AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lata Mangeshkar Death Anniversary : લતા દીદીને આપ્યું ટ્રીબ્યુટ, રેતી પર બનાવી આ ખાસ તસ્વીર

Lata Mangeshkar Death Anniversary : સ્વરા કોકિલા લતા મંગેશકરના નિધનને એક વર્ષ થઈ ગયું છે. આજે પણ લતાજીના ફેન્સ તેમની વિદાયનું દુ:ખ દૂર કરી શક્યા નથી.

Lata Mangeshkar Death Anniversary : લતા દીદીને આપ્યું ટ્રીબ્યુટ, રેતી પર બનાવી આ ખાસ તસ્વીર
Lata Mangeshkar Death Anniversary
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 9:06 AM
Share

Lata Mangeshkar Death Anniversary : સ્વર કોકિલા લતા મંગેશકરના નિધનને એક વર્ષ થઈ ગયું છે. આજે પણ લતાજીના ફેન્સ તેમની વિદાયનું દુ:ખ દૂર કરી શક્યા નથી. તેનો પરિવાર દરેક ક્ષણે તેની નાની-નાની વાતોને યાદ કરે છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રીની આંખો ભીની થઈ ગઈ હતી. એક વર્ષ પહેલા આજના દિવસે લતા મંગેશકરે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

આ પણ વાંચો : ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ

ઓડિશાના પુરી બીચ પર લતાજીની પ્રતિમા

‘ભારત રત્ન’ લતાજીને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેણે 29 દિવસ સુધી જીવનની લડાઈ લડી હતી. તેને કોરોના થયો હતો, જેની સાથે તેને ન્યુમોનિયા પણ થયો હતો. લતા મંગેશકર આ બંને બીમારીઓ સામે વધુ લડી શક્યા ન હતા. આજે તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સ્વર કોકિલાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. વાસ્તવમાં લતા મંગેશકરની પ્રથમ પુણ્યતિથિના અવસર પર રેત કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ પર તેમની પ્રતિમા બનાવી છે.

આર્ટ બનાવવા માટે બહુ ઓછા રંગોનો થયો ઉપયોગ

લતા મંગેશકરની રેતીમાંથી બનેલી આ પ્રતિમા લગભગ 6 ફૂટ ઊંચી છે. આ સાથે તેણે આ પ્રતિમા સાથે લખ્યું છે કે, ‘ભારત રત્ન લતાજી કો શ્રદ્ધાંજલિ, મેરી આવાજ હી પહચાન હૈ’. આ રેત કલા જોવામાં અદ્ભુત છે. આ રીતે રેતી પર લતાજીની તસવીર બનાવીને લતાજીને શ્રદ્ધાંજલિ અર્પી, યૂઝર્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ આર્ટ બનાવવા માટે બહુ ઓછા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે રેત કલાકારે લતાજીની તસવીરની સાથે-સાથે સંગીતનું સાધન પણ બનાવ્યું છે.

દરેકના હૃદયમાં લતાજીએ બનાવ્યું સ્થાન

તમને જણાવી દઈએ કે, વર્ષ 2001માં લતા મંગેશકરને તેમના સદાબહાર ગીતો અને તેમની કળાને જોતા ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલા તેમને પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લતાજી પાસે ઘણા મોટા રાષ્ટ્રીય પુરસ્કારો હતા. તેમના ગીતો સદાબહાર રહેશે અને લતાજી હંમેશા દરેકના હૃદયમાં જીવંત રહેશે.

g clip-path="url(#clip0_868_265)">