Pm Modi Wrote Emotional Letter : લતા મંગેશકરના પરિવારને પીએમ મોદીએ લખ્યો પત્ર, વ્યક્ત કરી દિલની વ્યથા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) તાજેતરમાં ‘લતા મંગેશકર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને આ એવોર્ડ સાથે 1 લાખની રકમ પણ આપવામાં આવી હતી.
દિવંગત ગાયિકા લતા મંગેશકરના (Late Singer Lata Mangeshkar) ભાઈ સંગીતકાર હૃદયનાથ મંગેશકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’ની રકમ ગુરુવારે 26 મેના રોજ પીએમ કેયર્સ ફંડમાં દાન કરવાનો નિર્ણય કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સંગીતકારને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારની રોકડ ચેરિટેબલ સંસ્થાને દાનમાં આપવા જણાવ્યું હતું. આ વિશે ટ્વિટ કરતી વખતે દીનાનાથ મંગેશકરે લખ્યું છે કે “અમારૂં ટ્રસ્ટ પીએમ કેયર્સ ફંડમાં પ્રથમ વખત આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની રકમ દાન કરવાનો નિર્ણય કરીને તેને આપી રહ્યું છે.”
હૃદયનાથ મંગેશકરનું ટ્વીટ અહીં વાંચો..
Such a gracious & noble gesture by our Hon’ble PM Shri Narendra Modi ji, of donating the cash prize component of the 1st ever Lata Deenanath Mangeshkar Award to charity! Our Trust has decided to donate it to the PM Cares Fund. @narendramodi @PMOIndia pic.twitter.com/srCy9SH9SE
— Hridaynath Mangeshkar (@hridaynathdm) May 26, 2022
પીએમ મોદીએ લખેલો પત્ર
પીએમ મોદી દ્વારા દીનાનાથ મંગેશકરને મોકલવામાં આવેલા પત્રમાં તેમણે લખ્યું છે કે, “સૌથી પહેલા, મને “લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ” એનાયત કરવા બદલ હું ફરી એકવાર મંગેશકર પરિવારનો આભાર માનું છું. ગયા મહિને મુંબઈમાં આ એવોર્ડ સમારંભમાં મને જે હૂંફ અને સ્નેહ જોવા મળ્યો તે હું ક્યારેય નહીં ભૂલી શકું. તમારી ખરાબ તબિયતને કારણે હું તમને મળી શક્યો નહીં એ દુર્ભાગ્યપૂર્ણ હતું, પરંતુ આદિનાથે (હૃદયનાથ મંગેશકરના પુત્ર)એ ખૂબ જ સરસ રીતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.”
જાણો શું કહે છે PM મોદી
વડાપ્રધાન આગળ લખે છે કે “જ્યારે હું આ એવોર્ડ સ્વીકારવા ઉભો થયો અને મેં મારા વિચારો રજૂ કર્યા, ત્યારે મને લતા દીદીની યાદ આવી. જ્યારે હું એવોર્ડ સ્વીકારી રહ્યો હતો ત્યારે હું ફક્ત લતા દીદી વિશે જ વિચારતો હતો. આ વખતે હું રક્ષાબંધન વખતે એક રાખડીથી ગરીબ રહીશ. પીએમ મોદીએ આગળ લખ્યું કે, “મને એ વાતનો અહેસાસ થઈ રહ્યો હતો કે મારી તબિયત વિશે પૂછવા, મારી ભલાઈ વિશે પૂછવા અને મારી સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરવા માટે ફોન કોલ નહીં આવે.
લતા મંગેશકરને આપી શ્રદ્ધાંજલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં વધુમાં લખ્યું છે કે, “લતા મંગેશકર એવોર્ડ 1 લાખ રૂપિયાની રોકડ રકમ સાથે આવ્યો છે. શું હું તમને આ રકમની આવક તમારી પસંદગીની કોઈપણ સેવાભાવી સંસ્થાને દાન કરવા વિનંતી કરી શકું? આ રકમનો ઉપયોગ બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કરી શકાય છે. લતા દીદીની પણ પૈસા વિશે આ જ વિચાર હતો. હું ફરી એકવાર મંગેશકર પરિવારનો આભાર વ્યક્ત કરું છું અને લતા દીદીને મારી શ્રદ્ધાંજલી અર્પણ કરું છું.”