50 વર્ષનું કરિયર, 350 ફિલ્મ, ટોલીવુડના પહેલા સુપરસ્ટાર હતા મહેશ બાબુના પિતા Krishna

મીડિયા રિપોર્ટ્સ મુજબ મહેશ બાબુના (Mahesh Babu) પિતાને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમને દુનિયાને અલવિદા કહી દીધું છે.

50 વર્ષનું કરિયર, 350 ફિલ્મ, ટોલીવુડના પહેલા સુપરસ્ટાર હતા મહેશ બાબુના પિતા Krishna
mahesh babu Father DiedImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2022 | 4:22 PM

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા હવે આ દુનિયામાં નથી. 15 નવેમ્બરે સવારે 4 વાગ્યે તેમનું અવસાન થયું. તેમનું નિધન થવાથી સમગ્ર ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. રિપોર્ટ મુજબ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેમને 14 નવેમ્બરે હૈદરાબાદની કોન્ટિનેંટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમની હાલત સ્થિર હોવાનું જણાવા મળ્યું હતું. પરંતુ 79 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.

ફિલ્મોની સાથે રાજકારણમાં પણ અજમાવ્યો છે હાથ

સાઉથ એક્ટર કૃષ્ણાના કરિયરની વાત કરીયે તો તેને વર્ષ 1967માં રિલીઝ થયેલી ‘અલ્લૂરી સીતારામ રાજૂ’ જેવી ઘણી ઐતિહાસિક ફિલ્મો માટે હંમેશા યાદ કરવામાં આવશે. આ સાથે વર્ષ 1965માં કૃષ્ણાએ ઈન્દિરા દેવી સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્ર અને ત્રણ પુત્રી છે. આ વર્ષની શરૂઆતમાં તેમના મોટા પુત્ર રમેશ બાબુનું પણ અવસાન થયું હતું. કૃષ્ણા રાજકારણમાં પણ એક્ટિવ હતા. ફિલ્મો સિવાય તેમને રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. વર્ષ 1984માં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

5 દાયકાની ફિલ્મી કરિયરમાં આટલી બધી ફિલ્મો

મહેશ બાબુના પિતા ઘટ્ટામનેની શિવ રામ કૃષ્ણ મૂર્તિ ઉર્ફે કૃષ્ણાએ પોતાના પાંચ દાયકાના કારકિર્દીમાં એટલી બધી ફિલ્મો કરી છે કે કોઈ પણ હેરાન થઈ જશે. તેમને પોતાના ફિલ્મી કરિયરમાં 350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સાથે જ, તેમને એક્ટર તરીકે વર્ષ 1965માં ફિલ્મ ‘થેને મનસુલુ’થી શરૂઆત કરી, જે સુપરહિટ સાબિત થઈ. આ સિવાય તેને વર્ષ 1966માં ‘ગુડાચારી 116’ કરી હતી, જે એક જાસૂસી ફિલ્મ તરીકે સુપરહિટ સાબિત થઈ હતી.

પદ્મ ભૂષણથી સન્માનિત

રાજકીય કરિયરની વિશે વાત કરીએ તો, કૃષ્ણા વર્ષ 1989માં એલુરુથી લોકસભા માટે ચૂંટાયા હતા. જે બાદ વર્ષ 1991માં તેઓ આ જ મતદારક્ષેત્રથી ચૂંટણી હારી ગયા હતા. રાજીવ ગાંધીની હત્યા બાદ કૃષ્ણાએ રાજકારણ સાથેના સંબંધો તોડી નાખ્યા અને અંતર બનાવી લીધું. તેમને વર્ષ 2003માં એનટીઆર નેશનલ એવોર્ડ સહિત ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. એટલું જ નહીં ખાસ વાત એ છે કે વર્ષ 2009માં તેમને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">