AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lobbying Against Kartik Aryan: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્તિક આર્યન સામે લોબિંગ પર અભિનેતાએ આપ્યો જવાબ, કહ્યું લોકો ખોટી વાતો બનાવે છે

ભૂલ ભુલૈયા 2 ફિલ્મના કારણે ચર્ચામાં આવેલા કાર્તિક આર્યનએ (Kartik Aryan) ઈન્ડસ્ટ્રીમાં તેની સામે થઈ રહેલી લોબિંગ પર પોતાનું મૌન તોડ્યું છે. અભિનેતાએ કહ્યું કે લોકો ખોટી વાતો કરે છે.

Lobbying Against Kartik Aryan: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્તિક આર્યન સામે લોબિંગ પર અભિનેતાએ આપ્યો જવાબ, કહ્યું લોકો ખોટી વાતો બનાવે છે
Kartik AaryanImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 2:25 PM
Share

આ દિવસોમાં કાર્તિક આર્યન તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 (Bhool Bhulaiyaa 2) ને લઈને ચર્ચામાં છે. આ પહેલા કાર્તિકને ફિલ્મ દોસ્તાના 2માં (Dostana 2) કામ કરવાની તક મળી હતી. જે બાદ તેને કોઈ કારણસર ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ પછી ચર્ચા થઈ હતી કે કાર્તિક આર્યનના (Kartik Aaryan) હાથમાંથી ઘણી ફિલ્મોના પ્રોજેક્ટ જતા રહ્યા છે. તેની પાછળનું કારણ પણ સામે આવ્યું, જેને જાણીને બધા ચોંકી ગયા હતા. વાસ્તવમાં, કાર્તિક આર્યનની ઘણી ફિલ્મો ગુમાવવાનું કારણ કરણ જોહર સાથેના તેના ખરાબ સંબંધો હોવાનું કહેવાય છે. હવે કાર્તિકે પહેલીવાર આ અફવા પર પ્રતિક્રિયા આપીને પોતાનું મૌન તોડ્યું છે.

તેની ફિલ્મ ભૂલ ભુલૈયાના પ્રમોશન દરમિયાન, કાર્તિક આર્યનએ કેટલીક વાતો કરી હતી, જેણે ઘણી અફવાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. પ્રમોશન દરમિયાન કાર્તિકે કહ્યું કે તે પોતાના કામને લઈને ખૂબ જ સિરીયસ છે. આ કારણે તે પોતાના કામ પર જ ધ્યાન આપે છે. ભૂલ ભુલૈયા ઉપરાંત તેની પાસે ઘણા સારા ફિલ્મ પ્રોજેક્ટ આવી રહ્યા છે.

કાર્તિકને એક પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું કે ઘણા લોકો તેની વિરુદ્ધ ફિલ્મોમાં લોબિંગ કરી રહ્યા છે. જેના જવાબમાં કાર્તિકે કહ્યું કે આવું કંઈ નથી. કેટલીકવાર લોકો ખોટી વાતો બનાવે છે. આનાથી આગળ કાર્તિકે આ બાબતે કંઈપણ જવાબ આપવાનું જરૂરી ન સમજ્યું. અભિનેતાએ આગળ કહ્યું કે દરેકને ફક્ત કામ જોઈએ છે, તેના સિવાય કોઈની પાસે કોઈ વસ્તુ માટે સમય નથી. માત્ર એક સારું કામ. આ સિવાય બધુ અફવા છે.

ઈન્ડસ્ટ્રીમાં બગડતા સંબંધોએ ઘણા પ્રોજેક્ટ છીનવી લીધા

રિપોર્ટ્સ મુજબ, કાર્તિક આર્યનને ફિલ્મ દોસ્તાના 2માંથી બહાર કરવામાં આવ્યો હતો. કાર્તિકે ફિલ્મના મોટા ભાગનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું હતું. જોકે, થોડા સમય પછી ધર્મા પ્રોડક્શને ઓફિશિયલ નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે કાર્તિક આર્યનને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ સિવાય મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કાર્તિક આર્યન ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં પણ જોવા મળવાનો છે. જોકે, જાહ્નવી કપૂર સાથેના સંબંધોમાં તિરાડને કારણે તેણે ફિલ્મમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

ભૂલ ભુલૈયા 2 નું ટ્રેલર રિલીઝ

આ સિવાય તાજેતરમાં જ કાર્તિકની ભૂલ ભુલૈયા 2નું ટ્રેલર સામે આવ્યું છે. આ ફિલ્મમાં તેની વિરુદ્ધ કિયારા અડવાણી અને તબુ લીડ રોલમાં છે.

અભિનેતા આગામી ફિલ્મમાં પાઇલટની ભૂમિકા ભજવશે

હાલમાં કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ કેપ્ટન ઈન્ડિયામાં પણ જોવા મળવાનો છે. આ ફિલ્મનો કાર્તિક આર્યનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પાયલોટની ભૂમિકામાં જોવા મળશે.

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">