AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Ranbir Wedding : વરરાજાના ઘરે પહોંચી શેરવાની, શું આલિયા ભટ્ટ સબ્યસાચીનો બ્રાઇડલ લહેંગો પહેરશે ??

Alia Bhatt Wedding : આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા અત્યારે આખા દેશમાં થઈ રહી છે. જોકે, આ અંગે બંને પક્ષો તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Alia Ranbir Wedding : વરરાજાના ઘરે પહોંચી શેરવાની, શું આલિયા ભટ્ટ સબ્યસાચીનો બ્રાઇડલ લહેંગો પહેરશે ??
Alia Bhatt and Ranbir Kapoor (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 10:46 PM
Share

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના (Alia Bhatt) લગ્નને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બંનેના ઘરમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજે, સવારે ઇવેન્ટ ડેકોરેટર્સ રણબીરના ઘરે જતા જોવા મળ્યા હતા, હવે બપોરે ડિઝાઇનર કપડાના પાર્સલ સાથે એક કેબ રણબીરના ઘરે જતા જોવા મળી હતી. આ કારની પાછળની સીટ પર પ્રખ્યાત ડિઝાઈનર સબ્યસાચીના (Sabyasachi) લેબલવાળી ઘણી બેગ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેગમાં રણબીર અને આલિયા ભટ્ટના વેડિંગ આઉટફિટસ છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

જો કે, અત્યાર સુધી રણબીર કપૂર અને આલિયામાંથી કોઈએ પણ તેમના લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. રણબીર અને આલિયાના ઘરે ચાલી રહેલી તૈયારીઓને ધ્યાનમાં રાખીને કહી શકાય કે ટૂંક સમયમાં રણબીર આલિયાના ફેન્સને તેમના લગ્નના ‘ગુડ ન્યૂઝ’ સાંભળવા મળી શકે છે.

અમે તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના લગ્નના દિવસે સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલા પોશાક પહેરશે અને કપલના લગ્નનો પોશાક પેસ્ટલ કલરનો હશે. સબ્યસાચી ઉપરાંત, આલિયા લગ્નના કેટલાક ફંક્શનમાં મનીષ મલ્હોત્રાના કપડાં પણ પહેરવાની છે, તેવું જાણવા મળી રહ્યું છે.

જાણો આલિયાના લગ્ન ક્યારે થશે

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિધિઓ આગામી તા. 13 એપ્રિલથી શરૂ થશે અને 17 એપ્રિલ સુધી ચાલશે. આ સ્ટાર કપલ ઋષિ કપૂર અને નીતુ કપૂરના પગલે ચાલશે અને પરંપરાગત પંજાબી વિધિમાં લગ્ન કરશે. તેમના લગ્ન દરમિયાન સંગીત, મહેંદી જેવી વિધિ અને કોકટેલ પાર્ટી કપૂર પરિવારના આરકે સ્ટુડિયોમાં યોજાશે.

લગ્ન રણબીર કપૂરના ઘર ‘વાસ્તુ’માં થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ અને રણબીરના લગ્ન આ વર્ષના સૌથી મોટા લગ્નોમાંથી એક હશે.

મનીષ મલ્હોત્રા કે સબ્યસાચીનો બ્રાઇડલ લહેંગો હશે ??

કપૂર પરિવાર અને આલિયા ભટ્ટ પણ સબ્યસાચીની સાથે મનીષ મલ્હોત્રાના આઉટફિટ્સમાં પણ જોવા મળી શકે છે. આલિયા ભટ્ટની ખાસ મિત્ર અનુષ્કા રંજન પણ આ લગ્નમાં મનીષ મલ્હોત્રાનો ડિઝાઈનર લહેંગો પહેરવાની છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ એવું પણ કહે છે કે, આલિયા ભટ્ટ તેના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો બ્રાઇડલ લહેંગો પણ પહેરી શકે છે. હવે આ વર-કન્યા કયા ડિઝાઇનરના કપડામાં સાત ફેરા લેશે તે તો આવનારો સમય જ કહેશે.

આ પણ વાંચો – BRAHMASTRA New Motion Poster: ‘લગ્ન’ના સમાચાર વચ્ચે ‘બ્રહ્માસ્ત્ર’નું નવું પોસ્ટર આવ્યું સામે, ચાહકોએ જોઈ રણબીર-આલિયાની મજબૂત કેમેસ્ટ્રી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">