Mandira Bedi Post on Husband: પતિની યાદમાં મંદિરા બેદીની આ પોસ્ટે બધાને ભાવુક કર્યા, સેલિબ્રિટી અને ચાહકોએ હિંમત આપી

મંદિરા બેદી (Mandira Bedi) અને રાજના લવ મેરેજ થયા હતા અને વર્ષ 1999માં બંન્ને લગ્ન કર્યા હતા. રાજ અને મંદિરાની પ્રથમ મુલાકાત જાહેરાત ફિલ્મ બનાવનારી કંપની સાથે કામ કરતી વખતે થઈ હતી.

Mandira Bedi Post on Husband: પતિની યાદમાં મંદિરા બેદીની આ પોસ્ટે બધાને ભાવુક કર્યા, સેલિબ્રિટી અને ચાહકોએ હિંમત આપી
પતિની યાદમાં મંદિરા બેદીની આ પોસ્ટે બધાને ભાવુક કર્યાImage Credit source: instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 1:37 PM

Mandira Bedi : બોલિવુડ અભિનેત્રી મંદિરા બેદી આજે પણ તેના પતિ રાજની ભુલી શકી નથી. ગત્ત વર્ષે 30 જૂનના રોજ તેના પતિ રાજ કૌશલે દુનિયાને અલવિદા કહ્યું હતુ, મંદિરા બેદી (Mandira Bedi) માટે એક વર્ષ ખુબ જ સંધર્ષભર્યું રહ્યું હતુ, રાજ (Raj Kaushal)ના નિધન પછી મંદિરા બેદી તેના બંન્ને બાળકોને સંભાળી રહી છે, આ મોટા દુખમાંથી બહાર આવી કામ પણ શરુ કર્યું હતુ. આજે તેના પતિની પહેલી પુર્ણયતિથી પર મંદિરા બેદી ઈમોશનલ થઈ ગઈ છે. મંદિરા બેદી ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો છે જેણે એક્ટીંગથી લઈને કમેન્ટ્રી અને હોસ્ટિંગ પણ કર્યુ છે.

મંદિરા બેદીએ ઈમોશનલ પોસ્ટ શેર કરી

મંદિરા બેદીના પતિના નિધન થયાનું આજે એક વર્ષ પૂર્ણ થયું છે, આજે એટલે કે, 30 જૂન 2021ના દિવસે રાજ કૌશલે હુમલો આવતા નિધન થયું હતુ. આજે મંદિરા બેદી ઈમોશનલ થઈ છે અને તેમણે ઈન્સ્ટ્રાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણ લખ્યું છે કે, ‘તમારા વગર 365 દિવસ’ આ સાથે તેણે તૂટેલા દિલની ઈમોજી બનાવી છે કૈપ્શનમાં લખ્યું કે, હું તને યાદ કરી રહી છું રાજી.

આ પણ વાંચો

View this post on Instagram

A post shared by Mandira Bedi (@mandirabedi)

સેલિબ્રિટી હિંમત આપી રહ્યા છે

મંદિરાએ ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ કરતા બોલિવુડ સેલિબ્રિટી ઈમોશનલ થઈ રહ્યા છે, તમામ લોકો મંદિરા બેદીને હિંમત આપી રહ્યા છે, માત્ર સેલિબ્રિટી જ નહિ પરંતુ તેના ચાહકો પણ તેને હિંમત અને પ્રેમ આપી રહ્યા છે, આ પોસ્ટથી એ જાણી શકાય કે, તેનું એક વર્ષ કઈ રીતે પસાર થયું હશે.

બાળકોને તાકાત બનાવી

તમને જણાવી દઈએ કે, પતિના નિધન પછી પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યુંમાં મંદિરા બેદીએ કહ્યું હતુ કે, તેણે પોતાના બાળકોને પોતાની તાકાત બનાવી છે. અભિનેત્રી બાળકોની માતાની સાથે પિતા પણ બની રહી છે, તેમણે કહ્યું મારા માટે મારા બાળકો જ મારી પ્રેરણા છે, તમને 90 ના દાયકા નો એક ટીવી શો યાદ હશે. એ પ્રખ્યાત સિરિયલ નું નામ હતું ‘શાંતિ’. આ શો થી ઘર-ઘરમાં નામ બનાવનારી હિરોઈન બીજી કોઈ નહીં પણ મંદિરા બેદી હતી.

Latest News Updates

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">