AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ

લતા મંગેશકરને 'મેલોડી ક્વીન' કહેવામાં આવતા હતા. તેમણે પાંચ વર્ષની ઉંમરે ગાયનની તાલીમ લેવાનું શરૂ કરી દીધુ હતું. ગાયિકાના રૂપમાં તેમની કારકિર્દી 1942 માં શરૂ થઈ હતી. તેમણે હિન્દી, મરાઠી, તમિલ, કન્નડ, બંગાળી સહિત 36 ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે.

ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ
Tribute to Bharat Ratna Lata Mangeshkar
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 6:19 PM
Share

કોર્પોરેટ દિગ્ગજોએ રવિવારે સ્વર કોકિલા લતા મંગેશકરને (Lata Mangeshkar Death) હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે આજે દેશે એક મહાન વ્યક્તિત્વ ગુમાવ્યું છે.  આરપી સંજીવ ગોએન્કા ગ્રૂપના ચેરમેન સંજીવ ગોએન્કાએ કહ્યું કે લતાજીનું સંગીત આવનારા વર્ષોમાં પણ દરેકને મંત્રમુગ્ધ કરતું રહેશે. આરપી ગોએન્કા ગ્રુપ પાસે સૌથી જૂનું મ્યુઝિક લેબલ સારેગામાનું સ્વામિત્વ ધરાવે છે. ગોએન્કાએ કહ્યું, “લતાજી અને મારી માતા એકબીજા માટે બહેનો જેવા હતા. તેઓ અમારા પરિવાર માટે સાચી પ્રેરણા હતા. ભલે તેઓ આજે નથી, પરંતુ તેમનું સંગીત આપણને આવનારા વર્ષો સુધી તેમની યાદ અપાવશે. મારો પરિવાર હંમેશા તેમના પ્રેમ અને સ્નેહને યાદ રાખશે.”

લતા મંગેશકરનું રવિવારે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. લાંબા સમયથી ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. 92 વર્ષીય સુપ્રસિદ્ધ ગાયકને જાન્યુઆરીની શરૂઆતમાં દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા.

અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું, “તમે શુ કહી શકો જ્યારે તમારો અવાજ જતો રહ્યો… ઓમ શાંતિ. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમનો અવાજ, ચાર્મ અને સંગીત પેઢીઓ સુધી કાયમ રહેશે.

અદાણીએ ટ્વીટ કર્યું, “જો કોઈએ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હોય તો તે લતા દીદી હતા. દીદીએ 36 ભાષાઓમાં ગીતો ગાયા છે. અબજો લોકો તેમને યાદ કરશે.

બાયોટેકનોલોજી કંપની બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર-શોએ  લતા મંગેશકરને યાદ કરતા તેમના દ્વારા ગાયેલું ગીત ‘તુ જહાં જહાં ચલેગા’ શેર કર્યું હતું.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)ના ચેરમેન એસએમ વૈદ્યે કહ્યું કે આજે દેશની નાઈટિંગેલનો અવાજ બંધ થઈ ગયો છે. તેમણે કહ્યું કે આ નુકસાનને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. લતાજીએ આઠ પેઢીઓથી ભારતીયોને મંત્રમુગ્ધ કર્યા છે અને તેઓ હંમેશા આપણા હૃદયમાં રહેશે.

એપોલો હોસ્પિટલ ગ્રુપના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સંગીતા રેડ્ડીએ કહ્યું કે આ ખૂબ જ દુઃખદ દિવસ છે. આ મહાન ભારતીય વ્યક્તિત્વના નિધન પર હું રાષ્ટ્ર સાથેના શોકમાં સામેલ છું.

https://twitter.com/drsangitareddy/status/1490186445402693632

લતા મંગેશકરને ‘મેલોડી ક્વીન’ કહેવામાં આવતા હતા. તેમણે પાંચ વર્ષની ઉંમરે ગાયનની તાલીમ લેવાનું શરૂ કરી દીધુ હતું. ગાયિકાના રૂપમાં તેમની કારકિર્દી 1942 માં શરૂ થઈ હતી. તેમણે હિન્દી, મરાઠી, તમિલ, કન્નડ, બંગાળી સહિત 36 ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે.

આ પણ વાંચો :  Shark Tank શોમાં આવ્યા આ 5 સૌથી અજીબો ગરીબ આઈડિયા, જાણીને તમને પણ થશે આશ્ચર્ય !

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">