AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ

લતા મંગેશકરને 'મેલોડી ક્વીન' કહેવામાં આવતા હતા. તેમણે પાંચ વર્ષની ઉંમરે ગાયનની તાલીમ લેવાનું શરૂ કરી દીધુ હતું. ગાયિકાના રૂપમાં તેમની કારકિર્દી 1942 માં શરૂ થઈ હતી. તેમણે હિન્દી, મરાઠી, તમિલ, કન્નડ, બંગાળી સહિત 36 ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે.

ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ
Tribute to Bharat Ratna Lata Mangeshkar
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 6:19 PM
Share

કોર્પોરેટ દિગ્ગજોએ રવિવારે સ્વર કોકિલા લતા મંગેશકરને (Lata Mangeshkar Death) હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે આજે દેશે એક મહાન વ્યક્તિત્વ ગુમાવ્યું છે.  આરપી સંજીવ ગોએન્કા ગ્રૂપના ચેરમેન સંજીવ ગોએન્કાએ કહ્યું કે લતાજીનું સંગીત આવનારા વર્ષોમાં પણ દરેકને મંત્રમુગ્ધ કરતું રહેશે. આરપી ગોએન્કા ગ્રુપ પાસે સૌથી જૂનું મ્યુઝિક લેબલ સારેગામાનું સ્વામિત્વ ધરાવે છે. ગોએન્કાએ કહ્યું, “લતાજી અને મારી માતા એકબીજા માટે બહેનો જેવા હતા. તેઓ અમારા પરિવાર માટે સાચી પ્રેરણા હતા. ભલે તેઓ આજે નથી, પરંતુ તેમનું સંગીત આપણને આવનારા વર્ષો સુધી તેમની યાદ અપાવશે. મારો પરિવાર હંમેશા તેમના પ્રેમ અને સ્નેહને યાદ રાખશે.”

લતા મંગેશકરનું રવિવારે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. લાંબા સમયથી ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. 92 વર્ષીય સુપ્રસિદ્ધ ગાયકને જાન્યુઆરીની શરૂઆતમાં દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા.

અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું, “તમે શુ કહી શકો જ્યારે તમારો અવાજ જતો રહ્યો… ઓમ શાંતિ. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમનો અવાજ, ચાર્મ અને સંગીત પેઢીઓ સુધી કાયમ રહેશે.

અદાણીએ ટ્વીટ કર્યું, “જો કોઈએ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હોય તો તે લતા દીદી હતા. દીદીએ 36 ભાષાઓમાં ગીતો ગાયા છે. અબજો લોકો તેમને યાદ કરશે.

બાયોટેકનોલોજી કંપની બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર-શોએ  લતા મંગેશકરને યાદ કરતા તેમના દ્વારા ગાયેલું ગીત ‘તુ જહાં જહાં ચલેગા’ શેર કર્યું હતું.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)ના ચેરમેન એસએમ વૈદ્યે કહ્યું કે આજે દેશની નાઈટિંગેલનો અવાજ બંધ થઈ ગયો છે. તેમણે કહ્યું કે આ નુકસાનને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. લતાજીએ આઠ પેઢીઓથી ભારતીયોને મંત્રમુગ્ધ કર્યા છે અને તેઓ હંમેશા આપણા હૃદયમાં રહેશે.

એપોલો હોસ્પિટલ ગ્રુપના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સંગીતા રેડ્ડીએ કહ્યું કે આ ખૂબ જ દુઃખદ દિવસ છે. આ મહાન ભારતીય વ્યક્તિત્વના નિધન પર હું રાષ્ટ્ર સાથેના શોકમાં સામેલ છું.

https://twitter.com/drsangitareddy/status/1490186445402693632

લતા મંગેશકરને ‘મેલોડી ક્વીન’ કહેવામાં આવતા હતા. તેમણે પાંચ વર્ષની ઉંમરે ગાયનની તાલીમ લેવાનું શરૂ કરી દીધુ હતું. ગાયિકાના રૂપમાં તેમની કારકિર્દી 1942 માં શરૂ થઈ હતી. તેમણે હિન્દી, મરાઠી, તમિલ, કન્નડ, બંગાળી સહિત 36 ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે.

આ પણ વાંચો :  Shark Tank શોમાં આવ્યા આ 5 સૌથી અજીબો ગરીબ આઈડિયા, જાણીને તમને પણ થશે આશ્ચર્ય !

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">