Kangana Ranaut On Uddhav Thackeray: કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે પર કર્યો કટાક્ષ, કહ્યું- જ્યારે પાપ વધે તો સર્વનાશ થાય છે

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કંગના રનૌતનું (Kangana Ranaut) નિવેદન સામે આવ્યું છે. કંગના રનૌતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો છે.

Kangana Ranaut On Uddhav Thackeray: કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે પર કર્યો કટાક્ષ, કહ્યું- જ્યારે પાપ વધે તો સર્વનાશ થાય છે
Kangana Ranauat and Uddhav Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 7:18 PM

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. એક તરફ ઉદ્ધવ ઠાકરે હવે શિવસેનાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ તેમના રાજીનામા બાદ દેવેન્દ્ર ફડણવીસ આગળની રણનીતિ નક્કી કરવામાં બિઝી છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે હવે કંગના રનૌતનું (Kangana Ranaut) નિવેદન સામે આવ્યું છે. એક્ટ્રેસ કંગના રનૌતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને ઉદ્ધવ ઠાકરે અને તેમની સરકાર પર કટાક્ષ કર્યો છે. માત્ર આટલું જ નહીં, વીડિયો શેર કરતી વખતે કંગનાએ કટાક્ષયુક્ત કેપ્શન પણ આપ્યું છે.

કંગના રનૌતે ઉદ્ધવ પર કર્યો કટાક્ષ

મહારાષ્ટ્રના સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ એક્ટ્રેસ કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો છે. કંગના રનૌતે કહ્યું, ‘1975 પછી આ સમય ભારતના લોકતંત્રનો સૌથી મહત્વપૂર્ણ સમય છે. વર્ષ 1995માં લોક નેતા જયપ્રકાશ નારાયણે સૂત્ર આપ્યું હતું, સિંહાસન ખાલી કરો કે જનતા આવે છે. તેમજ અનેક સિંહાસનો પડી ગયા હતા. 2020 માં, મેં કહ્યું હતું કે લોકતંત્ર એક વિશ્વાસ છે અને જેઓ સત્તાના ઘમંડમાં જે વિશ્વાસ તોડે છે તેઓ તેમનો ઘમંડ તૂટવો તે નિશ્ચત છે.’ કંગના રનૌતે આ એક મિનિટના વીડિયોને કેપ્શન આપીને લખ્યું- ‘જ્યારે પાપ વધી જાય છે, તો સર્વનાશ થાય છે અને તે પછી સર્જન થાય છે.’

આ પણ વાંચો

જુઓ કંગના રનૌતનો વીડિયો

હનુમાન ચાલીસા વિશે કંગના રનૌતે શું કહ્યું

કંગના રનૌત વીડિયોમાં આગળ કહે છે, ‘જે લોકો સત્તાના ઘમંડમાં જનતાનો વિશ્વાસ તોડે છે, તેમનો ઘમંડ પણ તૂટવાનો નક્કી જ છે. આ કોઈ વ્યક્તિની શક્તિ નથી. આ શક્તિ છે સાચા ચરિત્રની છે. બીજી વાત એ છે કે હનુમાનજીને શિવનો 12મો અવતાર માનવામાં આવે છે અને જ્યારે શિવસેના હનુમાન ચાલીસા પર પ્રતિબંધ મૂકે છે ત્યારે શિવ પણ તેમને બચાવી શકતા નથી. હર હર મહાદેવ, જય હિન્દ. જય મહારાષ્ટ્ર.’

કંગના રનૌતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કંગનાના ફેન્સ પણ આ વીડિયો પર પોતાની પ્રતિભાવ આપી રહ્યા છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે કંગનાએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હોય. આ પહેલા પણ ઘણી વખત કંગના રનૌત શિવસેના અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યા હતા.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">