AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir Alia Wedding: શું રણબીર અને આલિયાએ તેમના લગ્ન રાખ્યા મુલતવી ? બંનેના લગ્નને લઈને ભાઈ રાહુલ ભટ્ટે કહી આ વાત

Ranbir Alia Wedding: લગ્નની તમામ તૈયારીઓ વચ્ચે આલિયા ભટ્ટના ભાઈ રાહુલનું કહેવું છે કે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા છે. વધુમાં તેણે આમ પણ કહ્યું છે કે હવે આ દિવસે રણબીર અને આલિયા સાત ફેરા લેશે.

Ranbir Alia Wedding: શું રણબીર અને આલિયાએ તેમના લગ્ન રાખ્યા મુલતવી ? બંનેના લગ્નને લઈને ભાઈ રાહુલ ભટ્ટે કહી આ વાત
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 12:32 PM
Share

Alia Ranbir Wedding: ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) અને અભિનેતા રણબીર કપૂરના (Ranbir Kapoor) લગ્ન નક્કી થઈ ગયા છે અને ટૂંક સમયમાં શરણાઈઓ વાગશે. છેલ્લા ઘણા દિવસોથી આ કપલના આ સિક્રેટ લગ્નને લઈને વિવિધ પ્રકારના સમાચાર અને અહેવાલો સામે આવી રહ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની (Alia Ranbir Wedding) તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જ્યાં પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, રણબીર અને આલિયા 17 તારીખે લગ્ન કરી રહ્યા છે, ત્યારબાદ સમાચાર આવ્યા કે લગ્ન 14 કે 15 તારીખે થશે. પરંતુ હવે ફરી એક વાર સવાલો ઉઠી રહ્યા છે કે લગ્ન ક્યારે થવાના છે.

આ તારીખે લેશે સાત ફેરા

હાલમાં જ આલિયા ભટ્ટના સાવકા ભાઈ રાહુલ ભટ્ટે (Rahul Bhatt) એક ઈન્ટરવ્યુમાં આ દાવો કર્યો છે. ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું છે કે, 13 કે 14 એપ્રિલે તેની બહેન લગ્ન નહીં કરે. આ ઈન્ટરવ્યુ દરમિયાન વાત કરતા રાહુલે કહ્યું કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમના લગ્નની તારીખ લંબાવવાનો નિર્ણય કર્યો છે. લગ્ન સાથે જોડાયેલી માહિતી મીડિયામાં લીક થઈ છે. જેના કારણે બંનેએ લગ્નની તારીખ આગળ વધારવાનો નિર્ણય લીધો છે. રાહલ ભટ્ટે પણ કબૂલાત કરી છે કે, આલિયા અને રણબીર 14 એપ્રિલે સાત ફેરા લેવાના હતા, પરંતુ હવે આ લગ્ન લગભગ 20 એપ્રિલ સુધી ચાલશે.

આ માહિતી થઈ હતી લીક

જણાવી દઈએ કે, મીડિયા રિપોર્ટ્સમાં લગ્નની તારીખથી લઈને ઈવેન્ટના સ્થળ સુધીના ફૂડ મેનુ અને ગેસ્ટ લિસ્ટ લીક થયા હતા. આ સિવાય બંનેના લગ્નના પોશાકને લઈને પણ ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે આલિયા અને રણબીરના પરિવાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે, રાહુલના આ નિવેદન બાદ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે આ સ્ટાર કપલ્સ આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એપ્રિલની આસપાસ લગ્નનું પ્લાનિંગ કરી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:Alia Ranbir Wedding: રણબીર-આલિયાના લગ્ન પહેલા વાસણવાળાના વાહનનો વીડિયો વાયરલ થયો, RK સ્ટુડિયો ઝળહળી ઉઠ્યો

આ પણ વાંચો: Alia Ranbir Wedding : વરરાજાના ઘરે પહોંચી શેરવાની, શું આલિયા ભટ્ટ સબ્યસાચીનો બ્રાઇડલ લહેંગો પહેરશે ??

Follow Us
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
g clip-path="url(#clip0_868_265)">