‘ધુરંધર: ધ રિવેન્જ’ પર પ્રિયદર્શનનો કરારો જવાબ, પ્રોપેગેંડા આરોપોનું આ રીતે કર્યુ ખંડન..
Priyadarshan on Dhurandhar 2 : 'ધુરંધર: ધ રિવેન્જ'ની સફળતા વચ્ચે પ્રિયદર્શને પ્રોપોગેંડાના આરોપોનો ખુલ્લેઆમ જવાબ આપ્યો છે. આ ઉપરાંત ફિલ્મને ટેકો આપતા કહ્યું કે દર્શકોની પસંદગી સૌથી મોટી શક્તિ છે

ફિલ્મ ‘ધુરંધર 2’ હાલમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. જોકે, ફિલ્મને લઈને ઘણા વિવાદો પણ ઉભા થઈ રહ્યા છે. કેટલાક લોકો તેને પ્રોપોગેંડા કહી રહ્યા છે. જેના પર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પ્રિયદર્શને હવે આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે ફિલ્મનો બચાવ કર્યો અને તેના વિવેચકો પર સવાલ ઉઠાવ્યા.
પ્રોપોગેંડા અંગે પ્રિયદર્શને તોડ્યું મૌન
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં, પ્રિયદર્શને આદિત્ય ધરની ફિલ્મની આસપાસની ટીકાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ફિલ્મમાં કઈ પણ ખોટું કે પ્રોપોગેંડામાં નથી. આ ફક્ત વાર્તા રજૂ કરવાની એક રીત છે. દેશભરના પ્રેક્ષકો ફિલ્મને પ્રેમ કરી રહ્યા છે અને સ્વીકારી રહ્યા છે, ત્યારે થોડા લોકોના નકારાત્મક મંતવ્યોનું કોઈ અર્થહીન થતું નથી. શું ફિલ્મ જોનારાઓ મૂર્ખ છે? જો આટલા બધા લોકો ફિલ્મને પસંદ કરી રહ્યા છે, તો તેનો અર્થ એ છે કે તેમાં કંઈક ખાસ છે. આ ઉપરાંત તેમણે એવી પણ સલાહ આપી કે દરેકના મંતવ્યો અલગ અલગ હોય છે, તેથી આવા વિવાદો વધારવાની કોઈ જરૂર નથી.
આ ફિલ્મની થઈ રેકોર્ડબ્રેક કમાણી
રણવીર સિંહની ફિલ્મે રિલીઝ થયા પછી રેકોર્ડબ્રેક કમાણી કરી છે. આ ફિલ્મમાં સંજય દત્ત, રાકેશ બેદી, આર. માધવન, સારા અર્જુન અને અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ એક ભારતીય જાસૂસની મિશન પર છે જે પાકિસ્તાની નેટવર્કને તોડી પાડવા માટે અંડરવર્લ્ડમાં જાય છે.
પ્રિયદર્શનની આગામી ફિલ્મો..
પ્રિયદર્શન ટૂંક સમયમાં અક્ષય કુમાર, વામિક ગબ્બી, રાજપાલ યાદવ, તબ્બુ અને પરેશ રાવલ જેવા અભિનેતા સાથે ફિલ્મ ‘ભૂત બંગલા’ રિલીઝ કરી રહ્યા છે. તેમની પાસે ‘હૈવાન’ ફિલ્મ પણ લાઇનમાં છે. ફિલ્મ ‘હૈવાનનું’ શૂટિંગ પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે.
‘ભૂત બંગલા’માં અસરાની સાથેનો અનુભવ, પ્રિયદર્શને યાદ કર્યા અત્યાર સુધીની યાદો..વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો