કાર્તિક આર્યન લેશે સાત ફેરા? એક્ટરે પોતાના લગ્ન વિશે કરી આ વાત

ફિલ્મ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan) એ પહેલીવાર પોતાના લગ્ન વિશે વાત કરી છે. કાર્તિકે હાલના એક ઈન્ટરવ્યુમાં કાર્તિક આર્યને તેના વેડિંગ પ્લાન વિશે ખુલીને વાતચીત કરી છે.

કાર્તિક આર્યન લેશે સાત ફેરા? એક્ટરે પોતાના લગ્ન વિશે કરી આ વાત
Kartik AaryanImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 7:08 PM

Kartik Aaryan On His Wedding: લાખો લોકોનો દિલની ધડકન બની ગયેલા એક્ટર કાર્તિક આર્યન ક્યારે લગ્ન કરશે? છેવટે એક્ટર કાર્તિક આર્યને આ સવાલનો જવાબ આપી દીધો છે. જવાબ સાંભળીને ઘણા ફેન્સ પણ હેરાન થઈ શકે છે. હાલના એક ઈન્ટરવ્યુમાં કાર્તિક આર્યને તેના વેડિંગ પ્લાન વિશે ખુલીને વાતચીત કરી છે. કાર્તિકે કહ્યું કે લગ્નને લઈને તેના પરિવાર તરફથી કોઈ દબાણ છે નહીં.

કાર્તિક આર્યને પોતાના લગ્ન વિશે કર્યો ખુલાસો

હાલમાં કાર્તિક આર્યનની ફિલ્મ ફ્રેડી ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં કાર્તિકની એક્ટિંગના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન કાર્તિકે તેના લગ્નને લઈને સવાલોના જવાબ આપ્યા છે. એક મીડિયા પોર્ટલ સાથે વાત કરતાં કાર્તિકે કહ્યું કે અત્યારે તે પોતાના કરિયર પર ફોકસ કરવા માંગે છે. કાર્તિકે એ પણ કહ્યું છે કે તેની માતાએ સલાહ આપી છે કે તે ત્રણથી ચાર વર્ષ કામ કરે અને તેના પછી જીવનમાં સેટલ થવા વિશે વિચારે. તેની માતા પણ ઈચ્છતી નથી કે તે તેની કરિયરના આ મોડ પર અન્ય કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કાર્તિક આર્યને પૈન ઈન્ડિયા ફિલ્મમાં કામ કરવા વિશે શું કહ્યું

સાઉથ ઈન્ડસ્ટ્રી અને પૈન ઈન્ડિયા ફિલ્મનો ભાગ બનવાને લઈને કાર્તિક આર્યને કહ્યું કે બધું સ્ક્રિપ્ટ પર નિર્ભર કરે છે. કાર્તિકે આ અવસર પર એમ પણ કહ્યું કે તેને તેલુગુ અથવા તમિલ ફિલ્મમાં કામ કરવાનું ખૂબ ગમશે. તમને જણાવી દઈએ કે સાઉથ સ્ટાર્સની હિન્દીમાં રિલીઝ થતી ફિલ્મોને હિન્દી દર્શકો ખૂબ જ પસંદ કરે છે. આવામાં સવાલ એ છે કે બોલિવૂડ કલાકારો ક્યારે પૈન ઈન્ડિયા ફિલ્મોનો ભાગ બનવાનું શરૂ કરશે.

કાર્તિકની અપકમિંગ ફિલ્મ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ ફ્રેડીની રિલીઝ થયા પછી કાર્તિક હવે તેની અપકમિંગ ફિલ્મ ‘શહેજાદા’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ તેલુગુ ફિલ્મ અલા વૈકંઠાપુરામુલૂની હિન્દી રિમેક હશે. આ ફિલ્મના તેલુગુ વર્ઝનમાં પુષ્પા ફેમ અલ્લુ અર્જુન જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કાર્તિકની સાથે કૃતિ સેનન જોવા મળશે. આ સિવાય કાર્તિકની અપકમિંગ ફિલ્મોમાં કેપ્ટન ઈન્ડિયા, આશિકી 3 અને હેરા ફેરી જેવી ફિલ્મનો સમાવેશ થાય છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">