બાદ સુસ્મિતા સેને કર્યો ખુલાસોImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 6:15 PM
Share

Sushmita Sen: લલિત મોદી અને સુષ્મિતા સેન (Sushmita Sen) પોતાના સંબંધોને લઈને સતત ચર્ચામાં રહે છે. 14 જુલાઈના રોજ લલિતે સુષ્મિતા સેન  સાથે વેકેશનની ઘણી ફોટો સાથે પોસ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ ફોટા સોશિયલ મીડિયા (Social media) પર ઝડપથી વાયરલ થયા અને દરેક જગ્યાએ હેડલાઈન્સમાં બંનેનો ઉલ્લેખ થવા લાગ્યો. જો કે અત્યાર સુધી યુઝર્સ માટે આ મોટા સમાચારને પચાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. લલિત મોદીએ ટ્વીટર પર સુષ્મિતા સેન સાથેના ફોટો શેયર કર્યા છે. આ ફોટામાં બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. લલિતે ટ્વીટમાં લખ્યું ‘પરિવારો સાથે શાનદાર પ્રવાસ. મારી સુંદર જીવનસાથી સુષ્મિતા સેન. હું મારા જીવનનો આ નવો તબક્કો શરૂ કરીને ખુશ છું.

સુષ્મિતાએ શેયર કરેલી પોસ્ટ

સુષ્મિતા સેન અને લલિત મોદી ઈટાલીના એક સુંદર ટાપુ પર સાથે વેકેશન પર ગયા હતા. આ પછી લલિત લંડન પાછો ગયો અને સુષ્મિતા સેન સાથે ફોટો પોસ્ટ કર્યો. હવે લલિતની પોસ્ટના 20 કલાક બાદ સુષ્મિતાએ પણ ફોટા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. લલિત મોદી સાથેના સંબંધો સામે આવ્યા બાદ સુષ્મિતા સેને પોતાની પહેલી પોસ્ટ શેયર કરી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પુત્રીઓ રેની અને અલીશા સાથે એક ફોટો શેર કર્યો અને કહ્યું કે તે ખૂબ જ ખુશ છે. તેણે લખ્યું કે, હું અત્યારે મારી ખુશીની જગ્યાએ છું. હું પરિણીત નથી. તે માત્ર અપાર પ્રેમ છે.’

આ પણ વાંચો

સુષ્મિતા અને લલિતના ફોટા સામે આવ્યા બાદ અને તેમનું ટ્વીટ વાંચીને બધાને આશ્ચર્ય થયું હતું. તે કેટલાક સમજી ગયા કે દંપતીએ લગ્ન કરી લીધા છે. સુષ્મિતાના હાથમાં એક મોટી હીરાની વીંટી પણ જોવા મળી હતી. આ જોઈને લોકોએ અનુમાન લગાવ્યું કે બંનેની સગાઈ થઈ ગઈ છે. જો કે કેટલાક ટ્વીટના જવાબમાં લલિતે કહ્યું હતું કે એવું નથી. બંને હાલમાં એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેણે લગ્ન કર્યા નથી કે સગાઈ કરી નથી.

મોદીના પુત્રએ પણ પ્રતિક્રિયા આપી

સુષ્મિતા સેનનો પરિવાર અને નજીકના મિત્રો હજુ પણ આ સમાચાર પર મૌન સેવી રહ્યા છે. તેમના ભાઈ રાજીવ સેને કહ્યું હતું કે તેઓ પણ આ સમાચાર જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે જ સમયે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શૉલનું કહેવું છે કે સુષ્મિતા અને લલિતને એકલા છોડીને તેમની ખુશીમાં આનંદ કરવો જોઈએ. બીજી તરફ લલિત મોદીના પુત્ર રૂચિર મોદીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રૂચિરનું કહેવું છે કે તે પરિવારની અંગત બાબત વિશે વાત કરવા તૈયાર નથી. ધંધાની વાત હોય કે બીજી કોઈ બાબત હોય તો વાત કરી શકાય.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">